હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીના અધ્યક્ષસ્થાને આજે બોટાદના નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી-૨૦૨૨ શ્રેષ્ઠતા સન્માન સમારોહ” યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે શિક્ષણક્ષેત્રે આગવી સિધ્ધી હાંસલ કરી છે. રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. આ સુવિધાઓ થકી રાજ્યના દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. સરકારએ શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ…
Read MoreDay: September 5, 2022
બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલુ માસ સપ્ટેમ્બર-૨૦૨૨ તથા આગામી ઓક્ટોમ્બર-૨૦૨૨ ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની…
Read Moreજસદણ વિજ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ મામલતદાર ઓફિસ ખાતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સંલગ્ન વીજ કંપનીમાં વર્ગ ૩ અને ૪ ના ટેકનિકલ કર્મચારીઓના વર્ષોથી પડતર માંગણીને લઈને આ અંગે વારંવાર રજૂઆત થયેલ હોય તેમ છતાં નિરાકરણ થવામાં વિલંબ થતો હોય જે અંગે ટેકનિકલ કર્મચારીઓ પોતાના જીવનના જોખમે રાત દિવસ જોયા વિના પોતાના પરિવારની પરવા કર્યા વગર રાજ્યની જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવા હેતુથી જીવના જોખમે નોકરીની કલાકો ગણ્યા વિના નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે કોરોના મહામારી,પુર હોનારત, અતિવૃષ્ટિ તેમજ વાવાઝોડા જેવી કુદરતી આફત્તો સમયે જીવના જોખમે કામ કરતા હોય…
Read Moreગુજરાત માં માલધારીઓ ઉપર થઈ રહેલ અત્યાચારો બંધ કરી, લંપી વાયરસ માં મૃત્યુ પામેલ પશુઓના માલિકો ને વળતર આપવાની માંગણી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના વારાહી ખાતે ગુજરાત માં માલધારીઓ ઉપર થઈ રહેલ અત્યાચારો બંધ કરવા તેમજ લમ્પી વાયરસ માં મૃત્યુ પામેલા પશુઓના માલિકો ને વળતર ચુકવવા બાબત એ વારાહી ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. માલધારી વિકાસ સંગઠન પ્રમુખ સાંતલપુર રબારી મનજીભાઈ, ઉપપ્રમુખ સનાભાઈ ભરવાડ, વિભાભાઈ પાટણકા રહ્યા હાજર સરકાર સમક્ષ લમ્પી વાયરસ ના કારણે મૃત્યુ પામતી ગૌવંશના માલિકોને વળતર આપવાની માગણી કરી છે.સાથે સાથે રસ્તામાં રઝડતી ગૌ માતાની લાશો નો તાત્કાલિક ધોરણે સરકાર નિકાલ કરે તેવી માગણી કરવામાં આવી છે.પશુપાલનના હિતમાં પશુ માલિકોના હિતમાં સર્વે…
Read Moreઆદર્શ પ્રાથમિક શાળા દ્વારા 5 મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિતભગવાન ભાઈ ખેતાભાઈ ચૌધરી આદર્શ પ્રાથમિક શાળા રાધનપુર ની અંદર આજ રોજ 5 મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની અંદર શાળાના બાળકો એ ખૂબ ઉત્સાહ પૂર્વક શિક્ષક તરીકે ભાગ લીધો હતો.જેમાં તમામ શિક્ષક બનેલાં બાળકો એ ખૂબ જ સરસ શૈક્ષણિક કાર્ય કર્યું હતું.આજના કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી આચાર્ય તરીકે સોલંકી શ્રેયાન્સ અમૃતભાઈ,ઉપ આચાર્ય તરીકે પટેલ મિત્તલબેન નરેશભાઈ,સુપરવાઇઝર તરીકે ગોસ્વામી બીપીનપુરી દીનેશપુરી અને કલાર્ક તરીકે ઠક્કર યુગ એ ભાગ લીધો હતો. આજના આ કાર્યક્રમમાં…
Read Moreભગવાન ગણેશને અતિશય પ્રિય એવી દુર્વા(ધરો)
હિન્દ ન્યુઝ, ભાવનગર ભગવાન ગણેશને અતિશય પ્રિય એવી દુર્વા(ધરો) વિના ગણેશજીનું પુજન અધુરુ માનવામાં આવે છે. દુર્વા શબ્દ દુ:(દુર છે એ) અને અવમ(નજીક લાવે) આ બે શબ્દો પરથી બન્યો છે. એટલે કે દુર્વા ભગવાનનાં શુધ્ધ આધ્યાત્મિક ગુણોને ભક્તની નજીક લાવે છે. ગુણમાં શીતળ એવી દુર્વાની સમુદ્રમંથન દરમ્યાન ભગવાન વિષ્ણુના વાળમાંથી થઈ હોય તેને પવિત્ર માનવામાં આવે છે. વળી સમુદ્રમંથન દરમ્યાન નીકળેલ અમૃતનું પાત્ર આ દુર્વા પર મુકતાં તેનાં ટીપાં દુર્વા પર પડેતાં તેને અમરત્વ પ્રાપ્ત થયેલ. તેથી જ દુર્ગાની આપણે ગમેતેટલી કાપીને તો પણ તેને…
Read Moreસરકારી વિજ્ઞાન કોલેજ, ગારીયાધાર ખાતે વિધાર્થીઓએ એક દિવસના અધ્યાપક બની શિક્ષક દિનની ઉજવણી કરી
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારી વિજ્ઞાન કોલેજ, ગારીયાધાર ખાતે કાર્યરત ’સપ્તધારા’ ની સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા હેઠળ આજ પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. એક દિવસ માટે આચાર્ય, ઇન્ચાર્જ આચાર્ય, ક્લાર્ક અને અધ્યાપક તેમજ અધ્યાપિકા બનીને કુલ-૩૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા એક દિવસના શિક્ષક બની ખૂબ જ ઉત્સાહપૂર્વક અધ્યાપન કાર્ય કરવામાં આવ્યું હતું. શૈક્ષિણક કાર્ય પછી વિદ્યાર્થીઓ દ્વારા જ એક કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ એક શિક્ષકની સામાજિક ભૂમિકા અંતર્ગત પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં. ત્યારબાદ નિયમિત અધ્યાપકો દ્વારા આજના દિવસ પૂરતાં બનેલ અધ્યાપક…
Read Moreસહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માનાં અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને શહેરના સરદાર પટેલ શૈક્ષણિક સંકૂલ, કાળીયાબીડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ બની જાય પણ તેના જીવનમાં શિક્ષકનું મહત્વ ખૂબ જ રહેલું છે શિક્ષકનું સ્થાન જીવનમાં સરાહનીય અને અતુલ્ય છે આ તકે સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ગુરૂનું સ્થાન જીવનમાં ખૂબ જ મહત્વનું રહેલું…
Read Moreડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવણી
હિન્દ ન્યુઝ, સાયલા આજરોજ તારીખ 5 -9 – 2022 સોમવાર એટલે શિક્ષક દિન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શ્રી ઉમાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષક બની તેમજ સમગ્ર શાળાનું સંચાલન પણ બાળકો દ્વારા કરવામાં આવ્યું તેમજ સમગ્ર શિક્ષણ કાર્ય પણ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું આખો દિવસ બાળકો આનંદ વાતાવરણ સાથે શિક્ષક દિનની ઉજવણી કરી. આ પ્રસંગે શાળાના સમગ્ર સ્ટાફ તેમજ એસએમસીના સભ્યો સાથે રહે કાર્યક્રમને સફળ બનાવ્યો જય ભારત…
Read Moreદિયોદર માં અર્બુદા સેનાએ નું મહા સંમેલન
હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં આજે અર્બુદા સેના ના નેજા હેઠળ આંજણા ચૌધરી સમાજ નું વિશાળ સંમેલન યોજાયું હતું જેમાં સમાજ ની એકતા અને અસ્મિતા ને ઉજાગર કરવા ની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંમેલન માં ઉપસ્થિત રહેલ દૂધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા માં દસ હજાર જેટલી ગાયો ના લંપી ના કારણે મોત થયું છે સરકારે ગાયો ની મદદ કરવી જોઈએ વધુ માં જેમણે જણાવ્યું હતું કે અર્બુદા સેના છેવાડા ના માનવી સુધી જઈ ગાંધી…
Read More