રાજકોટ શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘દીકરી વેદના ગ્રુપ’ નાં સંસ્થાપક નીરૂબેન ભરવાડ (ભરૂચ) નાં જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

        ‘દીકરી વેદના ગ્રુપ’ ના સંસ્થાપક નીરૂબેન ભરવાડ (ભરૂચ) નાં જન્મદિવસ નિમિત્તે આજરોજ રાજકોટ શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

        ‘દીકરી વેદના ગ્રુપ’ નાં નીરૂબેન ભરવાડ જેઓ નું મુખ્ય લક્ષ્ય ભરવાડ સમાજને કુરિવાજોથી દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજકોટના સાંઈ મંદિરના ટ્રસ્ટી અને સમાજ સેવિકા એવા અંજુબેન ધોળકિયા સાથે સેન્ટ ગાર્ગી સ્કૂલના પ્રિન્સિપલ રમાબેન હેરભા દ્વારા શ્રી શંખેશ્વર મહાદેવ અને સાંઈ બાબા ની પૂજા આરતી કરી, કેક કાપી ને ‘દીકરી વેદના ગ્રુપ’ના સંસ્થાપક નિરૂબેન ભરવાડને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણીમાં ‘દીકરી વેદના ગ્રુપ’ નાં સભ્યો અને મિત્રમંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment