દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા કલેકટર ડો.નરેન્‍દ્રકુમાર મીના

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા 

    ચોમાસુ બેસે તે પહેલા જળસંચયનો વ્‍યાપ વધારવા રાજય સરકારનું આયોજન છે. આ આયોજનનો દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં પણ અમલ થઇ રહયો છે. જે અંતર્ગત ખંભાળીયા તાલુકાના હંજરાપર ગામેથી જિલ્‍લાના કલેકટર ડો.નરેન્‍દ્રકુમાર મીનાએ ગઇકાલે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ વર્ષે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ (ચોથો તબકકો) ૧ એપ્રીલ ૨૦૨૧ થી ૩૧ મે ૨૦૨૧ સુધી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.

તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જુદા જુદા વિભાગો જેવા જળસંપતિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વન વિભાગ, ડી.આર.ડી.એ. વિભાગ દ્વારા જિલ્‍લામાં જળ સંચયના કુલ ૨૨૦ કામો રૂ.૬૬૩.૧૯ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ યોજનાનો હંજરાપર ગામેથી પ્રારંભ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, ખંભાળીયા મામતદાર લુકકા, કાર્યપાલક ઇજનેર મકવાણા, એન્‍જીનીયર જયદીપ પટેલ ભાજપ આગેવાન પી.એસ.જાડેજા, હંજરાપરના સરપંચ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

અહેવાલ : આશિષ નકુમ, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment