હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ વેરાવળ મા અને અજુ બાજુ ના ગામડા મા વર્ષો થી જોઈ રહયા છે કે માનવ સેવા હોય કે કોઈ પણ હોનારથ આવે તેમાં આળર આવી ને ‘માનવ સેવા એજ પ્રભુ સેવા સમજી’ ને સરકાર, સંસ્થાઓ કે કોઇ અન્ય વ્યક્તિ આળર વધે છે. એવામાં વેરાવળ ખાતે દાનવીર મા જે નું નામ સૌ પ્રથમ હોય તેવા કિશોરભાઈ મોહનભાઇ કુહાડા અને તેમના નાના ભાઈ જીતુભાઇ મોહનભાઇ કુહાડા છે. તે બંને ભાઈઓ દ્વારા જયારે આપણે ઠંડી માં આપણાં ઘરો માં ગરમ ધાબળા ઓઢી ને સુતા હોય તો પણ આપણે ઠંડી લાગે…
Read MoreDay: January 14, 2021
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવેલ હતી
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા.14/01/2021, ગુરૂવાર (પોષ સુદ એકમ) આજરોજ શ્રી સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતિ ની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી રહેશે. જ્યારે સુર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ મનાવવામાં આવે છે. આ જ્યોતિની ભૂમી એટલે પ્રભાસક્ષેત્ર અહી અનેક સુર્યના મંદિરો પણ આવેલ છે. સંક્રાંત પર્વ શ્રી સોમનાથ તીર્થ ખાતે સુર્યપૂજા કરવી એ અનેક રીતે પુણ્યદાયી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે સવારે 08:00 કલાકે સુર્ય પૂજન, સવારે 09:00 કલાકે ગૌપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલમેનેજર દ્વારા કરવામાં…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં કોવિડ વેકસીન કોવિડશિલ્ડના ૭૪૮૦ ડોઝનું આગમન
પ્રથમ તબક્કામાં ૬૧૧૮ આરોગ્ય કર્મચારીને કોવિડશિલ્ડ વેકસીન અપાશે હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૪, કોવિડ-૧૯ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયુ છે. કોરોના વાયરસની પ્રતિરોધક અસરકારક અને સુરક્ષિત વેકસિનની શોધ માટે સમગ્ર વિશ્વએ અથાગ પ્રયત્નો કર્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિના પરિણામે આજે આપણા જ ભારત દેશમા કોરોના વેક્સીન કોવિડશિલ્ડની શોધ થઈ છે. જેને આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકાર દ્રારા મંજુરી આપવામાં આવતા કોરોનાને હરાવવામાં સફળતા મળશે. કોરોનાને હરાવવા માટે વેકસીન ઝુંબેશ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થવાની છે. જેના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૭૪૮૦ ડોઝનો જથ્થો આવી પહોચ્યો છે. જેનુ…
Read Moreદાહોદને ફાળવેલા કોવિશિલ્ડના ૧૫૮૮૦ ડોઝ સુરક્ષિત રીતે સંગ્રહિત
હિન્દ ન્યૂઝ, દાહોદ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ કોરોના વેક્સીનના વધામણા કર્યા દાહોદને ફાળવવામાં આવેલો કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો આજ બુધવારના મોડી સાંજે આવી પહોંચ્યો હતો. દાહોદને ભારત બાયોટેક નિર્મિત કોવિશિલ્ડના ૧૫૮૮૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આરોગ્ય વિભાગના કોલ્ડ સ્ટોરેઝમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવ્યો છે. આજે આરોગ્ય વિભાગનું એક ખાસ વેક્સીન વાહન વડોદરા ખાતે આ જથ્થો લેવા માટે પહોંચી ગયું હતું. તેની સાથે પોલીસ વિભાગના સુરક્ષાકર્મીને પણ મોકલવામાં આવ્યા હતા. તે વેક્સીન વાહન દાહોદ ખાતે મોડી સાંજના સુરક્ષિત રીતે પહોંચી ગયું હતું. આરોગ્ય વિભાગના ડ્રગ્ઝ સેન્ટર…
Read Moreગૌ માતાની પુંજા કરી ગોળ અને ઘાસ ચારો ખવાડી મકરસંક્રાંતિ નો પર્વ ઉજવાયો
હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડ યાત્રાના આયોજક શ્રી.પ.પૂ.વિજય જી મહારાજના વરદ હસ્તે તેમજ ઉપસ્થિત અતિથિઓ દ્વારા ગૌ માતાની પૂજા કરી ગોળ અને ઘાસચારો તથા અન્ય ધાન આરોગાવાઈ મકરસંક્રાંતિ ના પાવન પર્વની ખરી રીતે ઉજવણી કરવામાં આવી. નવનાથ કાવડ યાત્રાના આયોજક પ.પૂ શ્રી.વિજયજી મહારાજ દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ પર દરવર્ષે બાલગોપાલો ને પતંગ અને દોરી નું વિતરણ કરી પર્વની ઉજવણી કરાતી હતી. પરંતુ આ વર્ષે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી અને સરકારી ગાઈડ લાઇનને ધ્યાને રાખી હરિહર આશ્રમના મહારાજ દ્વારા ગૌ માતાને ગોળ.…
Read Moreનડિયાદના અસ્માજિક તત્વોની હરકત
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ શહેરના કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટને શુભેચ્છા અને અભિનંદન પાઠવતા બેનરો શહેરમાં ઠેરઠેર લગાવવામાં આવ્યા છે. જોકે, ટાર્ગેટ કરીને કેટલાક શખ્સો દ્વારા આ બેનરને ફાડવામાં આવતાં હોવાના બનાવો બન્યા છે. આ મામલે હાર્દિક ભટ્ટ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, પછી પણ મંગળવારની રાત્રે અમદાવાદી બજાર વિસ્તારમાં લગાવવામાં આવેલું બેનર ફાડવામાં આવ્યા બાદ, બુધવારે આ મામલે નડિયાદ શહેર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાર્દિક ભટ્ટને ટાર્ગેટ કરીને…
Read Moreજિલ્લા કલેકટર ને વેરાવળ પાટણ ના શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવા તથા હાલમાં ચાલી રહેલા રોડ – રસ્તાનાં કામો નક્કી કરવામાં આવેલ નિયમો/શરતો મુજબ બનાવવા ઓલ ઇન્ડિયા માયનોરિટિ ફાઉનડેશન દ્વારા કરાઈ રજુઆત
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ વેરાવળ – પાટણ માયનોરીટી વિસ્તારોમાં આવેલ કોલોનીઓનો વર્ષો જુની હોવાથી તથા આ વિસ્તાર ખૂબ જ મોટો હોવાથી હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરતા જોવા મળે છે. આ વિસ્તારના રહીશો સમયસર નગરપાલિકાના વેરા પણ ભરપાઈ કરી આપે છે. છતાં આજ દિન સુધી આ વિસ્તારના રહીશોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં નથી કોઈ સાફ સફાઈની વ્યવસ્થા કે નથી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા. ચોમાસાની ઋતુમાં લોકોએ ઘરની બહાર નિકળવા વરસાદનાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગોઠણડૂબ ગંદા પાણીમા ફરજિયાત ઊતરવું પડે છે તથા પાણી ભરાવવાથી રિપેર કરેલ…
Read Moreવિરમગામ શહેરના નૂરી સોસાયટી વિસ્તારમા વીજશોક લાગતા બે ભાઈઓ કરુણ મોત
હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ શહેરના નૂરી સોસાયટી વિસ્તારમા મહંમદ તૂફેલ જાવીદભાઇ મીરઝા, મુજંમીર જાવીદભાઇ મીરઝા બંને સગા ભાઈઓ વિરમગામ શહેર ના કાસંપુરા મા રહેતા ગઇકાલે મોડી સાંજે નુરી સોસાયટી મા પોતાનાં નાના ને ઘેર ધાબા ઉપર પતંગ ચગાવવા ગયેલ તે દરમિયાન ધાબાપર લોખંડના પાઇપ વડે પતંગ લૂંટતા વીજ કરન્ટ થતા બને ભાઈઓના મોત નિપજ્યા. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ
Read Moreધારી ના દલિત સમાજ ના આગેવાને મકરસંક્રાંતિ મા દાન પૂણ્ય કરી પર્વ ઉંજવયુ
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ના દલીત સમાજ અગ્રણી અને દરેક સમાજ મા લાગણી ધરાવતા સમાજ સેવક રમેશભાઈ ચૌહાણ ‘જય ભીમ કંનટ્રકશન ધારી’ એ સરસીયા ગામ ના સ્વ. મોહનભાઈ હરદાસભાઈ પડશાળા ની પાછળ આજે મકરસંક્રાંતિ (ઉતરાયણ) મા ગરીબ પરિવારો ના બાળકો ને ખજૂર, લાડુ અને ગાયો ને ઘાસચારો નાખી અનોખી રીતે પર્વ ઉંજવયુ હતુ. આ માનવી નુ આ અનોખી રીતે સૈવા ઓ અવિરત છે. ધારી તાલુકા મા પોતાના દલીત સમાજ ની સાથે બીજા સમાજ મા પણ લાગણી અને નામના ધરાવતા આ રમેશભાઈ ચૌહાણ ની સેવા લોકો ની નજરે આવે છે. રિપોર્ટર…
Read Moreધારી ગૌશાળા મા મકરસંક્રાંતિ (ખીહર)માં ગાયો માટે ખીચડી ની તૈયારી
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ગામે વર્ષો થી અપાહિજ, પાંગળી, લુલી, લગડી ગાયો ની સેવા કરતા ધારી કુભાંર સમાજ નુ ગૌરવ અને નાનો માણસ જેમની ઉદારતા એવા સેવાભાવી કિશોરભાઈ વરમોરા ની સેવા ની કામગીરી ને લાખ લાખ અભિનંદન છે. તેમની સાથે વરમોરા પરિવાર ધારી ધનશ્યામભાઈ વરમોરા, હિમાશુભાઈ વરમોરા, અજયભાઈ ઘામેશ્યા, મેહુલભાઈ વરમોરા, રાહુલભાઈ વરમોરા, તથા બહેનો અને દિકરી ઓ ખીહર પર્વ ને ઉજવવા સાથે મળીને ગાયો ના ખીચડો, રોટલી, રોટલા બનાવવા તનતોડ મહેનત કરે છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read More