થરાદ ખાતે બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને શ્રીમાળી સમાજના પુર્વ પ્રમુખ ગણપતલાલભાઈ રામચંદભાઈ જોષી નું અવસાન થતા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ માં મોટી ખોટ

હિન્દ ન્યૂઝ, થરાદ

          બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને શ્રીમાળી સમાજના પુર્વ પ્રમુખ તેમજ નિવૃત વિસ્તરણ અધિકારી ગણપતલાલભાઈ રામચંદભાઈ જોષી ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા હતા. શ્રીમંત ભાગવત કથા અને રામાયણ વગેરે ધાર્મિક ભજનો માં પણ જતા અને કોઈ પણ ધાર્મિક કાર્યો નો મોટા પાયે ફાળો પણ આપતા અને ખુબ જ શાન્ત સ્વભાવ અને નિખાલસ અને બ્રાહ્મણ સમાજ ના દરેક કાર્યમાં હર વખતે સહભાગી રહેતા અને થરાદ તાલુકા પંચાયત માં વિસ્તરણ અધિકારી તરીકે ખુબજ લોક ચાહના મેળવી પોતે નિવૃત થયા હતા અને પોતાની પાછળ ની જીંદગી ફક્ત ને ફક્ત ધાર્મિક પ્રવૃત્તિ અને ભગવાન ના કાર્યમાં અને સમાજ ની સેવાઓ માં જ સોંપી હતી તેમજ તેમના શાન્ત અને સરળ લોકોમો ભાવિક સ્વભાવ ના કારણે એમના અવસાન થી અત્યારે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ થતા મહાજનપુરા માં મોટી ખોટ પડી છે.

અહેવાલ : રજનીકાંત જોષી, થરાદ

Related posts

Leave a Comment