હિન્દ ન્યૂઝ, માણાવદર સરકારી હાઈસ્કૂલ બાંટવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંટવા ના સંયુક્ત ઉપક્રમે શાળામાં વિદ્યાર્થીઓ કોરોના અંગેની જાગૃતતા અને સમજણ કેળવે તે માટેનો સેમિનાર યોજાયો હતો. હાલના વર્તમાન સમયમાં કોરોના વૈશ્વિક મહામારીનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે, ત્યારે શાળાના આચાર્ય કે.એલ.સુવા ની પ્રેરણાથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બતવાના સહયોગથી વિદ્યાર્થીઓમાં કોરોના અંગેની જાગૃતિ આવે તેમજ વિદ્યાર્થીઓ ખોટી અફવાહોથી ગેરમાર્ગે ન દોરાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.વી.એસ.પટેલ તેમજ રાજશીભાઈ બોરખતરિયા દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં માસ્ક, સેનિટાઈઝર, સામાજિક અંતર વગેરેનું પાલન…
Read MoreDay: April 5, 2021
દેવગઢ બારીઆ ખાતે મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત એકલાખ રૂપિયા ની લોન
હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીઆ તા.05/04/2021ના રોજ દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે પ્રમુખ ચાર્મીબેન નીલ સોની, સભ્ય સજ્જનબા ગોહિલ, ચીફ ઓફિસર વિજયકુમાર ઈટાલીયા અને શહેરી આજીવિકા કેન્દ્રના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ રાઠોડ અને મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવાની રૂબરૂમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામણી બેંક દ્વારા મંજૂર થયેલ લોન રૂપિયા.1,00,000/- (અંકે રૂપિયા એક લાખ પુરા)નો ચેક અને મંજૂરીપત્ર આસમાં સ્વ સહાય જૂથના પ્રમુખ અને મંત્રીને આપવામાં આવ્યો. રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારીઆ
Read Moreનર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની વયનાં ને ગત સાંજ સુધીમાં ૫૫ હજારથી વધુને કોરોના વેક્સીન અપાઇ
હિન્દ ન્યૂઝ, નર્મદા કોરોના વિરોધી રસી લીધા બાદ રાજપીપલાના સ્વામીનારાયણ ગુરૂકુળના સંત શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીની કોઇપણ જાતની ગભરાહટ વિના આપણા રાષ્ટ્રની સ્વદેશી વેક્સીનનો તમામ વ્યક્તિઓને નિ:સંકોચ પણે લાભ લઇ પ્રત્યેક લાભાર્થી અન્ય દસ વ્યક્તિઓને રસી મૂકાવવા પ્રેરિત કરે તેવી હ્રદયસ્પરર્શી અપીલ ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે રસીકરણની કામગીરી આગળ ધપી રહી છે. તેમ જણાવતાં નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, આજે રાજપીપલાના શહેરી વિસ્તારમાં સુપર સ્પ્રેડર તરીકે લારી-ગલ્લાવાળાઓને વેકસીન આપવાની અને…
Read Moreદિયોદર માનવ સેવા સંગઠન દ્વારા ઉનાળા ઋતુ માં કુંડા અને ચકલીઘર નું વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર ઉનાળા ઋતુ ની શરૂઆત થતા પશુ પક્ષીઓ માટે સેવાભાવી લોકો દ્વારા અનેક સેવાક્રિય પ્રવુતિ કરવામાં આવે છે. જેમાં વર્તમાન સમય ગરમી નું પ્રમાણ વધતા દિયોદર માનવ સેવા સંગઠન દ્વારા શહેર ના વિવિધ સ્થળો જેવા કે બગીચાઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્મશાન ધામ વગેરે સ્થળો પર પાણી ના કુંડા અને પક્ષી ઘર પોતાની સયુંકત ટીમ સાથે જઈ ને પક્ષીઘર તેમજ કુંડા ઝાડ ઉપર બાંધી કુંડા ની અંદર પક્ષીઓને પીવા પાણી ભરવામાં આવ્યુ હતું. જેમાં રતનસિંહ ભાટી, સંજયભાઈ ઠાકોર (ફોરેસ્ટ વિભાગ), જયેશભાઇ પરમાર વગેરે યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં…
Read Moreથરાદ ના પીલુડા ખાતે મેગા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ ના પીલુડા ખાતે મેગા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં 1123 લાભાર્થી લોકોએ તપાસ કરાવી દવાનો લાભ મેળવ્યો. 72 લોકોનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો અને 87 લોકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું. 15 નિષ્ણાત ડોક્ટર અને લેબોરેટરી ટેકનીશીયન દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી. 43 લોકોએ કોરોના વેક્સિનલીધી. એન.એસ.એસ 30 જેટલા વોલેન્ટિયર્સએ સરાહનીય સેવાઓ આપી. ભારત વિકાસ પરિષદ થરાદ ના 34 સભ્યઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો. બધા લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું. દાતા દ્વારા કેમ્પના તમામ ખર્ચની રકમ આર્થિક સહયોગ સ્વરૂપે આપવામાં આવી. રિપોર્ટર…
Read Moreસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ – ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવા મળશે કઠપુતળીનાં ખેલ
હિન્દ ન્યૂઝ, નર્મદા કઠપુતળીનાં ખેલથી બાળકોને મનોરંજન સાથે પોષણક્ષમ આહાર વિષે માહિતી મળશે અને ભારતની પ્રાચીન કળાની ઓળખ પણ થશે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર – પ્રસાર પણ થશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની ચૂકયું છે, પ્રતિમાને વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન પણ મળ્યું છે. કેવડિયા પ્રવાસનધામની સાથે સાથે વિવિધતામાં એકતાનો સંદેશ પણ સમગ્ર વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે દરેક વયજૂથના પ્રવાસીઓ માટે આકર્ષણ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ કુપોષણ મુક્ત ભારતનાં…
Read Moreશહેર ભાજપ દ્વારા આર્મી ની ફરજ પૂર્ણ કરી આવતા વીર જવાન નું ભવ્ય સ્વાગત થયું
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયા ના વીર જવાન ધીરેન્દ્રસિંહ ઉદયસિંહ ચુડાસમા જે 16 વર્ષ સુધી આર્મી મા સફળતા પૂર્વક દેશ ની સેવા કરી આજરોજ ફરજ માથી નિવૃત થઈ જામ ખંભાળિયા નગરગેટ ખાતે પધારતા શહેર ભાજપ દ્વારા તેમનું વંદે માતરમ ભારત માતા કી જય ના નારા સાથે ફુલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આજરોજ છતીશગઢ સુકમાં બોર્ડર પર નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા 22 વીર જવાન ને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ…
Read Moreઈડર તાલુકા ના ગણેશપુરા ગામ માં કૉવીડ-19ની વેક્સીન ની પહેલા તથા બીજા તબક્કા ની કામગીરી શરૂ
હિન્દ ન્યૂઝ, ઈડર ઈડર તાલુકા ના ગણેશપુરા ગામ માં કૉવીડ-19ની વેક્સીન ની પહેલા તથા બીજા તબક્કા ની કામગીરી શરુ તા. 3.2.21ના રોજ ગણેશપુરા તથા શેરપુર તથા નેત્રામલી ગામ ના 45 થી વધુ ઉમર ના માટે કૉવીડ-19ની વેક્સીન માટે ની કામગીરી ચાલુ કરેલ જેમા આજુ બાજુના દરેક નાગરીકને વેક્સીન નો લાભ લીધો હતો અને આ મહામારી થી બચવા લોકો ઊમટી પડ્યા હતા અને દરેક નાગરીક સરકાર નાં ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડિસ્ટન્સ તથા માસ્કનુ પાલન કરેલ. જેથી આ સંક્રમણ ને નાથી સકાય. રિપોર્ટર : હસન…
Read Moreચોટીલા-થાન તરફ જતા મોર્ડન સ્કૂલ માં કોરોના નો પગ પેસરો થયાની ચર્ચા
હિન્દ ન્યૂઝ, ચોટીલા સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી છાત્રાઓ સંક્રમણ આવી શિક્ષકો પણ કોરોના વાયરસમાં સંક્રમિત થયાની ઉઠી ચર્ચા બહારગામ થી અપડાઉન કરતા શિક્ષકો કોરોનામાં સંક્રમિત થયાની ચર્ચા કોરોના વાઇરસની બીજી લહેરમાં 38 શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સહિત કુલ 47 લોકો કોરોનામાં સંક્રમિત થયાની ચર્ચા હાલ શિક્ષણ વિભાગનાં અધિકારી તેમજ આરોગ્ય કર્મચારીઓ સ્થળ પહોંચ્યાનું બહાર આવ્યું રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા
Read More