રાજકોટ, રાજકોટ શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે જેને માન્યતા આપવામા આવી છે. એવી ૧૩ ખાનગી હોસ્પિટલમાંથી માત્ર ૬ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનું N.O.C છે. એ સિવાયની બાકીની ૭ હોસ્પિટલ જીવતા બોમ્બ જેવી છે. ૭ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. સામાન્ય આગ ભિષણ સ્વરૂપ ધારણ કરી લે તો તેમા દાખલ કોરોનાના દર્દી જીવતે જીવતા ભુંજાય જાય તેમા શંકાને કોઇ સ્થાન નથી. અમદાવાદની ઘટના પછી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલને રિતસર પગતળે રેલો આવ્યો હોય તેમ તાબડતોબ મિટિંગ બોલાવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફને તમામ કોવિડ હોસ્પિટલમાં દોડાવ્યો હતો. રાજકોટ મનપાનું તંત્ર અન્ય કોઇ…
Read MoreMonth: August 2020
દિયોદરમાં લક્ષ્મીપુરા વોટ નંબર 4 માં ગટરો ઉભરાતા અને વરસાદી પાણી ભરાતા રોગચાળાની ભીતિ
દિયોદર, દિયોદર માં આવેલ લક્ષ્મીપુરા વિસ્તાર વોર્ડ નંબર ચાર માં ગટરો ઉભરાતા અને ચોમાસા ની ઋતુ માં વરસાદી પાણી ભરાતા આવનારા સમયમાં રોગ રોગચાળાની દહેશત ફેલાઈ ના રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઇએ. અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવવાની સમસ્યા છે પણ આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ગટરો ઉભરાતા લક્ષ્મીપુરા વોર્ડ નંબર ચાર ના વિસ્તારમાં રહેતા લોકો ગટરની દુર્ગંધ થી રોગચાળાની સ્થિતિ ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગટરોની સફાઈ કરાવી જોઈએ. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreઆંતર રાજયમાં કાસ્ટીંગના પાઇપની ચોરી કરનાર ગેંગના ૧૫ સભ્યોને ધાડ પાડવાની તૈયારી સાથે પકડી પાડતી. રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ, રાજકોટ શહેર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણ શોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે L.C.B રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ એમ.એન.રાણાના માર્ગદર્શન મુજબ L.C.B શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા. તે દરમ્યાન મળેલ પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા નાઓને સંયુકતમાં ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ જે હકિકત આધારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઇ-વે રોડ ઉપરથી ૧૫ ઇસમોને ધાડ પાડવાની તૈયારી કરતા ઘાતક હથીયારો…
Read Moreજામ કંડોરણા ખાતે કોરોના પોઝેટીવ આવતા ગ્રામજન ભયભીત
જામ કંડોરણા, જામ જોધપુરન તાલુકા ના શેઠવડારા મા કોરોના નો 2 કેશ શેઠવડારા ગામે ડોકટર તરીખે ફરજ બજાવતા બે ડોકટરો નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો શેઠવડારા ગામે રહેતા ડો,અતુલ રામજીભાઈ ભંડેરી ડો. મનીષ શાંતિભાઈ મહેતા ઉ,વ 37 ને આવ્યો કોરોના પોઝિટિવ રીપોર્ટ, શેઠ વડારા મા કોરોના નો કેશ આવતા ગામ તથા આજુબાજુ ના વિસ્તારમાં મા લોકોમા ભય જોવા મળ્યો. એહવાલ : સંજય પરમાર, જામ કંડોરણા
Read Moreરાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા, આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ અને ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો
રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ છે. જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો છે. આજે મૃત્યુ પામનાર દર્દીઓમાં રાજકોટના ૬, જેતલસરના ૧, નરીચણાના ૧, અને જામકંડોરાણાના ૧ દર્દીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. રાજકોટ જંગલેશ્વરના હાજીભાઈ ઇસ્લામભાઈ પરમાર (ઉ.૭૦), સત્યમ્ પાર્કના માલુબેન રઘુભાઇ (ઉ.૫૬), સુભાષનગરના જયાબેન નાનજીભાઇ પરમાર (ઉ.૫૫), રણછોડનગરના રામભાઇ રાઘવભાઇ કાપડીયા (ઉ.૮૧-રિપોર્ટ બાકી), રણછોડનગરના મનિષભાઇ ગુલાબભાઇ સવાણી (ઉ.૪૦), લક્ષ્મીવાડી મેઇન રોડના હિતેષભાઇ પ્રભાશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.૪૭), જેતલસરના સતારભાઇ ઇસ્માઇલભાઇ બેલીમ (ઉ.૭૦), ધ્રાંગધ્રા નારીચાણાના ગોમતીબેન…
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હેમાંગભાઈ રાવલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે
ગીર સોમનાથ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ હેમાંગભાઈ રાવલ દેવોના દેવ મહાદેવ સોમનાથના દર્શને પધારેલ તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એજ્યુકેટીવ કમિટીના મેમ્બરો નિલેશભાઈ જોશી તેમજ સૌમિલભાઈ રાવલ પણ પધારેલ. સોમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ હારૂનભાઈ ચોરવાડા, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ અને મહામંત્રી વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રેમભાઈ ગઢિયા, વેરાવળ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પી.એ. ખંજનભાઈ જોશી અને અન્ય સોશિયલ મીડિયાના હોદ્દેદારો હીતેષભાઈ સોલંકી, નરેશભાઈ ચાવડા અને હેમંતભાઈ ચૌહાણે વેરાવળ સોમનાથ પધારેલે…
Read Moreવેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર
ગીર-સોમનાથ, ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. વેરાવળ શહેરમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ એસ.એસ.વાય.કોલોનીમાં આવેલ લાભુબેન રાણભાઈ મોરીનું રહેણાંક મકાન, સલાટ વાડાની બીજી ગલીમાં આવેલ મહેશ નરસીભાઈ મુરબીયાનું રહેણાંક મકાન, રાજેન્દ્રભુવન રોડ, પશુ દવાખાનાની બાજુમા જુના ક્વાર્ટરમાં આવેલ વનરાજસિંહ ભગવાનભાઈ પઢીયારનું રહેણાંક મકાન, બહાર કોટ લાબેલા રોડ ખાતે આવેલ જુબેદા ઈબ્રાહીમ ખાનનું…
Read Moreશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવનો ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગીર સોમનાથ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે તા.૦૬/૦૮/૨૦૨૦ ના રોજ સંસ્કૃત સપ્તાહોત્સવનું સમાપન કરવામાં આવ્યું. ૩૧/૦૭/૨૦૨૦થી સાત દિવસ સુધી આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં વિવિધ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમો યોજાયા હતા. આરંભમાં અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિતકુમાર પટેલે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમાપન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓના નામ જાહેર કરી તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. સમગ્ર સપ્તાહનો અહેવાલ ડો. દીપેશ…
Read Moreરાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રનીલાપરવાહી
રાજકોટ, રાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર કોઈપણ વ્યક્તિની કોરોના તપાસ કર્યા વિના ખાલી પૂછપરછ કરીને હેલ્થ કાર્ડ કઢાવી આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર વાળુ લખાણ નું ઝેરોક્ષ કોરા કાગળ પર તમારો બ્લેક એન્ડ વાઈટ ફોટો હોય અને આરોગ્ય કેન્દ્ર નો સિક્કો મારી આપવામાં આવી અને તે જ હેલ્થ કાર્ડ હોય એવું જણાવે છે. લોલમલોલ અને લાપરવાહી અને તંત્રની ઘોર બેદરકારી જાણવામાં આવે છે. કોઈ પણ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવતું નથી. મોઢે માસ્ક પણ બાંધેલું હોતું નથી. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read Moreરાજકોટ શહેર બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગ ને થઇ રહ્યો છે,વરસાદી જળાભિષેક. મેયર બીનાબેન આચાર્ય લીધી મુલાકાત
રાજકોટ, રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદના પગલે ઉપરવાસમાં વધુ પાણી ભરાઈ ગયેલ હોવાથી. સતત બે દિવસ થી પડી રહેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ. ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગ ને થઇ રહ્યો છે. વરસાદી જળાભિષેક. મેયર બીનાબેન આચાર્ય લીધી વિસ્તારની મુલાકાત ફાયર વિભાગની ટિમ નીચાણ વાળા વિસ્તારમાં છે. તૈનાત રામનાથપરા, બેડીપરા, ભગવતીપરા સહિત ૫ જેટલા વિસ્તારના લોકોને કરાયા સાવચેત. લોકોને આજી નદીના પટ તરફ ન જવા તાકીદ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલીકા તંત્ર એ આપી સૂચના. જરૂર જણાયે લોકોનું સ્થળાંતર…
Read More