રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી શ્રાવણ માસના સોમવાર તા.૨૧/૦૮/૨૦૨૩, તા.૨૮/૦૮/૨૦૨૩, તા.૦૪ ૦૯/૨૦૨૩, તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ તથા તા.૦૭/૦૯ ૨૦૨૩ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી : આનંદ પટેલ (કમિશનર…

Read More

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ                 ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની રત્નાકર સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તિમય વાતાવરણમાં શરૂઆત થઇ ચુકી છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના મનોરથ સાથે સોમનાથ પહોચી રહ્યા છે. વેહલી સવારે 5:30 વાગ્યે મંદિરના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી રહ્યો છે.  શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જઈ રહ્યો છે ત્યારે યાત્રીઓને વધુ…

Read More