હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજકોટ ખાતે માં અંબાજી માતા નું મંદિર ની પ્રાણ પ્રતિસ્થા ને એક વર્ષ પુરું થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે તેમના ભાઈ ડો.અજય અગ્રવાલ પણ જોડાયા. ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવીણ કુમાર મીણા, એસીપી ડી.વી બસીયા સહીત ના સામેલ થયા. ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા તથા સાંજે મહાઆરતી આયોજન થયું હતું. જેમાં તમામ પોલીસ અઘિકારીઓ-કમૅચારીઓ તેમજ પોલીસ પરિવારજનો એ ભાગ લીધો હતો અને મા જગત જનની અંબા માતાનો જય જય કાર કર્યો હતો.
રિપોર્ટર : ચંદ્રેશ વાઢેર, રાજકોટ