દબાણ હટાવ શાખા દ્વારા ૫૧ રેંકડી / કેબીન તથા ૪૦૬ બોર્ડ / બેનરો જપ્ત કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૨૧/૦૯/૨૦૨૩ થી ૨૯/૦૯/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૫૧ રેકડી/કેબીન તે મવડી મેઈન રોડ,રૈયા ચોકડી,રાણી પાર્કે નંદનવન,પુષ્કરધામ, જામનગર રોડ, છોટુનગર, આહીર ચોક,જ્યુબેલી વન-વે, નિલકંઠ ચોક, ગોંડલ ચોકડી, હુડકો ચોકડી, કોઠારીયા સોલવન્ટ, માર્કેટીંગ યાર્ડ પાસેથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૧૦ પરચુરણ ચીજ વસ્તુઓ તે ચંદ્રેશનગર, એસ.કે.ચોક, મહદેવ મંદિર પાસે,…

Read More

“પી.એમ. સ્વનિધિ” યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરતા કેન્દ્રીયમંત્રી ડૉ. ભાગવત કરાડ

હિન્દ ન્યુઝ, રાજકોટ  શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા વધુમાં વધુ લોન આપવા નાણા રાજ્ય મંત્રીની બેંકર્સને સૂચના : ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની તા.૨૯/૦૯/૨૦૨૩ના રોજ સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાનાર બેઠકમાં ભારત સરકારશ્રીના માનનીય નાણા મંત્રી (રાજ્ય કક્ષા) શ્રી ડૉ. ભાગવત કરાડ, કેન્દ્રિય નાણા મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ       ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે “ગાંધી ધૂન” કાર્યક્રમ યોજાશે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાંગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે. આ મ્યુઝીયમનું આપણા દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ…

Read More

ખંભાતના નવરત્ન ટોકિઝ પાસે ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2ના મોત અને 2 ઇજાગ્રસ્ત

હિન્દ ન્યુઝ, આણંદ      ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી ત્યારે બપોરના બે કલાકની આસપાસ યાત્રા નવરત્ન ટોકીઝ પાસે પહોંચી હતી. લાડવાડા ગણેશજીની મૂર્તિ વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગતા ૪ યુવકો નીચે પટકાયા હતા. જેને કારણે 2 યુવકનું મોત નિપજ્યું હતું અને 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત યુવકોને ખંભાતની જનરલ હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનાને પગલે ખંભાતમાં ભારે ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાત…

Read More

દીકરી દિવસ નિમિત્તે આણંદ ખાતે આણંદ પોલીસની “સી” ટીમ દ્વારા દીકરીઓને સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ, બુધવારે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તૈયાર કરાયેલી મહિલા પોલીસની “સી” ટીમ દ્વારા મહિલાઓને અને તેમાંય ખાસ કરીને શાળા કોલેજમાં ભણતી દીકરીઓને જાતીય સલામતી અને સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાની સલામતી અને સ્વસુરક્ષા અંગે વધુ સજાગ અને જાગરૂક બની રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની “સી” ટીમ દ્વારા મહિલા સલામતી અને સુરક્ષા અંગે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા પોલીસની “સી” ટીમ હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત ૩૫ જેટલી મહિલાકર્મીઓ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ…

Read More

ચંદ્રયાનની થીમ પર ગણેશજીની મૂર્તિ આકર્ષણરૂપ બની

હિન્દ ન્યુઝ, આણંદ        વડોદરા જીલ્લામાં દુદાળા દેવ વિદ્મહર્તા ગણેશજીની પૂજા આરાધનાના અવસર સમાન ગણેશ મહોત્સવની વિવિધ પંડાલો અને ધર્મસ્થાનો પર મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે. યુવક મંડળો દ્વારા કેટલાંક સ્થળોએ આકર્ષણરૂપ ગણેશ મહોત્સવ ઉજવવા માટે નવતર આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના ભાયલીમા આધ્યા એરીશ સોસાયટી પરીવાર દ્વારા ગણેશ મહોત્સવની વિશિષ્ટતા સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં જ દેશ દ્વારા ચંદ્રયાનની સફળતા સંબંધિત થીમ પર ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત પંડાલમાં ચંદ્રયાન, ચંદ્રભૂમિ વગેરે થીમ બનાવવામાં આવી છે.   ગણેશજી સ્થાપનામાં મંગળવારે છપ્પનભોગ અને…

Read More

મહાદેવ ગ્રુપ દ્વાર આયોજિત ૧૭માં ગણપતિ ઉત્સવ ૨૦૨૩ ભવ્ય ગણેશોત્સવ

હિન્દ ન્યુઝ, ભાવનગર મહાદેવ ગ્રુપ દ્વાર આયોજિત ૧૭માં ગણપતિ ઉત્સવ ૨૦૨૩ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, જેવા કે, રાસગરબા, કઠપૂતળી, રામ દરબાર, જાદુગર ક્રિષ્ના, સત્યનારાયણ ભગવાનની કથા જેવા દ૨૨ોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન તથા દરરોજ સાંજે ૮ કલાકે આરતી કરવામાં આવે છે. આમંત્રિત મહંતશ્રીઓ દયા ગીરીબાપુ સીતારામ બાપુ આમંત્રિત મહેમાન પરસોતમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, પરેશભાઈ પંડ્યા, ધીરુભાઈ ધામેલીયાા, શારદાબેન મકવાાણા, વર્ષાબા પરમાર કાર્યકર્તાઓ ભાલીયા નિલેશ કેતન વાળા, હિરેન પરમાર, બી.કેે.મેર, મુકેશ ચુડાસમા, મનીષ મારું, સાગર વાઘેલાા, રાજ ચૌહાણ, વિજય ભટ્ટી વગેરેે ઉપસ્થિત રહ્યા. તા.…

Read More

મહીસાગર જિલ્લા ના માલવણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામે સ્વછતા અભિયાન કાર્યક્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું અને સ્વછતા હી સેવાનું યોગદાન આપવામાં આવ્યું હતું  આ પ્રસંગે તાલુકા પ્રમુખ બિપિન પંચાલ, વેપારી મંડળ પ્રમુખ કેતનભાઈ દાણી,સરપંચ, ડેપ્યુટી સરપંચ, જિલ્લામાંથી એ. પી. એમ -ડી, તાલુકામાંથી TLM, તાલુકા APM, સી. સી મિત્રો, તેમજ SBMG ના બી. સી,સી. સી.તેમજ તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Read More

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ ખાતે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.  મૂળ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ડિડવાણા ગામના વતની પ્રવીણ ચૌધરીએ વર્ષ ૨૦૧૦-૧૨માં આઈ.આઈ.ટી. મદ્રાસ ખાતે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા.  સરકારી સેવામાં જોડાયા બાદ તેમણે સૌપ્રથમ નડિયાદ અને છોટાઉદેપુરમાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જૂનાગઢમાં…

Read More

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 પુરાણોમાં ઉલ્લેખીત “શ્રી ગણેશ મહાયજ્ઞ” યોજાશે

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદપુરાણના…

Read More