14 વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિ.નો ૧૩ મો પદવીદાન સમારોહ તા.૫ ના રોજ ઓનલાઈન યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

           વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિ.દ્રારા ૧૩ મો પદવીદાન સમારોહ તા.૦૫-૦૩-૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે યુનિ. કેમ્પસ પર ઓનલાઇન યોજાશે. જેમા માન.રાજ્યપાલ અને યુનિ.કુલાધિપતિ દેવવ્રત આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય અતિથી તરીકે ભાઈ રમેશભાઈ ઓઝા, સારસ્વત તરીકે એન.ગોપાલસ્વામીજી ઓનલાઈન હાજરી આપશે.

          ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કુલપતિ પ્રો.ગોપબન્ધુ મિશ્ર અને કુલસચિવ ડો.દશરથ જાદવ પણ સહભાગી થશે. યુનિ.માં ચાલતા અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી બી.એ.-૩૧૮, આચાર્ય-એમ.એ-૧૭૫, પીજીડીસીએ-૧૭૫, શિક્ષાશાસ્ત્રી-બી.એડ-૪૯, તત્વાચાર્ય-એમ.ફિલ-૨૪, વિભાવારિધિ-પીએચડી-૯ મળી કુલ ૭૫૦ પદવી પ્રમાણપત્રો વિધાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં ૧૯ ગોલ્ડમેડલ, ૪ સિલ્વર મેડલ એમ કુલ મળીને ૨૩ જેટલા પદકો એનાયત કરવામાં આવશે.

Related posts

Leave a Comment