ખેડબ્રહ્મા શહેર માં કોરોના ના વધતા કેસો ને જોઈ ખેડબ્રહ્મા વેપારી એસોસિયેશન દ્વારા સદ્દંતર બંધ

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એ સાથે વેપારી એસોસિયેશન સાથે બેઠક કરી તારીખ 14 સોમવાર થી તારીખ 21 સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે તે દુકાન ખુલ્લી જોવા મળશે તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે . ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ, શાળા-કૉલેજો ચાલુ રહેશે.અને ત્યાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે.  ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વહેપારી એસોસિયેશન સાથે લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે. પોતાના રક્ષણ…

Read More

નિકાવા ગામે કોરોનાના ચાર પોઝેટીવ કેસ આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ

કાલાવડ,             કાલાવડ તાલુકાના નિકાવા ગામે છેલ્લા ઘણાં સમયના વિરામ બાદ આજે ફરીથી કોરોનાના ચાર પોઝીટીવ કેસો આવતા ગ્રામજનોમાં ફફડાટથી ફેલાયો સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિકાવા ગામના યુવા ઉત્સાહી સરપંચ દ્વારા સંયમ જાળવવા તાલુકાની જનતાને  અપીલ કરી છે. તેમજ હાલના કપરા સમયમાં ધૈર્યથી કામ લેવું, ખોટી અફવાઓ ફેલાવી નહીં, અફવાઓમાં આવુ નહીં, તેમજ સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત પણે પાલન કરવું, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત પહેરવું વગેરે બાબતોની સાવચેતી રાખવા અનુરોધ કર્યો. અહેવાલ : ભોજાભાઈ…

Read More

 સુરતમાં ૧૮ વર્ષથી ધૂણતા ભૂઈમાંનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જાથાનો આ ૧૧૮૧ મો સફળ પર્દાફાશ થયો

સરથાણા, સુરત   છેલ્લા ચાર પાંચ વર્ષથી ભાઈ લાભુબેનના પાખંડનો ભોગ બનેલા ટેલીફોનિક અને જાથાના કાર્યાલયે રૂબરૂ પીડિતો આવીને માહિતી આપી કે સરથાણા વિસ્તારમાં અવધ સુભાષ પાર્ક મકાન નં. ૫૦ માં રહેતા ભૂઈમાં ઘરમાં મેલડી માતાજીનું વૈભવી સ્થાનક બનાવી લોકોના દુઃખ – દર્દ મટાડવાનું, સંતાન પ્રાપ્તિ માટે સોના ચાંદીનું છત્ર ચઢાવવું, માનતા ટેક વગેરે ધાર્મિક માટે દશ હજારથી પાંચ લાખ સુધીની ફી વસુલે છે અને સુખડી બનાવીને આરતી વખતે ધૂણીને દુઃખી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરાવીને આર્થિક લાભ મેળવે છે અને ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસે સેજળીયા, બાદલગઢના ગ્રામજનો પણ ભૂઈમાં પાસે…

Read More

કાંકરેજ તાલુકાનાં ખારીયા ગામે રોડનું ખાતમુર્હુત ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું 

કાંકરેજ, કાંકરેજ તાલુકાનાં ખારીયા ગામે રોડનું ખાતમુર્હુત ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.  જેમાં આજે ગામનાં આગેવાનો જેતે વિસ્તારના લોકો રોડના ખાતમુર્હુત માં હાજર રહ્યાં હતાં. ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ધારાસભ્ય એ ખારીયા ગામ થી ઠાકોરવાસ અને દેસાઈ વાસ તરફ જતો કાચો માર્ગ, રૂની રોડથી વેદારી વાટ કહેવામાં આવે છે તે માર્ગ થી કેનાલ સુધી રોડ બનાવા માટે આજે રોડનું ખાતમુર્હુત કર્યું હતું. ત્યારે વર્ષોથી પરેશાની ભોગવતાં હતાં તે સમસ્યાનો આજે નિકાલ આવતાં લોકોએ કાંકરેજ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.…

Read More

બાવળા નગર પાલિકા દ્વારા રોડ બનાવવા નુ કામ શરૂ હતું ત્યાં રાત્રિ સમયે દુર્ઘટના સર્જાઈ

બાવડા, બાવળા માં ભર ચોમાસે બાવળા નગર પાલિકા દ્વારા રોડ બનાવવા નુ કામ ચાલુ કરે છે. તેથી બાવળા ની જનતા ને રસ્તા બંધ કરવાથી વધારે તકલીફ પડે છે. જયારે બાવળા આવેલ શ્રીનંદ પાર્ક સોસાયટી આગળ નવા રોડનુ કામ શરૂ હોવાથી રસ્તા આગળ બોર્ડ મરવામાં આવેલ નથી . જેથી ગત રોજ રાત્રે નવ વાગે રાજકોટ થી મહેમાન આવવાથી અજાણ્યા રોડ ઉપર આવવાથી GJ-05-JR-8291 નંબર ની કાર ખાડા માં ખાબકી. આ ઘટના વારંવાર ન સર્જાય તે માટે નગર પાલિકા ને વિનંતી કે કામ જ્યાં શરૂ કરાયેલ છે તે તમામ જગ્યા એ બોર્ડ…

Read More

 નર્મદા ખાતે ચિલડ્રન હોમ રાજપીપલા ના મંત્રી : મારો જિલ્લો બાળ લગ્ન મૂકત જિલ્લો

 નર્મદા,            નર્મદા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી કચેરી દ્વારા ‘મારો જિલ્લો બાળ લગ્ન મૂકત જિલ્લો ‘સમૅથન આપી સાથે સાથે આગળ ધપાવવા ચિલડ્રન હોમ, રાજપીપલા, નમૅદા ના માનદ મંત્રી તેમજ સામાજિક કાર્યકર એવા વિજયભાઇ રામી દ્વારા અનુરોધ. આજ ના સમયમા બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે. જે આવનાર પેઢીઆે માટે અભિષાપ છે, બાળ લગ્ન એ  બાળકો ની માનસિક અને શારીરિક સ્થિતિ ને અસર કરે છે. ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક પાસાઆે ને પણ વિપરિત અસર કરે છે. અને યુવાનોના વિકાસ મા અવરોધક બને છે. બાળ લઞન કરવા…

Read More

થાનગઢ ખાતે 11 સપ્ટેમ્બર નિમિતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો : સ્વામી વિવેકાનંદજી આજ રોજ 11 સપ્ટેમ્બર નિમિતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી લક્ષમણભાઈ અલગોતર તેમજ થાનગઢ શહેર ભાજપ યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર તેમજ પાર્ટી ના કાર્યકરો જોડાયા હતા. રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ

Read More

મોરબી ખાતે જન સુવિધા ન મળતા જન અધિકાર મંચના ઉપપ્રમુખ સહિતના યુવાનો દ્વારા કલેકટરને ગુજરાત

મોરબી, મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ સેવાસદનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો સરકારી કામ કાજ માટે આવે છે . જેમાં મુખ્ય જન સુવિધા કેન્દ્ર તથા દસ્તાવેજને લગતી કામગીરી માટે વધારે લોકો આવતા હોય છે . તે લોકો માટે આ કચેરીમાં પીવા માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી .. !, માણસોને બેસવા માટેની પ્રાથમિક સુવિધા પણ નથી. જેથી લોકોને રોજ તડકામાં બેસવું પડે છે, તથા વરસાદના સમયમાં બહાર પલળતા ઉભા રહેવું પડે છે તેમજ દસ્તાવેજની કામગીરી માટે મોટી ઉંમરના પણ ઘણાં માણસો આવે છે . તો બેસવા માટેની વ્યવસ્થા તો ખાસ હોવી જ જોઈએ…

Read More

સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના વિભાગમા ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓના ભોજન માટે રૂા.૫ લાખની સહાય

વેરાવળ, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસના સંક્રમણના કારણે પ્રભાવિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજીક સંસ્થાઓ અને લોકોને કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે આર્થિક સહાય કરવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે સંસ્થાઓ આગળ આવી મદદ કરી રહી છે. પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને રાજમોતી પરિવાર તરફથી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના વિભાગમા ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓના ભોજન માટે રૂા.૫ લાખની સહાય આપવામાં આવી હતી. સહાય બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

ડીસા તાલુકાના રોબસ ગ્રામ પંચાયતના સરપંચ આજ દિન સુધી પંચાયત ની અંદર હાજરી ન આપતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

ડીસા, ડીસા તાલુકાના રોબસ ગ્રામ પંચાયતના સરપંચ આજ દિન સુધી પંચાયત ની અંદર હાજરી ન આપતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે .અનેક વાર સરપંચને રજૂઆત કરવા છતાં પણ સરપંચ હાજર ન રહેતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રોબસ મોટી ગ્રામ પંચાયતના સરપંચ સમુબેન કાળાભાઈ ચૌધરી ચૂંટણી જીત્યા ને ચાર વર્ષ વીતી ગયા છતાં પંચાયત ની અંદર હાજરી ન હોવાથી લોકો ના અને કામ થતાં નથી તેવું લોકમુખે જાણવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયત ની અંદર રોબસ મોટી ગ્રુપ ગ્રામ પંચાયત લોકોને પાણીની સમસ્યા અનેકવાર સરપંચને ફોન કરવા છતા સરપંચ ફોન…

Read More