વાવ તાલુકા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ સમિતિ દ્વારા વાવ માં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વાવ

આજે વાવ ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ સમિતિ દ્વારા વાવ તાલુકાના કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રમલખનબાપુ ના વરદ હસ્તે કાર્યાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું અને તેઓ દ્વારા ધર્મ પ્રેમી જનતા ને આહવાન કરવામાં આવ્યું હતુ કે આપણે 492 વરસની લાંબી લડત આપી અને કાયદાકીય રીતે રામ જન્મ ભૂમિ આપણને મળી તો આ જમીન ઉપર ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે આપણે કમાયેલ ધન માંથી ફુલ નઈ તો ફૂલ ની પાખડી આપી સમર્પણ કરે તેવી આહવાન કર્યુ હતુ. જે પ્રસંગે બ.કો. ભાજપ પ્રમખ ગુમાનસિંહ ચૌહાણ, વાવ તાલુકાના ભાજપ પ્રમુખ નાગજી પટેલ, વાવ તાલુકા પંચાતના પ્રમુખ વિહાજી રાજપૂત, પૂર્વ તાલુકા પર્મુખ ધનજી ગોહીલ, રામસિંગ રાજપૂત, કેસરકૃપા હોટલ વાળા, વાવ પૂર્વ સરપંચ કરસન રાઠોડ, નરેશ વેજીયા, ભરતસિંહ સોઢા, કલા મકવાણા, ધેંગાજી પરમાર, દોનાજી પરમાર તેમજ મંદિર નિર્માણ સમિતિ ના હોદેદારો અને કાર્યકર્તાઓ તથા સનાતન ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : લાલજી પરમાર, વાવ

Related posts

Leave a Comment