લાખણી તાલુકાના લવાણા ગામ એ લાંબા સમય બાદ વરસાદનું આગમન

લાખણી, ઉત્તર ગુજરાતમાં ઘણા સમયથી ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં નહિવત વરસાદ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામ એ નહિવત વરસાદ ના કારણે ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. જેમાં ચોમાસુ ખેતીમાં નુકસાન આવવાની સંભાવના વ્યક્ત કરી હતી, ત્યારે આજે લાખણી તાલુકાના લવાણા ગામ એ લાંબા સમયના વિરામ બાદ ઘોઘમાર વરસાદ નું આગમન થયું હતું. રિપોર્ટ : ભરતભાઈ ચૌહાણ, લાખણી

Read More

દિયોદર તાલુકાના લવાણા ગામે રામજી મંદિર ની આરતી મહંત શ્રી કૌશલ દાસ રામાનંદજી દ્વારા કરવામાં આવી

દિયોદર, ગત રોજ અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે લવાણા ગામે રામજી મંદિરે મહા આરતી નુ આયોજન મહંત શ્રી કૌશલદાસ રામાનંદી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરપંચ તથા ટીપી રાજપુત જિ લ્લા ભાજપ મંત્રી તથા દિનેશભાઈ મિસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદ તથા રાજેંદ્ર ગીરી ગોસ્વામી શક્તિપીઠ ભાજપ તથા સાગર ગજ્જર યુવા ભાજપ લાખણી તથા રામજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહી મહાઆરતી માં ભાગ લીધો હતો. ત્યાર બાદ ફટાકડા ફોડી જય બોલાવી આનંદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ : ભરતભાઈ ચૌહાણ, લાખણી

Read More

બોડેલીનો “રાજવાસણા ડેમ” વરસાદના અભાવે ખાલીખમ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ સીઝનમાં વરસાદ એકદમ નહિવત હોવાથી બોડેલી તાલુકાના હેરણનદી ઉપરનો રાજવાસણા ડેમ બિલકુલ ખાલી થઇ ગયો છે. ગયા વર્ષે કવાંટ તાલુકાના ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાથી પાણીની આવક વધુ થયેથી ૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ સપૂર્ણપને ડેમ છલકાઈ ગયો હતો. રાજવાસણા ડેમ આસપાસના વિસ્તાર તેમજ નજીકના ગામના ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. પણ વર્ષોથી બનેલા ડેમમાં દર વર્ષે પાણીની સાથે માટી-કાંપ પણ વધુ પ્રમાણમાં આવતી હોવાથી ડેમમાં માટી કાંપનું પ્રમાણ વધી ગયું છે. જેથી પાણીનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થતો નથી.પણ આ વર્ષે મેઘરાજા જોરદાર વરસ્યા નથી. જેથી આજે આ…

Read More

રાજકોટ શહેર રામ મંદિર શિલાન્યાસના પ્રસંગને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી

રાજકોટ, રાજકોટ શહેર રામ મંદિર શિલાન્યાસના પ્રસંગને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી. ભાજપના આગેવાનો ફટાકડા ફોડી, એકબીજાને મો મીઠા કરાવી, જય જય શ્રીરામના નારા લગાવીને કરી ઉજવણી, ભાજપ કાર્યાલયમાં રંગોળી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યાલય રામના ફોટોથી સજાવવામાં આવ્યું, ભાજપના આગેવાનો રમ્યા રાસ. રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Read More

આજ રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે વિવિધ ધાર્મિક , સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા

ગીર સોમનાથ, શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૧૧:૦૦ વાગ્યે શ્રી હનુમાન ચાલિસાના પાઠ તેમજ બપોરે ૧૨:૧૫ વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન સોમનાથજીની મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ શ્રીરામ જય રામ જય જય રામના મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માન . ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી પણ ડીઝીટલ માધ્યમથી વિડીયો કોલીંગથી ઈ – પૂજા સંકલ્પમાં જોડાયા હતા. સાંજે ૦૪:૩૦ વાગ્યાથી ટ્રસ્ટના રામ મંદિર ખાતે વેરાવળના સુંદરકાંડ ગ્રુપ દ્વારા સુંદરકાંડના પાઠ તેમજ સાંજના સમયે દિવડાઓથી મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિરમાં પણ ભગવાનને દીપમાળા…

Read More

જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી મેંગો માર્કેટ પાસે છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો અકસ્માત સર્જાયો

જૂનાગઢ, જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી મેંગો માર્કેટ પાસે મીની ટ્રેકટર અને ફોરર્વ્હીલ વચ્ચે ધડાકાભેર અકસ્માત છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો અકસ્માત સર્જાયો Gj 03 C.E 3488 નંબર ની ફોરર્વ્હીલ સાથે મીની ટ્રેક્ટર અથડાતા સર્જાયો અકસ્માત સબ નસીબે જાનહાની ટળી રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે 3 સગર્ભા માતા સાથે વિડીયો કોલિંગ તેમજ ૧ સગર્ભા માતા સાથે ટેલિફોનિક સંવાદ કરી સ્તનપાનના ફાયદા વિશે સમજ આપી

ગોધરા, વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટમાં સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સપ્તાહના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ દ્વારા ચાર સગર્ભા માતાઓ સાથે સંવાદ દરમિયાન સગર્ભા માતાના ખબર અંતર પૂછી બાળકના સર્વોત્તમ વિકાસ અને વૃદ્ધિ માટે માતાનું પહેલું ધાવણ ખુબજ જરૂરી હોવાની સાથે પહેલા ૧૦૦૦ દિવસમાં બાળકનો વૃદ્ઘિ અને વિકાસ ઝડપથી થાય છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. આ દિવસોમાં બાળકની જો વિશેષ કાળજી રાખવામા આવશે તો બાળકની તંદુરસ્તી માટે આજીવન મદદરૂપ બની રહે છે તેની સમજ આપી હતી.…

Read More

કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ આપવા કરી માંગ…

કેશોદ, જુનાગઢ કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ આપવા કરી માંગ…. આરોગ્ય સચિવને કરવામાં આવી રજુઆત… સ્થાનિક અને જીલ્લા આરોગ્ય તંત્ર એકબીજાને આપી રહ્યું છે ખો…. કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ ન અપાતા પોઝીટીવ રીપોર્ટની દર્દીને ખાત્રી શુ?… રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ થી પેસન્ટ ને રિફર કરી આવતી વખતે સર્જાયો અકસ્માત

કેશોદ, જૂનાગઢ – સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી નજીક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે ધનખૂટ અથડાતા સર્જાયો ધડાકાભેર અકસ્માત રાજેસ્થાન પાસિંગ R.J 19.PA.3670 નંબર ની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે ધનખૂટ અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત સર્જાતા ધનખૂટ નું મોત જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર અવાર નવાર અકસ્માત ના બનાવો બનવા છતાં તંત્ર નિદ્રામાં. રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

એક મુસ્લિમ બહેન, હિન્દુ ભાઈ ને “રક્ષાસૂત્ર ” સાથે અર્પણ કરતી કોરોના મુક્તિની દુવાઓ

  કેશોદ, આજના ભાઈ બહેનના હેત પ્રેમ લાગણીઓ, વાત્સલ્યનનો પર્વ સમગ્ર દેશ અને પુરા વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે મનાવાય છે, ત્યારે તેમાં નાત જાતના ભેદભાવને તિલાંજલિ આપી આવા ઉદાહરણ રૂપ કે જે સમગ્ર માનવ સમાજને એકતાંતણે બાધતા કિસ્સાઓ પણ સામે આવતા હોય, જે નવી દીશા અને અનૂકરણીય પગલા તરીકે પણ સ્વીકારવાજ પડે છે, તેવું જ ઉત્તમોત્તમ ઉદાહરણ કેશોદ મુસ્લિમ સમાજના મહિલા લોકસેવીકા અને કેશોદ શહેર કોંગ્રેસ મહિલા પાંખના હોદેદાર અને ખાશ તો “મુસ્લિમ મહિલા અધિકાર મંચ ” ના અધ્યક્ષા રીઝવાના બહેન ટાંક દ્વારા કેશોદના પત્રકાર જઞદીશભાઈ યાદવને પોતાના મોટાભાઈ સમાન માન…

Read More