સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના વિભાગમા ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓના ભોજન માટે રૂા.૫ લાખની સહાય

વેરાવળ,

સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસના સંક્રમણના કારણે પ્રભાવિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજીક સંસ્થાઓ અને લોકોને કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે આર્થિક સહાય કરવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે સંસ્થાઓ આગળ આવી મદદ કરી રહી છે.

પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને રાજમોતી પરિવાર તરફથી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના વિભાગમા ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓના ભોજન માટે રૂા.૫ લાખની સહાય આપવામાં આવી હતી. સહાય બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment