હિન્દ ન્યૂઝ, ખેડા ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્રારા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોની સુખાકારી જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસો ખૂબ વધી રહ્યા છે ત્યારે જિલ્લાની મહત્તમ હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. નાગરિકોને ઝડપથી એમ્બ્યુલન્સ સેવાઓ, ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન સહિતની સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર આઈ.કે પટેલની દેખરેખ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના મેનેજર સંદિપભાઇ ગઢવીના જણાવ્યા મુજબ ૧લી એપ્રીલ ૨૦૨૧થી અત્યાર…
Read MoreDay: April 23, 2021
મોડાસા ખાતે કોરોના-19 અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવા અંગે રેલી યોજાઈ
હિન્દ ન્યૂઝ, મોડાસા વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે, જે અનુસાર ભારતમાં વધુમાં વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જે અંતર્ગત અરવલ્લી જિલામાં પણ કોરોનાની મહામારીનાં કેસો જોવા મળ્યા છે. જે અંતર્ગત આજરોજ અરવલ્લીના મોડાસાના બજાર વિસ્તાર ખાતે મહેસુલ પોલીસ અને શહેરી વહીવટીતંત્રની ટીમ દ્વારા કોરોના-19 અન્વયે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવા બાબતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને મોડાસા બજાર વિસ્તાર ખાતે મહેસુલ, પોલીસ અને શહેરી વહીવટીતંત્રની ટીમ દ્વારા વેપારીઓ તથા જાહેર સ્થળોએ જનતાને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, દરેકને…
Read Moreકોરોના સંક્ર્મણ રોગને હરાવવા ત્રણે પંચાયતના સરપંચ અને વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય
હિન્દ ન્યૂઝ, હિંમતનગર ઝહિરાબાદ, સવગઢ તથા માલીવાડા ગ્રામ પંચાયતોના સરપંચઓ તથા આ તમામ પંચાયતના વિસ્તારમાં આવતા વેપારીઓ તથા ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એવુ નક્કી કરેલ છે કે, આજરોજ શુક્રવારની રાત્રીના 8:00 વાગ્યાથી સોમવારના સવારે 8:00 કલાક સુધી આ તમામ ત્રણેય પંચાયત વિસ્તારમાં આવતા તમામ ધંધા રોજગાર બંધ રાખવા સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવેલ છે. તો આ બાબતે શનિવાર અને રવિવાર સંપુર્ણ બજાર બંધ રાખવા નમ્ર અરજ છે અને જેમાં દવાખાના, મેડીકલ, પેટ્રોલપંપ ખુલ્લા રાખી શકાશે અને દુધ ડેરી સાંજે 5:00 કલાકથી રાત્રીના 9:00 કલાક સુધી ખુલ્લુ રાખી…
Read Moreહિંમતનગર બજારમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક વિતરણ કરી ફરજીયાત માસ્ક પહેરવા અનુરોધ
સમગ્ર જિલ્લાઓ માં સાથે સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગર તાલુકામાં હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં માસ્ક સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે સ્થાનિકોમાં જાગૃતતા આવે અને લોકો માસ્ક નો ઉપયોગ કરતા થાય અને કોરોના ના કપળા કારમાં સંક્રમિત ના થાય એ માટે સ્થાનિક પોલીસ સાથે હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારોએ બજારમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક વિતરણ કરી ફરજીયાત માસ્ક પહેરવા અનુરોધ કર્યો હતો અને લોકોને જાગૃત કરવા માટે હિન્દુ યુવા સંગઠનના જિલ્લા અધ્યક્ષ સરવીનભાઈ પટેલ, તાલુકા અધ્યક્ષ પ્રફુલભાઈ સોની, જિલ્લા પ્રભારી પ્રતિકભાઇ પટેલ શહેર મંત્રી યતીનભાઈ વ્યાસ, કેતનભાઈ શ્રીમાળી, સુનિલભાઈ શાહ સહિત…
Read Moreમાંગરોળ ઝોહરા હોસ્પિટલમાં હિન્દૂ મુસ્લિમ આગેવાનોમાં પ્રયત્નો થી ટુંક સમયમાં કોરોના કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે
હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ ખાતે ઝોહરા હોસ્પિટલમાં નગરપાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા, ઉપ્રમુખ મનોજ વિઠલાણી સહિત વેપારી આગેવાન હરીશ રૂપારેલીયા, જિલ્લા પંચાયત સદસ્ય વાલ ભાઈ ખેર, ખારવા સમાજ અગ્રણી રણછોડ ભાઈ ગોસિયા, પરેશ ભાઈ જોશી સહિત આગેવાનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઓક્સિજન સહિત ની વ્યવસ્થા માટે મામલતદાર સાથે મળી ચર્ચા કરી હતી. તેમજ ઝોહરા હોસ્પિટલમાં સફાઈ અને સેનેટાઈઝ કામગીરી કરવામાં આવી હતી. રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ
Read Moreદિયોદર ડોકટર એસોસિએશન દ્વારા કોવિડ 19 કેર સેન્ટર માં બાયપેપ ઓક્સિજન મશીન ભેટ આપ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ ને સારવાર મળી રહે તે માટે દિયોદર લોક ભાગીદાર થી રેફરેલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ ની મદદ લઇ કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક દર્દીઓ કોરોના ગંભીર બીમારી ની સારવાર લઈ રહ્યા છે. ઓક્સિજન સાથે બાયપેપ ઓક્સિજન મશીન ની જરૂરિયાત થતા દિયોદર ડોકટર એસોસિએશન આગળ આવ્યું હતું અને પરિસ્થિતિ ને ધ્યાને લઇ સ્વખર્ચે દિયોદર કોવિડ 19 કેર સેન્ટર ખાતે બાયપેપ ઓક્સિજન મશીન આપી ડોકટર એસોસિએશન એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મશીન થી ઓક્સિજન…
Read Moreદિયોદર શહેર માં પ્રથમ દિવસે લોક ડાઉન નું ચુસ્ત પણે પાલન
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના વિવિધ તાલુકા માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિયોદર શહેર ને પણ આજ થી શુક્ર ,શનિ, રવિ ત્રણ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવતા આજે પ્રથમ દિવસે વહેલી સવાર થી વેપારીઓ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેમાં નગરજનો પણ કામ વગર ઘર ની બહાર નીકળ્યા ના હતા, દિયોદર ગ્રામ પંચાયત ના આ નિર્ણય ને દિયોદર નગરજનો એ સમર્થન આપ્યું હતું જેમાં માત્ર મેડિકલ સેવા ઉપલબ્ધ રહી હતી. જેમાં આજે દિયોદર લોકડાઉન ના લીધે કરફ્યુ જેવા દ્રષ્યો જોવા મળી આવ્યા હતા. દિયોદર ગ્રામ…
Read Moreકોરોના પર કાબુ મેળવવા ખાનગી અને કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારાઈ
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લામાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવનાર છે. દરમિયાન તંત્ર એક્શનમાં આવી ગયું છે, નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમીક્ષા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે જે રૂપાણી સમક્ષ રજુ કરાશે. એસ.જે.હૈદરે જણાવ્યું હતું કે રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં વધુ 100 બેડની ક્ષમતા સાથે 200 બેડ, જિલ્લાના ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 100 બેડ, 4 ખાનગી હોસ્પિટલો ખાતે 110 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે જરૂરીયાત મુજબ વધુ 90…
Read More