હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયામાં શીવમ સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી. યુવાનના આપઘાતનું કારણ હજું અકબંધ. પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી. રીપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
Read MoreDay: March 13, 2021
થરાદ માર્કેટ યાર્ડ મા રાયડા ની બહોળી આવક
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો રાયડા ની જણસી નો વેપાર કરવા બહોળા પ્રમાણમાં ટ્રેક્ટર અને ડાલા લઈને આવેલા જોવા મળ્યા. માર્કેટયાર્ડ ખાતે પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક શરૂ થતાં માર્કેટમાં ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ. વેપારીઓએ બોરીઆે રસ્તા પર મુકવી પડી. આશરે ચાલીસ હજાર બોરીની આવક થતી હોય તેવુ વેપારીઓ દ્વારા જાણવા મળ્યું. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read Moreગુજરાતના ખ્યાતનામ કલાકારો દાંડીયાત્રા દરમ્યાન ખેડા જિલ્લામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજુ કરશે
હિન્દ ન્યૂઝ, નડિયાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા. ૧૪મી માર્ચના રોજ સાંજે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન માતર તાલુકામાં એન.સી.પરીખ હાઈસ્કુલ ખાતે સંગીત વૃંદ દ્રારા આશ્રમ ભજનાવલી પર સંગીત અવિનાશ બારોટ, કીરણ ઉસ્તાદ, સંજય બારોટ, જીતુ ઉસ્તાદ, પરેશ રાવળ અને તેમની ગાયક ટીમ દ્રારા ભજનો-ગીતો રજુ કરાશે તથા સ્વચ્છ ભારત અને ક્લાઇમેન્ટ ચેન્જ નૃત્ય…
Read Moreશિહોરી ખાતે પુણ્યતિથિ નિમિત્તે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, કાંકરેજ બનાસકાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પૂર્ણ્યતિથી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કોતરવાડિયા પરિવાર ના મોભી શ્રી સ્વ. ઠાકોર રવાજી રૂપાજી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજન સાથે સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદરડી ના આચાર્ય ગોવિંદજી ઠાકોર અને બલોચપુર ના મફાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રોતા ગણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કોતરવાડિયા રવાજી રુપાજી સ્વર્ગવાસ તારીખ..૧૨/૦૩/૨૦૧૯, ને ફાગણ સુદ ૬ ને મંગળવારે દેવલોક પામ્યા…
Read Moreઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામો અંગેની સમીક્ષા બેઠક મળી
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામો અંગે એક સમીક્ષા બેઠક ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી. બેઠકમાં થયેલી સમીક્ષામાં ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણીના પરિણામો યોગ્ય ના હોવા છતાં કાર્યકરોએ મક્કમતા પૂર્વક લડત આપી હતી. જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વીવીપેટ થી લડાઈ હતી. પરંતુ તાલુકા/જિલ્લા પંચાયતમાં. વીવીપેટ નહી મુકવા માં આવતા પરિણામો સામે શંકા વ્યક્ત કરવામાં આવી તથા આવનાર ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર થી…
Read Moreયુની. રોડ પ્રશીલ ગેઇટની સામે આવેલ ઝુપડપટ્ટીમાંથી ખોવાય ગયેલ બાળકને ગણતરીની મીનીટોમાં શોધી કાઢી પરીવાર સાથે મિલન કરાવતી રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર (યની.) પોલીસ સ્ટેશન ટીમ
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૨/૦૩/૨૦૨૧ ના કલાક ૨૧/૦૭ વાગ્યે પોલીસ કન્ટ્રોલરૂમથી પી.સી.આર. નં.૧૯ નાઓને કોલ મળેલ કે, યુની. રોડ પ્રશીલ ગેઇટની સામે આવે ઝુપડપટ્ટીમાં રહેતા સંતોષભાઇ મોહનીયા નાઓને રૂબરૂ જઇ મળો એમ કોલ મળતા તુર્તજ પી.સી.આર. પહોંચેલ અને સંતોષભાઇ મોહનીયાઓને મળેલ હોય જેઓએ જણાવેલ કે, પોતાનો સાત વર્ષનો દિકરો સાંજના સાતેક વાગ્યાથી ખોવાય જતા મળી આવતો નથી. જેથી અમોને આ બનાવ બાબતે જાણ કરેલ. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનીશ…
Read More