ગ્રીન અભિયાન હેઠળ વનિકરણ ઝુંબેશ હિન્દ ન્યુઝ, ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચે લોક સહકારથી ગ્રીન ભરૂચ સધન વૃક્ષારોપણ કાર્યને વેગ આપવા ભરૂચ જિલ્લાના ૨૯ ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ઝુંબેશ માટે નાયબ વનસંરક્ષકએ સરપંચઓને અપીલ કરી હતી. બેઠકમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનું આયોજન ગોઠવી ગ્રામ વન હરાજીની ઉપજેલ રકમના ૨૫% વનીકરણ કામે રૂ..૬૩.૭૬ લાખ સબંધિત સરપંચશ્રીઓ તેમજ સબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસરને ફાળવવામાં આવશે. પર્યાવરણ ક્ષેત્રે અને ગ્રીન ભરૂચ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનને વેગ મળે તે માટે આમ જનતાને જોડાવવા ભરૂચના સામાજિક વનીકરણ વિભાગના નાયબ…
Read MoreDay: March 24, 2022
નર્મદા જિલ્લામાં નીતિ આયોગની એમપાવર કમિટી દ્વારા રૂા.૩.૦૦ કરોડનું એવોર્ડ ફંડ ફાળવીને વધુ ૫ (પાંચ) પ્રોજેક્ટસને મંજુર કરાયાં
હિન્દ ન્યુઝ, નર્મદા નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્તના અધ્યક્ષસ્થાને ગઇકાલે નીતિ આયોગની એમપાવર કમિટીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી. જેમાં ભારત સરકારના આરોગ્ય વિભાગના સેક્રેટરી, શિક્ષણ વિભાગના સેક્રેટરી, રૂરલ ડેવેલોપમેન્ટ વિભાગના સેક્રેટરી, એગ્રીકલ્ચર વિભાગના સેક્રેટરી, નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ શ્રીમતી ડી.થારા અને જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી.ભારથી પણ જોડાયાં હતાં. રાજપીપલામાં જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતેથી જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત અમલીકરણ અધિકારીઓ પણ એમપાવર કમિટીની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં. જેમાં એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત ડીસેમ્બર-૨૦૨૧ માં શિક્ષણ સેકટરમાં સારા ડેલ્ટા રેન્કિંગ માટે…
Read Moreઅનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને તેમના હકોનું રક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
હિન્દ ન્યુઝ, સુરત અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને તેમના હકોનું રક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો માટે તાજેતરમાં ગાંધીનગર ખાતેથી હેલ્પલાઈનનું મંત્રીના હસ્તને લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોના હકોના રક્ષણ તથા તેમને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસરૂપે આ હેલ્પલાઈન નંબર – ૧૪૫૬૬ તથા ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૦૨૧૯૮૯ કાર્યરત કરવામાં આવી છે. અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો આ હેલ્પલાઇન પર એટ્રોસીટીને લગતી ફરિયાદ કરી શકે છે અને માર્ગદર્શન પણ મેળવી શકે છે. અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને ગુનાની…
Read Moreટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસો
સુરત દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધવામાં આવ્યા હતા. એમની યાદમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલા ટીબીના રોગને ગંભીર રોગ ગણાતો હતો. પરંતુ આજે ટીબીનું નિદાન સરળતાથી થઇ રહ્યું છે. અનેક દર્દીઓ સારવાર કરીને ટી.બી મુક્ત થયા છે. સુરત જિલ્લામાં…
Read Moreજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર દ્વારા માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કીટ્સ મેળવવાની તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કિટ્સ મેળવવા ઇચ્છતા અને સરકારએ ઠરાવેલ માપદંડો ધરાવતા અરજદારઓએ તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં http://e-kutir.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી થયેલ માપદંડ મુજબ અરજદારશ્રીના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછી હોવી જોઇએ, જાહેરાતની તારીખે ઉંમર ૧૬ વર્ષથી ઓછી નહીં અને ૯૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના…
Read Moreરાધનપુર રાણા સમાજ ની પ્રથમ મહિલા BSF માં લાગી, ૯ માસ ટ્રેનિંગ બાદ પરત ફરતા ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર ના જવાહરનગર ના રાણા સમાજ ના ખેડૂત ની પ્રથમ દીકરી BSF મા નોકરી મળતા ગામ લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. જીજ્ઞાબેન ભીલ ૯ માસ ની પંજાબ માં ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન પરત ફરતા ગામ લોકો માં હર્ષ ની લાગણી પ્રસરતી જોવા મળી હતી. પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના એક ગરીબ પરિવાર ખેડૂતની દીકરી બીએસએફ માં લાગતા આ ફોજી દીકરી નું ભવ્ય સ્વાગત ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું સાથે રામજીભાઈ ચહેરાજી ભીલ જમ્મૂ કાશ્મીર ખાતે નવ માસ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને…
Read Moreરાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રાધનપૂર મીરા દરવાજા ની મહિલાઓ જાતે ગટર સાફ કરવા મજબૂર બની
હિન્દ ન્યુઝ, રાધનપુર છેલ્લા બે વર્ષથી મીરા દરવાજા વિસ્તારની મહિલાઓ જાતે ગટર સાફ કરી રહી છે રાધનપુર નગરપાલિકા ની અંદર 100 થી વધારે સફાઈ કામદારો હોય પરંતુ તો રાધનપુર નગરની ગટરો સાફ સફાઈ ના થતી હોવાના કારણે રાધનપુરના મીરા દરવાજા વિસ્તારની મહિલાઓ જાતે ગટરો સાફ સફાઈ કરવા માટે નીકળી ગંદા પાણીથી બીમાર પડતા હોય ઉનાળાની ઋતુ શરૂ થતા બીમારી ફાટી નીકળવાના ભયને લઈને જાતે ગટર સાફ સફાઈ કરવા માટે રાધનપુર નગરપાલિકા ના મીરા દરવાજા વિસ્તારની અંદર મહિલાઓ જાતે કરી રહી છે સાફ-સફાઈ. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreકુવારદ હાઇસ્કૂલ માં ૨૦૨૨- ધોરણ ૧૦ વિદાય સમારંભ યોજાયો
હિન્દ ન્યૂઝ, રાધનપુર ખેતી કામ ની પુરજોશ ઋતુઓ માં વાલી, મિત્રો અને ખેલ મહાકુંભ માં શિક્ષક મિત્રો અટવાયેલા હોવાથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નો ખૂબ જ સાદગી થી શાળા કક્ષાએ વિદાય શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. કોરોના ના લીધે રહી ગયેલા ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ એમ બે વર્ષ ના બોર્ડ ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ને શાળા અને સંખેશ્વર તાલુકા ના (બી.આર.સી) નનુભાઈ મેધાભાઈ પાવરા તરફ થી અલગ અલગ અનુક્રમે ૫૦૧, ૩૦૧ અને ૨૦૧ ઇનામો આપવામાં આવ્યા હતા તથા ધોરણ ૯ માં પણ…
Read Moreવિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત દુર્ગાવાહીની ટીમ દ્વારા “The Kashmir Files” મુવી પરિવાર સાથે જોવા નું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહીની જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા સુરજ સીનેમા માં તા.૨૨ ના રોજ મંગળવારે સાંજે ૭ વાગ્યા નો શો The Kashmir files માટે હતો. કુલ ૨૮૮ સીટ ની સ્ક્રીન હતી જે જૂનાગઢ દુર્ગાવાહીની ટીમ દ્વારા બધી જ બુક થઈ ગઈ હતી. પ્રાંત ના અધિકારી દુર્ગાવાહીની સંયોજિકા ડો. અર્ચનાબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ દુર્ગાવાહીની તેમજ અન્ય કાર્યકર્તા બન્ધુઓ પરિવાર સાથે આવ્યા હતા. આગામી ભાવનગર ના 8 દિવસ ના પ્રાંત ના દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગ માં વધુ ને વધુ સંખ્યા જાય એના પ્રયત્ન ના…
Read Moreશ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર સંગઠન સમિતિ રાજકોટ દ્વારા સમાજના કાર્યક્રરો તથા આગેવાનો સાથે મુવી શોનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર સંગઠન સમિતિ રાજકોટ દ્વારા આયોજિત પાણ હેલ્થકેર તથા ગોપાલ નમકીનના સહયોગથી કોસ્મોપ્લેકસ સીનેમા ખાતે સમાજના કાર્યક્રરો તથા આગેવાનો સાથે આજે મુવી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના સમર્થનમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા આ શો માં આગેવાનો એ જણાવ્યું હતું કે આ પણ આપણા ઈતિહાસનો એક ભાગ છે. કાશ્મીરી પંડિતો સાથે થયું તે દુઃખદ છે અને તે વિષયે ફિલ્મ બની હોય તો તે દરેક રાષ્ટ્ર પ્રેમીઓ એ જોવી જ જોઈએ દરેક લોકોએ એ યાદ રાખવું જોઈએ કે કોઇ વ્યક્તિ…
Read More