ખેડબ્રહ્મા શહેર માં કોરોના ના વધતા કેસો ને જોઈ ખેડબ્રહ્મા વેપારી એસોસિયેશન દ્વારા સદ્દંતર બંધ

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એ સાથે વેપારી એસોસિયેશન સાથે બેઠક કરી તારીખ 14 સોમવાર થી તારીખ 21 સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
જે તે દુકાન ખુલ્લી જોવા મળશે તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે . ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ, શાળા-કૉલેજો ચાલુ રહેશે.અને ત્યાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે.  ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વહેપારી એસોસિયેશન સાથે લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે. પોતાના રક્ષણ માટે સહકાર આપવા અપીલ છે. ઘર માં રહો સુરક્ષિત રહો.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment