શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને સોમનાથમાં, આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજાપૂજા, અને 73કિલો લાડુનો ભોગ

હિન્દ ન્યુઝ, સોમનાથ રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વજા પૂજા, આયુષ્ય મંત્રજાપ, મહાદેવની મહાપૂજા, 73 કિલો લાડુનો ભોગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.  શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વને નેતૃત્વ કરતો ભારત દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા કાર્યો સફળ રહે તેવી પ્રાર્થના સાથે…

Read More