હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિ.દ્રારા ૧૩ મો પદવીદાન સમારોહ તા.૦૫-૦૩-૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે યુનિ. કેમ્પસ પર ઓનલાઇન યોજાશે. જેમા માન.રાજ્યપાલ અને યુનિ.કુલાધિપતિ દેવવ્રત આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય અતિથી તરીકે ભાઈ રમેશભાઈ ઓઝા, સારસ્વત તરીકે એન.ગોપાલસ્વામીજી ઓનલાઈન હાજરી આપશે. ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કુલપતિ પ્રો.ગોપબન્ધુ મિશ્ર અને કુલસચિવ ડો.દશરથ જાદવ પણ સહભાગી થશે. યુનિ.માં ચાલતા અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી બી.એ.-૩૧૮, આચાર્ય-એમ.એ-૧૭૫, પીજીડીસીએ-૧૭૫, શિક્ષાશાસ્ત્રી-બી.એડ-૪૯, તત્વાચાર્ય-એમ.ફિલ-૨૪, વિભાવારિધિ-પીએચડી-૯ મળી કુલ ૭૫૦ પદવી પ્રમાણપત્રો…
Read MoreDay: March 3, 2021
થેલેસેમીયા પિડિત બાળકો, કેન્સર તથા કીડનીના દર્દીને વિના મુલ્યે બ્લડ મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરીમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ તથા ડે. કલેકટર પંકજસિંહ જાડેજા મેમોરીયલ ગ્રુપ તથા રાજકોટ સિવિલ હોસ્પીટલનાં નિષ્ણાત ડોકટરોની ટીમની માનદ સેવા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જરૂરીયાત મંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, કેન્સરના અને કીડનીના દર્દીઓને વિના મુલ્યે બ્લડ મળી રહે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું નીચેની વિગતે આયોજન કરવામાં આવેલ હોય સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવા માંગતા લાઇબ્રેરીના સભ્યશ્રીઓ તથા શહેરના નાગરીકોને આ સમય દરમ્યાન બ્લડ ડોનેટ કરી જરૂરીયાતમંદ દર્દીઓને મદદ કરવા અપીલ કરવામાં આવે છે. તારીખ…
Read Moreરાજકોટ ના હેડકવાર્ટરમાં અંબાજી મંદિર મહાઆરતીનો લાહવો લેતા પોલીસ અઘિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ ખાતે માં અંબાજી માતા નું મંદિર ની પ્રાણ પ્રતિસ્થા ને એક વર્ષ પુરું થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે તેમના ભાઈ ડો.અજય અગ્રવાલ પણ જોડાયા. ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવીણ કુમાર મીણા, એસીપી ડી.વી બસીયા સહીત ના સામેલ થયા. ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા તથા સાંજે મહાઆરતી આયોજન થયું હતું. જેમાં તમામ પોલીસ અઘિકારીઓ-કમૅચારીઓ તેમજ પોલીસ પરિવારજનો એ ભાગ લીધો હતો અને મા જગત જનની અંબા માતાનો જય જય કાર કર્યો હતો. રિપોર્ટર : ચંદ્રેશ વાઢેર, રાજકોટ
Read More