સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનનું ૧૧મુ ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ      પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સવાલક્ષ ગણપતિ અથર્વશીર્ષ પાઠ તેમજ મહા વિનાયક યજ્ઞનું આયોજન કરાયું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી કે જેમની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીનાં વિશ્વ કલ્યાણકારી સદભાવને અનુસરીને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓને સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનમાં જોડીને સંસ્કૃત પાઠશાળાઓને જ્ઞાનપ્રકાશથી જોડતો એક સ્વર્ણિમ પથ કંડાર્યો છે. ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનમાં સોમનાથ ખાતે રાજ્યભરની 45 થી વધુ સંસ્કૃત પાઠશાળાઓ જોડાઈ છે.…

Read More