હિન્દ ન્યુઝ, ભુજ કચ્છની હસ્તકલા વિશ્વવિખ્યાત બની છે. દેશ-વિદેશમાં વિવિધ હસ્તકલાની પ્રોડકટની ખૂબ માંગ છે. હસ્તકલા દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, વિદેશી હુંડીયામણ કમાવી આપે છે ત્યારે આગામી પેઢી પણ આ કલાવારસાને જાળવી રાખે તથા આ કલા થકી મહિલા પગભર બને તે માટે નિષ્ણાંત કારીગરો અન્ય યુવાનો તથા મહિલાઓને તાલીમબદ્ધ કરે તેવી અપીલ નાબાર્ડ દ્વારા ભુજ હાટ ખાતે પ્રાયોજિત ત્રિ-દિવસીય રાજય સ્તરીય હાથશાળ અને હસ્તકલા મેળાનું ઉદઘાટન કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષાએ અહીં કચ્છ સાથે રાજયભરમાંથી આવેલા ૪૦ સ્ટોલધારક કારીગર- કલાકારોની મુલાકાત લઇને…
Read MoreDay: September 2, 2022
“મોટિવેશનલ ટ્રેનર” તરીકે ઓળખાતા કાલાવડ તાલુકાના નિકાવા ગામના નિવાસી યાસીન દોઢિયા
હિન્દ ન્યુઝ, નિકાવા જામનગર જિલ્લા નાં કાલાવડ તાલુકાના નિકાવા ગામના નિવાસી અને જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમીટેડ કંપનીમાં “મિકેનિકલ ડિઝાઇન એન્જીનીઅર” તરીકે કામ કરતા તેમજ “મોટિવેશનલ ટ્રેનર” તરીકે ઓળખાતા યાસીન દોઢિયા એ સુરત સિટી ખાતે ૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ એક “મોસ્ટ પીપલ ઈન સ્પીચ રીલે” કાર્યક્રમ માં ભાગ લીધેલ આ કાર્યક્રમમાં આખા ભારતમાંથી ૧૩૧ સ્પીકર (વક્તાઓ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નો હેતુ “ગિનિસ વર્લ્ડ રેકોર્ડ” બ્રેક કરવાનો લક્ષ્ય હતું. આ કાર્યક્રમ સવારે ૮:૩૦ થી શરૂ થઈ રાતે ૧૧:૦૦ વાગ્યા ની આસ-પાસ પૂર્ણ થયેલ. આ કાર્યક્રમમાં…
Read Moreએસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા ’બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ની રોજગારલક્ષી તાલીમનો શુભારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગર, ખાતે ’બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ની રોજગારલક્ષી તાલીમનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારના ૫૬ બહેનો આ તાલીમમાં જોડાઇ હતી. તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મુખ્ય અતિથી વિશેષ તરીકે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ તથા ડી.એલ.એમ. વિજયસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં. એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગરના નિયામકશ્રી જી.એચ.ચૌહાણ દ્વારા તાલીમાર્થી બહેનોને તાલીમ કાર્યક્રમ બાદ સ્વરોજગાર વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SBI RSETI સ્ટાફના હંસાબેન ચાવડાગોર, નીલેશભાઈ બરોલીયા, ઈશાનભાઈ કલીવડા, રાજુભાઈ…
Read Moreભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dsosportsbvr.blogspot.com પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા રમત ગમત અધિકારી, બહુમાળી ભવન એનેક્ષી…
Read Moreશિશુવિહાર સંસ્થા દ્વારા વયસ્ક નાગરિકોની સંભાળ માટેની તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે ઓક્ટોબર માસ પછીના પ્રિ- નર્સિંગના વર્ગો શરૂ થનાર છે. આ વર્ગો માટે ઓછામાં ઓછું ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલ ભાઈ-બહેનો માટે સોમવારથી શુક્રવાર સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ સુધીના ત્રણ માસ માટેની તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને શરીર રચના, દર્દી અને વૃદ્ધિઓની સ્વાસ્થ્ય સેવા તથા ઈમરજન્સી દરમિયાનની જરૂરિયાતો સાથે વડીલોના પોષક આહારની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને નિષ્ણાતો દ્વારા થિયરી અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. ભાવનગરની જાણીતી નર્સિંગ કોલેજ શ્રી સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી યોજાતી તાલીમ માટે તાલીમાર્થીઓને હોસ્પિટલ ,વૃદ્ધાશ્રમ અને…
Read Moreસમાજના તમામ વર્ગો ચૂંટણી પ્રક્રિયાના અવસરમાં સામેલ થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્રનો માનવીય અભિગમ
હિન્દ ન્યુઝ, ભાવનગર ચૂંટણી પંચના નિર્દેશાનુસાર હાલ ગુજરાતમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા(SSR) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાલ મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. સમાજના તમામ વર્ગો ચૂંટણી પ્રક્રિયામાં મહત્તમ ભાગીદારી થાય તથા મતદાન માટે લાયકાત ધરાવતો કોઇપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આ હેતુસર મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિક…
Read Moreજિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો માહે.સપ્ટેમ્બર-૨૦૨૨ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૨ (ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવાં પોતાને લગતાં પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેકટર ભાવનગરની યાદીમાં જણાવાયું છે. -બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી,
Read Moreબોટાદ જિલ્લામાં ગણેશ ઉત્સવ નિમિત્તે કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખુબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ મહોત્સવ તા.૦૯/૦૯/૨૦૨૨ સુધી ઉજવાય રહ્યો છે. ઉક્ત તહેવારમાં જિલ્લામાં ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. તેમજ ગણેશ મહોત્સવના છેલ્લાં દિવસે એટલે કે તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ નિકળતું હોય છે અને શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે. જેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા, ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલી સત્તાની રૂએ ગણેશ મહોત્સવની શાંતિ પૂર્ણ માહોલમાં અને પર્યાવરણને કોઇ…
Read Moreરાધનપુર ના વેપારી એ નગરપાલિકા ના ભ્રષ્ટ વહીવટ સામે વિરોધ દર્શાવ્યો
હિન્દ ન્યુઝ, રાધનપુર રાજગઢી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત પાણી પુરવઠા ની ગટરના કારણે રાધનપુર ના વેપારી પરેશાન પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાજગઢી વિસ્તાર માં નગર પાલિકા સંચાલિત પાણી પુરવઠા ની ગટર ના કારણે રાધનપુર ના વેપારીઓ પરેશાન,રાધનપુર ના વેપારીઓ એ નગરપાલિકા ના ભ્રષ્ટ વહીવટ સામે વિરોધ દર્શાવ્યો હતો.ખુલી ગટર અને ગંદકી થી રાધનપુર ના વેપારીઓ ના ધંધા ઠપ વેપારીઓ બની રહ્યા છે બેકાર. રાધનપુર ના વેપારી કોંગ્રેસના વહીવટ થી ત્રાહિમામ નગર પાલિકા માં અવાર નવાર ગટરો ના પ્રશ્ન ની ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.આવા રાજકારણ થી રાધનપુર નગરજનો…
Read Moreરાધનપુર તાલુકાના સાત ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાત ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે ગ્રામ પંચાયતો માં ટમ પૂરી થતાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી.રાધનપુર તાલુકા વિકાસ અધિકારી ના જણાવ્યા અનુસાર રાધનપુર તાલુકાના લોટીયા જુથ ગ્રામ પંચાયત ખાતે નરેશ કે પાવરા તલાટી કમ મંત્રી મેમદાવાદને વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી. ચલવાડા ગ્રામ પંચાયત ખાતે દશરથભાઈ જી ઠાકોર નાનાપુરા તલાટી કમ મંત્રીને નિમણૂક કરવામાં આવી,સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે શ્રીમતી ગાયત્રીબેન પ્રજાપતિ ની નિમણૂક કરવામાં આવી,દેલાણા ગામ પંચાયત ખાતે શ્રીમતી ભીખીબેન બી રબારી વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવેલ,ના પીપળી ગ્રામ પંચાયત ખાતે માનસુગભાઈ ઠાકોર…
Read More