રાજકોટ,
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદના પગલે ઉપરવાસમાં વધુ પાણી ભરાઈ ગયેલ હોવાથી. સતત બે દિવસ થી પડી રહેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ. ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગ ને થઇ રહ્યો છે. વરસાદી જળાભિષેક. મેયર બીનાબેન આચાર્ય લીધી વિસ્તારની મુલાકાત ફાયર વિભાગની ટિમ નીચાણ વાળા વિસ્તારમાં છે. તૈનાત રામનાથપરા, બેડીપરા, ભગવતીપરા સહિત ૫ જેટલા વિસ્તારના લોકોને કરાયા સાવચેત. લોકોને આજી નદીના પટ તરફ ન જવા તાકીદ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલીકા તંત્ર એ આપી સૂચના. જરૂર જણાયે લોકોનું સ્થળાંતર કરવા ફાયર ના જવાનો છે. તૈનાત જરૂર જણાય સાવચેત જગ્યાએ જવા લોકોને અપીલ કરવામાં આવેલ.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ