હિન્દ ન્યૂઝ, નિકાવા કાલાવડના નિકાવા ગામે કોરોનાના કેસો દિનપ્રતિદિન તેજ ગતિએ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણની ચેઈનને તોડવા તારીખ ૦૮/૦૪/૨૦૨૧ થી ૧૫/૦૪/૨૦૨૧ સુધી સાંજે ૭ થી સવારના ૬ સુધી નિકાવાના યુવા ઉત્સાહી સરપંચ રાજેશભાઈ મારવીયા દ્વારા સંપુર્ણ લોકડાઉન જાહેર કરેલ છે અને સાથો સાથ તમામ ગ્રામજનોએ સાવચેત રહેવું અને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ જરૂરી કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળવુ તેવો અનુરોધ કર્યો, સાથો સાથ કોઈ પણ વેપારીઓએ માસ્ક પહેર્યા વિનાના ગ્રાહકોને માલ આપવો નહીં તેવી સ્પષ્ટ સુચના આપી છે તેમજ કોવિડ ગાઇડલાઇન્સના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા ખાસ…
Read MoreDay: April 7, 2021
બનાસકાંઠા જિલ્લામા કોરોના કેસ પોઝિટિવ વધતા વહીવટી તંત્ર દ્રારા સાબદું થયું, દિયોદર પોલીસે નગરમાં સાવચેતીના પગલે ફલેગ માર્ચ યોજી
હિન્દ ન્યૂઝ, દિયોદર રાજયમાં કોરોના કહેર આવતા કોરોના પોઝિટિવ કેશમા વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા મા કોરોના આંક ૧૦૦ ને પાર કરતા કોરોના સ્થિતિ વણશી હોય, હવે સ્વેચ્છાએ બંધ પાળવા વેપારીઓ અને લોકો વચ્ચે બેઠકો યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા ચિફ ઓફિસર સાથે વેપારીઓ દ્વારા સ્વયં શનિ રવિ બંધ પાળવા નિર્ણય લેવાયો છે. સાથે આજે ડીસા શહેર ને પણ બંધ પાળવા આગળ આવવું પડયું છે ત્યારે કોરોના ની સ્થિતિ ને…
Read Moreફાગણ વદ અગિયારસ-પાપમોચની એકાદશીના શુભ દિને સતત ૨૩માં વર્ષે ડભોઇ- દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરનાળી – કુબેર દાદા ના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
હિન્દ ન્યૂઝ, ડભોઇ આજરોજ ફાગણ વદ અગિયારસએ ધર્મશાસ્ત્ર મુજબ પાપમોચની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ને અતિ શુભ માનવામાં આવે છે.ડભોઈ- દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા છેલ્લા ૨૩ વર્ષથી સતત આ શુભ દિવસે ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર દાદાના દર્શનાર્થે આવે છે જે મુજબ આજરોજ તેઓ પોતાના ધર્મ પત્ની મીનાબેન મહેતા સાથે કુબેર દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા જાણવા જેવી હકીકત એ છે કે ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા થોડા સમય પહેલાં જ કોરોના સંક્રમિત થયા હતા અને ૧૭ દિવસ સુધી કોરોન્ટાઈન રહી સ્વસ્થ બની કુબેર દાદાના દર્શને આવી…
Read Moreરાજેશ પરમાર નાયબ પોલીસ વડા દ્વારા નર્મદા જિલ્લા ના પોલીસ જવાનો ને કોરોના ના સંક્રમણ બચવા અને કોરોના ટેસ્ટ કરવા અને કોરોના વિષે માહિતી આપી હતી
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લા માં દિવસે દિવસે કોરોના દર્દીઓ ની સંખ્યા વધતી જાય છે ત્યારે રાજપીપળા ના ડી વાય એસ પી પરમાર દ્વારા આજ રોજ દરેક પોલીસ સ્ટેશન જઇ ને પોલીસ જવાનો ની મુલાકાત લીધી હતી તેમને જવાનો ને જણાવ્યું હતું કે તેઓ ને કોઈ પણ જાત ની તકલીફ હોય તો તરત જ હોસ્પીટલ માં સારવાર માટે જતા રહેવું અને કોરોના નો ટેસ્ટ ફરજિયાત કરવો અને જે જવનો કોરોના સંક્રમિત થયા છે તેઓની વિડિઓ કોલ દ્વારા રોજ તેમને સ્વસ્થ કેવું છે તેની ખબર પૂછે છે એને તેમને…
Read Moreદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના
હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા ચોમાસુ બેસે તે પહેલા જળસંચયનો વ્યાપ વધારવા રાજય સરકારનું આયોજન છે. આ આયોજનનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અમલ થઇ રહયો છે. જે અંતર્ગત ખંભાળીયા તાલુકાના હંજરાપર ગામેથી જિલ્લાના કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ગઇકાલે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ (ચોથો તબકકો) ૧ એપ્રીલ ૨૦૨૧ થી ૩૧ મે ૨૦૨૧ સુધી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિભાગો જેવા જળસંપતિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વન વિભાગ, ડી.આર.ડી.એ. વિભાગ દ્વારા જિલ્લામાં…
Read Moreરાજપીપલા મા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૨૦૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૩૫૩ થઈ
હિન્દ ન્યૂઝ, રાજપીપલા રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૩, હોમ આઇસોલેશનમા ૩૧ દરદીઓ અને વડોદરા ખાતે ૦૯ દરદીઓ સહિત કુલ-૧૦૫ દરદીઓ સારવાર હેઠળ, જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૪,૬૫૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ, ૭૬ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૬ ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ-૧૬…
Read More