નિકાવા ગામે કોરોનાના ચાર પોઝેટીવ કેસ આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ

કાલાવડ,

            કાલાવડ તાલુકાના નિકાવા ગામે છેલ્લા ઘણાં સમયના વિરામ બાદ આજે ફરીથી કોરોનાના ચાર પોઝીટીવ કેસો આવતા ગ્રામજનોમાં ફફડાટથી ફેલાયો સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિકાવા ગામના યુવા ઉત્સાહી સરપંચ દ્વારા સંયમ જાળવવા તાલુકાની જનતાને  અપીલ કરી છે. તેમજ હાલના કપરા સમયમાં ધૈર્યથી કામ લેવું, ખોટી અફવાઓ ફેલાવી નહીં, અફવાઓમાં આવુ નહીં, તેમજ સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત પણે પાલન કરવું, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત પહેરવું વગેરે બાબતોની સાવચેતી રાખવા અનુરોધ કર્યો.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment