આણંદ જિલ્લાના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે સ્થાનિક રજા આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ

     નિયામક ઔધાગિક સલામતી અને સ્વાસ્થ્યની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.

મતદાનના દિવસે જે તે મતવિસ્તારની સંસ્થાઓમાં કારખાના ધારા એકટ તથા ધી બિલ્ડીંગ એન્ડ અધર કનસ્ટ્રકશન વર્કસ એકટ હેઠળ કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે સ્થાનિક રજા આપવા અથવા  વૈકલ્પીક વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.

આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ જાતની કપાત કરવાની રહેશે નહી. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫-Bની જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશેતો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment