હિન્દ ન્યૂઝ, કાલાવડ કાલાવડ તાલુકાના રણુંજા ધામે આવેલ હિરાબાપાની જગ્યામાં છેલ્લા એક વર્ષથી શ્રી રામદેવપીર મહારાજનું નવુ મંદિર બનીને તૈયાર થઈ ગયેલ છે અને કોરોનાના કહેરને પરીણામે નવુ આકાર બની ગયેલ મંદિર ભગવાન વિના સુનુ જોવા મળી રહ્યુ છે. સમય જતા કોરોના કેસોમાં સતત ઘટાડો થતા સમસ્ત ભરવાડ સમાજની મીટીંગ બોલાવીને તમામની સહમતિથી આગામી ચૈત્રસુદ અગિયારસને શુક્રવાર તારીખ ૨૩/૦૪/૨૦૨૧ થી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરેલ હતુ પરંતુ હાલમાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને વધતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રણુંજા મુકામે કાલાવડ ઉપરાંત બીજા…
Read MoreDay: April 13, 2021
ડીસા તાલુકાના ભીલડી ટોલનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ટોલનાકા પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. માહિતી અનુસાર આજે ડીસા તાલુકાના ભીલડી ટોલનાકા પાસે એક્ટિવા ચાલક મહિલા જે પોતાની એકટીવા લઇ જઇ રહી હતી તે દરમિયાન ટ્રક ચાલક પોતાનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મહિલા ટ્રકના ટાયર નીચે આવી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે આ સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા. એહવાલ : કંચનસિહ વાઘેલા, ડીસા
Read Moreપ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લાભરમાં ઉનાળાની આકરી સિઝનમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટી દ્વારા જિલ્લામાં સાત હજારથી વધુ પાણીના કુંડા પક્ષીઓના માળા અને પક્ષી ચણ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે. પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સમગ્ર ભારતમાં વર્ષ ૨૦૧૦થી કાર્યરત છે જે પશુઓ પર થતાં અત્યાચાર અટકાવવાની તેમજ પશુઓને કતલખાને જતા અટકાવવા ની પ્રવૃત્તિ ઉપરાંત પશુ પક્ષીઓને નિભાવ તેમની આજીવિકા તેમના રક્ષણ માટે ની પ્રવૃત્તિઓ કરી રહી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાણી…
Read Moreજૂનાગઢ ખાતે આવતી કાલથી શરુ થતા પવિત્ર રમઝાન માસ અનુસાર શાંતિ સમિતિ ની મિટિંગ યોજાય
જૂનાગઢ ખાતે માગરોળ પોલિસ વિભાગ દ્રારા આવતી કાલથી શરુ થતા પવિત્ર રમઝાન માસ અનુસાર શાંતિ સમિતિ ની મિટિંગ યોજાય હતી. જેમાં ડી.વાય.એસ.પી.પુરોહિત ની અઘ્યક્ષતામા યોજાય હતી. જેમા રમઝાન માસ દરમીયાન રાત્રીએ 11.30 સુઘી દુકાનો ખુલ્લી રાખી શકશે, સોશિયલ ડીસ્ટન પાલન કરવા અને માસ પહેરવા પોલીસ વિભાગે સુચન કર્યુ હતુ. મૈયતમા જતા લોકો ફરજીયાત માસ પહેરે એમ પી. એસ.આઈ. સોલંકીએ જણાવ્યુ હતુ. આ મિટિંગ મા માગરોળ પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલા, મુસ્લીમ આગેવાન યુસુફભાઈ પટેલ, બૈતુલમાલ પ્રમુખ હાજીહનીફભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મનોજ વિઠ્ઠલાણી, શહેર ભાજપ પ્રમુખ સહિત હિન્દુ -મુસ્લીમ આગેવાનો હાજર…
Read Moreજુનાગઢ જિલ્લા નાં માંગરોળ તાલુકાના સબ જેલમા કેદીઓ થયા કોરોના સંક્રમિત
હિન્દ ન્યૂઝ, જુનાગઢ જુનાગઢ જિલ્લા નાં માંગરોળ તાલુકાના સબ જેલમા કેદીઓમા કોરોના વિસ્ફોટ થતા તંત્ર ભયભીત 39 માથી 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત 13 દર્દીઓ ને જુનાગઢ સારવાર માટે ખસેડાયા એક કેદીને જામીન મળતા તેમના ઘરે જ હોમકોરોનટાઈન કરાયા વિવિધ શહેરોની 7 જેટલી 108 દ્રારા પોલીસ કાફલા સાથે કડક બંદોબસ્ત રાખી દર્દીઓ ને જુનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે રવાના કરાયા આ પ્રસંગે માગરોળ નાં મામલતદાર, ડી.વાય.એસ.પી. પુરોહીત, પી.એસ.આઈ સોલંકી સહીતના પોલીસ જવાનો અને 108 ના સ્ટાફે ફરજ બજાવી રિપોર્ટર : આમદ બી, જૂનાગઢ
Read Moreજામનગર ખાતે યોજાનાર આર્મી ભરતી-૨૦૨૧ની લેખિત પરીક્ષા કોરોનાના સંક્રમણને કારણે મોકુફ રખાઈ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ દેવભૂમિ દ્રારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલી-૨૦૨૧માં પાસ થયેલ ઉમેદવારોમાટે આર્મી ભરતીની લેખિત પરીક્ષા ૨૫-૦૪-૨૦૨૧ના રોજ શ્રી સત્યસાઈ વિધાલય જામનગર ખાતે યોજવાની હતી. કોરોનાના સંક્રમણના કારણે આ લેખિત પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે. આ પરીક્ષા અંગેની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જેની સૌરાષ્ટ્ર અને કચ્છના ઉમેદવારોને નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
Read Moreગીર સોમનાથ જિલ્લામાં કોરોના ટેસ્ટની કામગીરી પુરજોશમાં
હિન્દ ન્યૂઝ , ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સર્તક છે. સંક્રમણ વધે નહી તે માટે કોરોનાના ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. અને જિલ્લાભરમાં કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં આર.ટી.પી.સી.આર અને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, કોડીનાર, ગીર ગઢડા અને ઉના તાલુકામાં કોરોના ટેસ્ટીંગ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ૩૪ આરોગ્ય ધનવંતરી રથ દ્રારા અસંખ્ય લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય રથ દ્રારા લોકોના ઘરે ઘરે જઈ આરોગ્યની સારવાર…
Read Moreકોવિડશિલ્ડ વેકસીન લેતા હેતલબેન વ્યાસ
હિન્દ ન્યૂઝ ,ગીર સોમનાથ કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોનાનુ સંક્રમણ ધટાડવા સરકારે કોરોના ટેસ્ટ, રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા મોટાપ્રમાણમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાળા કોડીનાર ગીર ગઢડા અને ઉના તાલુકામાં લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવી હતી. લોકોને વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. કોવિશિલ્ડ વેકસીન લઈ હેતલબેન વ્યાસ(ઉ.વ.૩૭)એ જણાવ્યું હતું. મને અહિંયા કોઈપણ પ્રકારના ચાર્જ વગર નિશૂલ્ક કોરોના વેકસીન આપવામાં આવી હતી. ત્યારબાદ નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈપણ પ્રકારની…
Read Moreયુવા સંગઠન દ્વારા ગૌહત્યા, ગૌ તસ્કરી અને કતલખાના બંધ કરવાની માંગ સાથે આમરણ ઉપવાસ
હિન્દ ન્યૂઝ, વેરાવળ તા.12/04/2021 ના હિન્દુ યુવા સંગઠન ના જિલ્લા અધ્યક્ષ જતીન બાપુ રવિ નો આમરણાંત અનશન નો 10 મો દિવસ હોય તેમ છતાં કોઈ સતા પક્ષ ના નેતા ઓ એ આ છાવણી ની મુલાકાત પણ લીધી નથી. ત્યારે વેરાવળ ના એક યુવાન યોગેશ પ્રવીણ ભાઇ રૂપારેલ જેમની 3 નળી ઓ બ્લોક હોય. જેમનું હૃદય 15% જ કામ કરતું હોય. તેવા ઉત્સાહી અને ધર્મ પ્રત્યે ની લાગણી ધરાવતા આવા યુવાન આગળ આવતા હોય અને આજે એક દિવસ નો પ્રતીક ઉપવાસ કરી જતીન બાપુ ને સમર્થન આપે છે. તો સમાજ ના…
Read Moreશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પાસે કોરોના પ્રુફ છે ? આખો જિલ્લો બંધ તો SOU કેમ ખુલ્લું ?
હિન્દ ન્યૂઝ, નર્મદા એક તરફ નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની ચેન તોડવા 13 મી એપ્રિલથી 15 એપ્રિલ દરમીયાન આખો નર્મદા જિલ્લો સ્વયંભુ બંધ રહેશે. તો બીજી બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું હશે, એ પ્રશ્ન ઊઠી રહ્યા છે. બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને લીધે જો ભવિષ્યમાં જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો એનો જવાબદાર કોણ ? એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને ડેડીયાપાડા, સાગબારા, સેલંબાના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજપીપળા શહેર, કેવડિયા, તિલકવાડા,…
Read More