શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગા અવતરણ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ 

શ્રાવણ માસના દસમા દિવસે સોમનાથ મહાદેવને શ્રી ગંગા દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. માતા ગંગા શિવજીની જટામાં સમાઈને ભાગીરથી બન્યા હતા. તે વૃતાંતને દર્શનમાં સુંદર રીતે આલેખવામાં આવ્યો હતો.

રાજા સગરના વંશજ ભગીરથ તેમના 60 હજાર પૂર્વજોને મોક્ષ મળે તે માટે માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગતા હતા. તેમણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરીને ગંગાને ધરતી પર લઈ જવાનું વરદાન મેળવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે પૃથ્વી ગંગાની ગતિ અને વેગ સહન કરી શકે તેમ ન હતી. પછી બ્રહ્માજીના સૂચન પર, ભગીરથે કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા જેથી ગંગા પૃથ્વી પર ઉતરતા પહેલા તેમના વાળમાં ઉતરી જાય અને તેનો વેગ ઓછો થાય. પછી તેઓ સરળતાથી પૃથ્વી પર ઉતરી જાય છે. ભગવાન શિવ આ માટે સંમત થયા અને તેમને આશીર્વાદ આપ્યા. તે પછી, માતા ગંગા સ્વર્ગમાંથી ભગવાન શિવના વાળમાં સમાઈ ગઈ અને પછી પૃથ્વી પર અવતરણ કર્યું.

Related posts

Leave a Comment