ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર ની કચેરી એ આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંગીતાબેન ચાંડપા ની આગેવાની માં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર ની કચેરીએ પહોંચી નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને જુલાઈના સમયગાળા દરમિયાન ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પૂરેપૂરા પૈસા વસુલ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા સબસીડી ગેસના બાટલામાં સરેરાશ રૂપિયા ૧૪૦ થી ૨૦૦ રૂપિયા મળવાપાત્ર રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે, જે જમાં કરાવી નથી. ગત સપ્ટેમ્બર…

Read More

કોરોનાના સંક્રમણને રોકવા ઉત્સવોની જાહેરમાં પંડાલ કે પ્રતિમાના સ્થાપન કે તાજીયાના ઝૂલુસ કાઢવા ઉપર પ્રતિબંધ

  દાહોદ, તા. ૭ : ઓગસ્ટ મહિનામાં આગામી તહેવારો ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી સંબધે આજ રોજ કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સમાજના વિવિધ આંગેવાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોઇ પણ પ્રકારના જાહેર ધાર્મિક કાર્યક્રમો, સભા-સરઘસો કે ઝૂલુસ ન કાઢવા બાબતે સર્વસંમતિ સાધવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, રાજય સરકાર દ્વારા કોવીડ ૧૯ ને ધ્યાને લઇને લોકોના મોટા પ્રમાણમાં એકત્ર થવા પર, જાહેર મેળાવડા, ધાર્મિક સભા કે એવા સામુહિક કાર્યક્રમો પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો…

Read More

રાજકોટ સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ‘ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે

રાજકોટ, રાજકોટ શહેર સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. આ ચેલેન્જ અંતર્ગત શહેરને તેમના નાગરિકો સાથે જોડાઈ અને નિષ્ણાતોની મદદથી, સમગ્ર શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટેના પગલાં ભરવાના રહેશે. રાજકોટ સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે, જે માટે હવે નાગરિકો પાસેથી પણ સૂચનો મંગાવામાં આવેલ છે. ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જમાં ૨ સ્ટેજ હશે. પહેલા સ્ટેજમાં શહેરોમાં સાઇકલિંગને પ્રોત્સાહિત કરવા અને સ્કેલ-અપ વ્યૂહરચના વિકસાવવા માટે ઝડપી હસ્તક્ષેપો અને પ્રમોશનલ પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે. જે અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે, જેના આધારે ૧૧ શહેરોની પસંદગી કરવામાં આવશે અને…

Read More

રાજકોટ શહેરમાં પ્રેમમાં પાગલ દિકરીએ લગ્નની જીદ કરતા પિતાએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી

રાજકોટ, રાજકોટ શહેર ગાંધીગ્રામના શાહનગરમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા ગોપાલભાઈ નકુમ નામના ૬૦ વર્ષીય સથવારા વૃધ્ધે સવારે ૨૦ વર્ષીય દિકરી પુત્રી ઇલાને કપડાં ધોવાના ધોકાથી માથામાં ૩-૪ ઘા મારતા ખૂની હુમલામાં ઘવાયેલી ઈલા ઘરમાં જ લોહીના ખાબોચીયામાં ફસડાઇ પડી હતી. પુત્રીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મુકીને હુમલાખોર પિતા ગોપાલભાઈ ફરાર થઇ ગયા હતા. દેકારો થતા દોડી આવેલા પડોશીઓએ ૧૦૮ મારફત યુવતીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી બનાવની જાણ થતાં P.I કે.એ.વાળા, રાઇટર હીરાભાઈ રબારી, જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જોકે યુવતી બેભાન હાલતમાં હોવાથી…

Read More

રાજકોટ શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે જેને માન્યતા આપવામા આવી છે. એવી ૧૩ ખાનગી હોસ્પિટલમાંથી માત્ર ૬ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનું N.O.C

રાજકોટ, રાજકોટ શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે જેને માન્યતા આપવામા આવી છે. એવી ૧૩ ખાનગી હોસ્પિટલમાંથી માત્ર ૬ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનું N.O.C છે. એ સિવાયની બાકીની ૭ હોસ્પિટલ જીવતા બોમ્બ જેવી છે. ૭ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. સામાન્ય આગ ભિષણ સ્વરૂપ ધારણ કરી લે તો તેમા દાખલ કોરોનાના દર્દી જીવતે જીવતા ભુંજાય જાય તેમા શંકાને કોઇ સ્થાન નથી. અમદાવાદની ઘટના પછી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલને રિતસર પગતળે રેલો આવ્યો હોય તેમ તાબડતોબ મિટિંગ બોલાવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફને તમામ કોવિડ હોસ્પિટલમાં દોડાવ્યો હતો. રાજકોટ મનપાનું તંત્ર અન્ય કોઇ…

Read More

દિયોદરમાં લક્ષ્મીપુરા વોટ નંબર 4 માં ગટરો ઉભરાતા અને વરસાદી પાણી ભરાતા રોગચાળાની ભીતિ

દિયોદર, દિયોદર માં આવેલ લક્ષ્મીપુરા વિસ્તાર વોર્ડ નંબર ચાર માં ગટરો ઉભરાતા અને ચોમાસા ની ઋતુ માં વરસાદી પાણી ભરાતા આવનારા સમયમાં રોગ રોગચાળાની દહેશત ફેલાઈ ના રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઇએ. અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવવાની સમસ્યા છે પણ આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ગટરો ઉભરાતા લક્ષ્મીપુરા વોર્ડ નંબર ચાર ના વિસ્તારમાં રહેતા લોકો ગટરની દુર્ગંધ થી રોગચાળાની સ્થિતિ ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગટરોની સફાઈ કરાવી જોઈએ. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

આંતર રાજયમાં કાસ્ટીંગના પાઇપની ચોરી કરનાર ગેંગના ૧૫ સભ્યોને ધાડ પાડવાની તૈયારી સાથે પકડી પાડતી. રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ, રાજકોટ શહેર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણ શોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે L.C.B રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ એમ.એન.રાણાના માર્ગદર્શન મુજબ L.C.B શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા. તે દરમ્યાન મળેલ પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા નાઓને સંયુકતમાં ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ જે હકિકત આધારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઇ-વે રોડ ઉપરથી ૧૫ ઇસમોને ધાડ પાડવાની તૈયારી કરતા ઘાતક હથીયારો…

Read More

જામ કંડોરણા ખાતે કોરોના પોઝેટીવ આવતા ગ્રામજન ભયભીત

જામ કંડોરણા, જામ જોધપુરન તાલુકા ના શેઠવડારા મા કોરોના નો 2 કેશ શેઠવડારા ગામે ડોકટર તરીખે ફરજ બજાવતા બે ડોકટરો નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો શેઠવડારા ગામે રહેતા ડો,અતુલ રામજીભાઈ ભંડેરી ડો. મનીષ શાંતિભાઈ મહેતા ઉ,વ 37 ને આવ્યો કોરોના પોઝિટિવ રીપોર્ટ, શેઠ વડારા મા કોરોના નો કેશ આવતા ગામ તથા આજુબાજુ ના વિસ્તારમાં મા લોકોમા ભય જોવા મળ્યો. એહવાલ : સંજય પરમાર, જામ કંડોરણા

Read More

રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા, આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ અને ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ છે. જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો છે. આજે મૃત્યુ પામનાર દર્દીઓમાં રાજકોટના ૬, જેતલસરના ૧, નરીચણાના ૧, અને જામકંડોરાણાના ૧ દર્દીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. રાજકોટ જંગલેશ્વરના હાજીભાઈ ઇસ્લામભાઈ પરમાર (ઉ.૭૦), સત્યમ્ પાર્કના માલુબેન રઘુભાઇ (ઉ.૫૬), સુભાષનગરના જયાબેન નાનજીભાઇ પરમાર (ઉ.૫૫), રણછોડનગરના રામભાઇ રાઘવભાઇ કાપડીયા (ઉ.૮૧-રિપોર્ટ બાકી), રણછોડનગરના મનિષભાઇ ગુલાબભાઇ સવાણી (ઉ.૪૦), લક્ષ્મીવાડી મેઇન રોડના હિતેષભાઇ પ્રભાશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.૪૭), જેતલસરના સતારભાઇ ઇસ્માઇલભાઇ બેલીમ (ઉ.૭૦), ધ્રાંગધ્રા નારીચાણાના ગોમતીબેન…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હેમાંગભાઈ રાવલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે

ગીર સોમનાથ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હેમાંગભાઈ રાવલ દેવોના દેવ મહાદેવ સોમનાથના દર્શને પધારેલ તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એજ્યુકેટીવ કમિટીના મેમ્બરો નિલેશભાઈ જોશી તેમજ સૌમિલભાઈ રાવલ પણ પધારેલ. સોમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ હારૂનભાઈ ચોરવાડા, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ અને મહામંત્રી વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રેમભાઈ ગઢિયા, વેરાવળ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પી.એ. ખંજનભાઈ જોશી અને અન્ય સોશિયલ મીડિયાના હોદ્દેદારો હીતેષભાઈ સોલંકી, નરેશભાઈ ચાવડા અને હેમંતભાઈ ચૌહાણે વેરાવળ સોમનાથ પધારેલે…

Read More