રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા, આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ અને ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો

રાજકોટ,

રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ છે. જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો છે. આજે મૃત્યુ પામનાર દર્દીઓમાં રાજકોટના ૬, જેતલસરના ૧, નરીચણાના ૧, અને જામકંડોરાણાના ૧ દર્દીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. રાજકોટ જંગલેશ્વરના હાજીભાઈ ઇસ્લામભાઈ પરમાર (ઉ.૭૦), સત્યમ્ પાર્કના માલુબેન રઘુભાઇ (ઉ.૫૬), સુભાષનગરના જયાબેન નાનજીભાઇ પરમાર (ઉ.૫૫), રણછોડનગરના રામભાઇ રાઘવભાઇ કાપડીયા (ઉ.૮૧-રિપોર્ટ બાકી), રણછોડનગરના મનિષભાઇ ગુલાબભાઇ સવાણી (ઉ.૪૦), લક્ષ્મીવાડી મેઇન રોડના હિતેષભાઇ પ્રભાશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.૪૭), જેતલસરના સતારભાઇ ઇસ્માઇલભાઇ બેલીમ (ઉ.૭૦), ધ્રાંગધ્રા નારીચાણાના ગોમતીબેન પરષોત્તમભાઇ જાદવ (ઉ.૫૦), જામકંડોરણાના દુધીબેના દેવશીભાઇ ગજેરા (ઉ.૭૫) નો સમાવેશ થાય છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment