શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગા અવતરણ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ  શ્રાવણ માસના દસમા દિવસે સોમનાથ મહાદેવને શ્રી ગંગા દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. માતા ગંગા શિવજીની જટામાં સમાઈને ભાગીરથી બન્યા હતા. તે વૃતાંતને દર્શનમાં સુંદર રીતે આલેખવામાં આવ્યો હતો. રાજા સગરના વંશજ ભગીરથ તેમના 60 હજાર પૂર્વજોને મોક્ષ મળે તે માટે માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગતા હતા. તેમણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરીને ગંગાને ધરતી પર લઈ જવાનું વરદાન મેળવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે પૃથ્વી ગંગાની ગતિ અને વેગ સહન કરી શકે તેમ ન હતી. પછી બ્રહ્માજીના સૂચન પર, ભગીરથે કઠોર તપ કરીને…

Read More

મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિ રહેતા હોવાનું માલુમ પડ્યે પાંચ આવાસ સીલ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ – પોપટપરા, મારૂતિના સર્વિસ સ્ટેશન પાછળ, વીર સાવરકર ટાઉનશીપ – પોપટપરા, પેટ્રોલ પંપ પાસે, ભગીની નિવેદીતા ટાઉનશીપ – પોપટપરા, રોણકી ગામના પાટીપા પાસે, શહિદ ઉધમસિંહ ટાઉનશીપ – કુવાડવા રોડ, ડી માર્ટ પાસે મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૨૪/૦૮/૨૦૨૩ અને તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ કુલ ૦૫ (પાંચ) આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Read More

સોમનાથ મહાદેવની નીશ્રામાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથામાં આજે શિવ વિવાહ પ્રસંગ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ       સોમનાથ મહાદેવના સાનિધ્યે ચાલી રહેલ શિવ મહાપુરાણ કથામાં વક્તા પ્રજ્ઞાચક્ષુ ડો.કૃણાલભાઈ જોષી ના વ્યાસાસને ચાલી રહી છે, કથા પ્રસંગમાં આજે શિવ વિવાહનું આયોજન કરવામાં આવેલ. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો અને ભક્તો દ્વારા ઢોલનગારા અને મંત્રોચ્ચાર સાથે મહાદેવની જાન અહલ્યાબાઇ મંદિર ખાતે થી નિકળેલ હતી, શ્રાવણ માસે ભગવાન શિવ નગરચર્યા નિકળેલા હોય એવો ભાવનાત્મક માહોલ પ્રભાસના માર્ગમાં સર્જાયો હતો. શિવવિવાહની પૂજા વિધિ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા યજમાન પદે કરવામાં આવેલ, જેમાં ઉપસ્થીત ભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

Read More

Indian Smart Cities Award Competition (ISAC2022)માં રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન 2022 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ કરવામાં આવેલ “અટલ સરોવર” પ્રોજેક્ટ માટે મળેલ છે. આગામી માસ તારીખ 27-28 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુના વરદ હસ્તે એવોર્ડ સુપરત થનાર છે, તેમ માન. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન…

Read More

વીરનગર ગામની નાલંદા શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકીય કાનૂની સેમીનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ તાલુકાના વીરનગર ગામની નાલંદા શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકિય – કાનુની સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં જસદણ ન્યાયાલયના તાલુકા લીગલ સેવા સમિતિના અધ્યક્ષ – પ્રિન્સિપાલશ્રી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે, સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠકકર, રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા તેમજ સેક્રેટરી જે.એન.સોયા ના માર્ગદર્શન નીચે જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ અને રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના લીગલ એડવાઈઝર પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને કાનૂની માહિતી અને માર્ગદર્શન તેમજ ટ્રાફિકના કાયદાઓ વિશે માહિતી આપેલ. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડિયર…

Read More

શિવરાજપુર ગામે સ્લેબ ટ્રેડ નુ લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ તાલુકાના ગાયત્રી સોસાયટી મંદિર વાળા રોડ ઉપર સ્લેબ ટ્રેડ નું લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભુપતભાઈ બોદર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હરેશભાઈ, રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી, જસદણ તાલુકા તેમજ શહેરના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ. શિવરાજપુર ગામ વતી રાજુભાઈ ચાવડા તેમજ યુવા ટીમ દ્વારા તમામ આગેવાનોના સન્માન…

Read More

રાજકોટ શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘દીકરી વેદના ગ્રુપ’ નાં સંસ્થાપક નીરૂબેન ભરવાડ (ભરૂચ) નાં જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ         ‘દીકરી વેદના ગ્રુપ’ ના સંસ્થાપક નીરૂબેન ભરવાડ (ભરૂચ) નાં જન્મદિવસ નિમિત્તે આજરોજ રાજકોટ શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.         ‘દીકરી વેદના ગ્રુપ’ નાં નીરૂબેન ભરવાડ જેઓ નું મુખ્ય લક્ષ્ય ભરવાડ સમાજને કુરિવાજોથી દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજકોટના સાંઈ મંદિરના ટ્રસ્ટી અને સમાજ સેવિકા એવા અંજુબેન ધોળકિયા સાથે સેન્ટ ગાર્ગી સ્કૂલના પ્રિન્સિપલ રમાબેન હેરભા દ્વારા શ્રી શંખેશ્વર મહાદેવ અને સાંઈ બાબા ની પૂજા આરતી કરી, કેક કાપી ને ‘દીકરી વેદના ગ્રુપ’ના સંસ્થાપક નિરૂબેન…

Read More

હરિ-હર ની પાવન ભૂમિ માં આજથી શ્રી શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ           શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદ નોમના ના દિવસથી સોમનાથમા શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ થયો છે, કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ડો.કૃણાલભાઈ જોષી ના મુખે થી તા.25 થી 28 ઓગસ્ટ દરમિયાન સોમનાથ ખાતે થનાર છે.  પ્રભાસ હરિ હર ની પાવન ભૂમિ છે, જ્યાથી ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુઠનું મહાપ્રયાણ કરેલ, સાથે જ પૃથ્વી પર ભગવાન શિવ નું પ્રથમ અવતરણ આ ભૂમિ મા થયુ હોવાથી હરિ-હર ક્ષેત્ર થી પણ આ પ્રભાસ ક્ષેત્ર સુપ્રસિદ્ધ છે.       આ કથાની પોથીયાત્રા શ્રી સોમનાથ…

Read More

શ્રાવણ શુક્લ અષ્ટમી ના દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો પીળા પુષ્પોનો શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ    માસમાં સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવનાર ભક્તો સોમનાથ મહાદેવના વિશેષ સ્વરૂપના દર્શન કરી શકે તેના માટે પ્રતિદિન વિશેષ સાયં શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્રાવણ માસના આઠમા દિવસે સોમનાથ મહાદેવને પીળા પુષ્પોનું શણગાર કરવામાં આવ્યો હતો. આજે બૃહસ્પતિ વાર એટલે કે ગુરુવાર છે, ત્યારે બૃહસ્પતિ ના રંગ પીળા રંગથી સોમનાથ મહાદેવનું શોભન કરવામાં આવ્યું હતું. પીળો રંગ શુદ્ધ અને સાત્વિક વૃત્તિ નું પ્રતિક માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાનના કર્તાહર્તા ગુરુ નું પ્રતીક છે. પૂજામાં આ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં…

Read More

ભાવનગર ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન એટલે માહિતી, માર્ગદર્શન અને જાગૃતતા સંદેશનો ત્રિવેણી સંગમ

હિન્દ ન્યુઝ, ભાવનગર        કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના અટલ ઓડિટોરિયમ ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન ભાવનગરના યુવા વર્ગને આકર્ષી રહ્યું છે. બહોળી સંખ્યામાં ભાવનગરના નગરજનો સહિત યુવાવર્ગ આ પ્રદર્શનની મુલાકાત લઈ સરકારની વિભિન્ન યોજનાઓ સહિત અભિયાનો અંગે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ ફિટ ઇન્ડિયા ક્વિઝ, વર્ચ્યુઅલ રિયાલિટી, સેલ્ફી કોર્નર, ફોટો પોઇન્ટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.  પ્રદર્શન અને તેના મુલાકાતીઓ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટ થી શરૂ થયેલ…

Read More