હિન્દ ન્યુઝ, ભાવનગર મહાદેવ ગ્રુપ દ્વાર આયોજિત ૧૭માં ગણપતિ ઉત્સવ ૨૦૨૩ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, જેવા કે, રાસગરબા, કઠપૂતળી, રામ દરબાર, જાદુગર ક્રિષ્ના, સત્યનારાયણ ભગવાનની કથા જેવા દ૨૨ોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન તથા દરરોજ સાંજે ૮ કલાકે આરતી કરવામાં આવે છે. આમંત્રિત મહંતશ્રીઓ દયા ગીરીબાપુ સીતારામ બાપુ આમંત્રિત મહેમાન પરસોતમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, પરેશભાઈ પંડ્યા, ધીરુભાઈ ધામેલીયાા, શારદાબેન મકવાાણા, વર્ષાબા પરમાર કાર્યકર્તાઓ ભાલીયા નિલેશ કેતન વાળા, હિરેન પરમાર, બી.કેે.મેર, મુકેશ ચુડાસમા, મનીષ મારું, સાગર વાઘેલાા, રાજ ચૌહાણ, વિજય ભટ્ટી વગેરેે ઉપસ્થિત રહ્યા. તા.…
Read MoreDay: September 25, 2023
મહીસાગર જિલ્લા ના માલવણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામે સ્વછતા અભિયાન કાર્યક્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું અને સ્વછતા હી સેવાનું યોગદાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પ્રમુખ બિપિન પંચાલ, વેપારી મંડળ પ્રમુખ કેતનભાઈ દાણી,સરપંચ, ડેપ્યુટી સરપંચ, જિલ્લામાંથી એ. પી. એમ -ડી, તાલુકામાંથી TLM, તાલુકા APM, સી. સી મિત્રો, તેમજ SBMG ના બી. સી,સી. સી.તેમજ તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર
Read Moreઆણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. મૂળ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ડિડવાણા ગામના વતની પ્રવીણ ચૌધરીએ વર્ષ ૨૦૧૦-૧૨માં આઈ.આઈ.ટી. મદ્રાસ ખાતે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. સરકારી સેવામાં જોડાયા બાદ તેમણે સૌપ્રથમ નડિયાદ અને છોટાઉદેપુરમાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જૂનાગઢમાં…
Read Moreશ્રી સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 પુરાણોમાં ઉલ્લેખીત “શ્રી ગણેશ મહાયજ્ઞ” યોજાશે
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદપુરાણના…
Read Moreરાજકોટ જીવનનગર કા વિઘ્નહર્તા મહાઆરતીમાં પદાધિકારીઓએ ભાગ લીધો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ગણેશજીની મહાઆરતીમાં ભા.જ.પ. ના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જીવનનગરની અસાધારણ પ્રગતિમાં સામુહિક અંકતા કારણભૂત છે તેવો વિચાર પ્રગટ કર્યો હતો. મહોત્સવ દિપ પ્રાગ્ટય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કરી જણાવ્યું કે રાજકોટમાં જીવનનગર સમિતિ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. રહીશોની એકતાને વંદન કરું છું. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જીવનનગર સમિતિ સર્વાંગી પ્રવૃત્તિઓનું સ્તોત્ર છે. જીવનનગરના આયોજનમાં ભાગ લેવો ગૌરવ છે. ભગવાનની કૃપા માનવ…
Read Moreઆજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ સંકુલમાં નીકળેલ મહાકાય અજગર ઝૂ શાખાએ પકડી કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કર્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીની અંદર ગત તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના અંદાજે ૯.૦૦ કલાકે ફરજ પરના કર્મચારીઓ દ્વારા કાય અજગર જોવા મળતા તેઓએ તેમના ઉપલા અધીકારીને અજગર હોવાની જાણ કરેલ અધીકારી દ્વારા તુરંત ઝૂ શાખાના ઝૂ સુપ્રિટી ડેનન્ટને ઘટનાની જ કરાતાં સુરત જ ઝૂ શાખાના અનુભવી એનીમલ કિપરની ટીમને સ્થળ પર મોકલવામાં આવેલ ખનીમલ કિપર તથા વેટરનરી આસિસ્ટન્ટ દ્વરા સ્થળ નપામ કરતા પંપ હાઉસની ઓરડીની અંદર ખુબ જ વિશાળ કદનો અંદાજ ૧૫ થી ૧૬ ફૂટની અજગર જોવા મળેલ. આ પંપ હાલમની…
Read Moreગળતેશ્વર ના વસો ગામે ઇદે એ મિલાદ અને ગણપતિ વિસર્જન ની પૂર્વ નિમિત્તે શાંતિ સમિતી ની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામનાં હિન્દૂ- મુસ્લિમ સમાજ ના આગામી તારીખ ૨૮ ના રોજ અવનાનાર ઇદે મિલાદ અને ગણપતિ વિસર્જન ધાર્મિક પૂર્વ નિમિત્તે ગામમાં શાંતિ અને ભાઈચારાનો વાતાવરણ જળવાઈ રહે જેથી અગાઉના વર્ષોની જેમ પરંપરાગત રીતે બંને સમાજનાં ધાર્મિક તેહવારોના જુલુસ અને વરઘોડોમાં કોઇપણ જાતનો અનીચ્છનીય બનાવ ના બને અને તેહવાર ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે સાથે ગામમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે એ રીતે આ બંને તેહવારો ના બંને સમાજના લોકોએ સથે હળીમળી ઉજવવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. જેમાં બંને…
Read Moreજામ ટાવર ખાતે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શનનું અનાવરણ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં હેરિટેજ વિશે જાગૃતિ લાવવાના એક અનોખા પગલા તરીકે ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટ ચેપ્ટર અને ધ કલા કલેક્ટિવ દ્વારા જામ ટાવર ના રાજ્ય સંરક્ષિત સ્મારક માં હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શન “ફ્રેમિંગ અવર રૂટ્સ”નું આયોજન. જ્યારે જામ ટાવર રાજ્ય પુરાતત્વ વિભાગના નેજા હેઠળ અને રાજકોટના કલેક્ટર અને ડી એમ શ્રી પ્રભાવ જોશી ની ભલામણો હેઠળ તેના પુનઃસંગ્રહ માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે શહેરમાં હેરિટેજ સ્થળોની પુનરુત્થાન ઉદાહરણ તરીકે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ શીર્ષક ધરાવતા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામટાવર ખાતે…
Read Moreશ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૩ મુ ચરણ
હિન્દ ન્યુઝ, સોમનાથ ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું આજે ૧૩માં ચરણમાં પહોચ્યું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. આ મહાનુષ્ઠાના ૧૩માં ચરણમાં શ્રી વારતંતુ સંસ્કૃત કોલેજ સોલા, શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા, અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારદ્વારા ૧૧,૦૦૦ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી ગણપતિ અથર્વશીર્ષના…
Read More