રાજકોટ, રાજકોટ શહેર લોઠડા ગામે રહેતા રાજેશ સરજુભાઈ ઉ.૨૩ વિષ્ણુદાસ ગભાદાસ ઉ.૨૦ અને અમીતદાસ ઉ.૨૫ ત્રીપલ સવારી બાઈકમાં જતા હતા. ત્યારે ગોંડલ રોડ સ્કોડાના શો-રુમ સામે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ત્રણેયને માથે અને શરીરે ઇજા થતાં ૧૦૮ મારફતે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને ફરજ પરના તબીબે રાજેશને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ આદરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read MoreMonth: August 2020
રાજકોટ શહેરમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં એકા-એક ભારે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં શહેરમાં ર ઈંચ પાણી પડી ગયું
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના ગઈકાલ રાત્રીના પ્રથમ પહોરમાં 0॥ કલાક એકા-એક અને કોઈપણ કડાકા ભડાકા વિના ભારે તોફાની પવન સાથે ઝંઝાવાતી વરસાદ પડ્યો હતો. અને શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. આથી અનેક જગ્યાએ ટ્રાફીક જામ થઈ ગયો હતો. રાજમાર્ગો ઉપરથી જાણે નદીઓ વહેતી થઈ હતી. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ફાયરબ્રિગેડના ચોપડે વરસાદ નોંધાયો હતો જે મુજબ કાલાવડ રોડ વિસ્તારમાં એટલે કે નવા રાજકોટમાં ર ઈંચ (૫૦.M.M) નોંધાયો હતો. : તો મધ્ય રાજકોટ અને બેડીપરા જુના રાજકોટમાં 1॥ ઈંચ…
Read Moreરાજકોટ શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રામ જન્મ ભૂમિ પૂજનના પાવન અવસરે ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવેલ છે.
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રામ જન્મ ભૂમિ પૂજનના પાવન અવસરે ફટાકડા ફોડી તથા ભગવાન શ્રીરામના નામનું દીપ પ્રજ્વલંન કરી ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમાં ABVP ગુજરાત પ્રાંત મંત્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં અનલોક-3ના કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી રાજકોટ શહેર પોલીસ
રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચુસ્ત પણે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નિયમ અનુસાર સ્પા ચાલુ કરવાની મનાઈ હોવા છતા સ્પા સંચાલકો\માલિકો પોતાના આર્થિક લાભ માટે જાહેર જીવનમાં બેદરકારી દાખવી સ્પા ચાલુ રાખતા હોવાની માહિતી મળી હતી. રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો, D.C.B પો.સ્ટે. S.O.G પેરોલ ફર્લો સ્કોડના માણસોની અલગ અલગ કુલ.૨૯ ટીમ બનાવી. રાજકોટ શહેરમાં આવેલ અલગ અલગ સ્પા ખાતે તપાસ કરી જે સ્પા ચાલુ જણાય તેઓ વિરૂદ્ધ કાર્યેદસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન કુલ.૧૪ સ્પા ચાલુ જોવા…
Read Moreકેશોદ માં વરસાદી માહોલ થી ખેડૂતો માં ખુશીનો માહોલ
જૂનાગઢ, કેશોદ માં સતત ત્રણ દિવસ થી વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી ને લઈ કેશોદ ગ્રામ્ય સહિત સહિતના પંથકમાં વરસાદ કેશોદના અનેક ગામડાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે કેશોદ પંથકમાં સારા વરસાદ થી શહેર માં ઠંડક પ્રસરી વરસાદી માહોલ થી ખેડૂતો માં ખુશીનો માહોલ રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ
Read Moreબાવળા માં કેન્દ્રીય ગૃહમંત્રી ના સ્વાસ્થય સારૂ થાય એ માટે હવન કરવામાં આવ્યો
બાવળા, બાવળા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારત દેશ તથા વાસૂદેવ કુટુંબકમ ની ભાવનાથી સંપૂર્ણ વિશ્વ માંથી કોરોના માટે સંકટ આવેલું છે કે દૂર થાય તથા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ કોરોના ગ્રસત થયા છે. તે ઓ ને ઝડપ થી સારું થાય તે માટે બાવળા શહેર ભારતીય જનતા પાર્ટીની તથા બાવળા નગર પાલિકા દ્વારા બાવળા માં આવેલ ધોળકા રોડ ઉપર આવેલા અંબાજી માતાજી ના મંદિર ખાતે હવન નુ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : અભિષેક સુરાણી, બાવળા
Read Moreસુઇગામ અને ભાભર પંથકમાં મીની વાવાઝોડું ત્રાકટયુ હતુ.
ભાભર એક બાજુ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે ભાભર અને સુઇગામ પંથકમાં વરસાદ ખેંચાતા અને વધારે ગરમી પડવા ને લીધે વાવેલા એરંડા ના ઉગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ત્રણ દિવસ ના ઉકળાટ બાદ ગતરોજ સાંજે આઠ વાગ્યે હવામાન માં પલટો આવતા જોરદાર મીની વાવાઝોડું ત્રાટક્તા ઉચોસણ બસ સ્ટેન્ડ ની પાસે આવેલી ત્રણ દુકાનો ના પતરા ઉડી જવા પામ્યા હતા, જયારે બીજી બાજુ ઉચોસણ ગામ ના જ ચૌધરી પ્રેમાભાઇ શંકરભાઈ ને પચાસ ફુટ જેટલા ઢાળીયા ના સીમેન્ટ ના પતરા ઉડીને બાજુ ના રસ્તા માં પડીને ભાંગી ને ભુક્કો…
Read Moreજામનગર જીલ્લા ના હડિયાણા ઞામે અને કુનડ ગામે શ્રી રામચંદ્રજીના ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે હડિયાણા ગામે બપોરના મહા આરતી અને પ્રસાદ તેમજ આકાશમાં ફટાકડાની આતશબાજી કરી
હડિયાણા, જામનગર જીલ્લા ના હડિયાણા ઞામે અને કુનડ ગામે ગીતામંદિર, ઠાકોરજી નું મંદિર, રામ મંદિર અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે ,આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કારસેવકો અને રામ સેનાના હિન્દુ યુવાનો દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ગત રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વરદ હસ્તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે હડિયાણા ગામે બપોરના મહા આરતી અને પ્રસાદ તેમજ આકાશમાં ફટાકડાની આતશબાજી કરી ગામમાં ભગવા ધ્વજ સાથે મોટરસાયકલ દ્વારા ઘરે ઘરે રામનો સંદેશ પહોંચાડી દીપ પ્રગટાવવાનો સુંદર અવસર સૌ હિંદુ પરિવારમાં જોવા મળેલ ગામના…
Read Moreરાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલ માં ફાયર સેફટી પૂર્તિ નો હોવાનું જણાતા ફાયર સેફટી વિભાગ દ્વારા ચેકિંગ……..
રાજકોટ, આજ રોજ રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલ માં ફાયર સેફટી પૂર્તિ નો હોવાનું જણાતા ફાયર સેફટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પરંતુ ઉદય કોવિડ હોસ્પિટલ દ્વારા ફાયર વિભાગ ના અધિકારી ને અંદર જવા દેવામાં આવ્યા નથી. હોસ્પિટલ ના અધિકારી કોરોના પોઝિટિવ દર્દી હોવાને લીધે અંદર નહિ જવા દેવામાં આવે એવા બહાના જણાવે છે . રિપોર્ટર : અજય સોની, રાજકોટ
Read Moreખેડબ્રહ્મા ખાતે કાર સેવકો નો સન્માન કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા, કારસેવકો ને સન્માન નો કાર્યક્રમ હનુમાનજી મંદિર વાસણા રોડ ખેડબ્રહ્મા ખાતે કરવામા આવ્યો. આ કાર્યક્રમ મા બધા કારસેવકો નુ સન્માન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિક્રમભાઈ વાઘેલા, સુરેશભાઈ ભાનુશાળી, રમણલાલ નાયી, વિશ્વ હિંદુ પરિષદ ના વિપુલભાઈ પ્રજાપતિ (ગની) અને ભાજપ ના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, કોર્પોરેટર નિકુંજભાઇ રાવલ, અરવિદભાઇ ઠક્કર ની ઉપસ્થિતિમાં સન્માનવા મા આવ્યા. ખેડબ્રહ્મા શહેરના બધા કારસેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ધવલ વાઘેલા દ્રારા કરવામાં આવ્યું હતુ અને જય શ્રી રામ ના નારા સાથે સૂત્રો ચાર…
Read More