રાજકોટ, રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવ્યા હતા. આ દર્દી જ્યા રહેતા હોય તેમના આસપાસના મકાનોને ક્ધટેઇનમેન્ટ ઝોન હેઠળ લેવામા આવ્યા છે. તેમા રહેતા પરિવારને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. ગતરોજ જે ૫૦ કેસ આવ્યા હતા. તેમા દર્દીના નામ-સરનામા તો જાહેર કરવામા આવ્યા નથી. પરંતુ આ દર્દીના આસપાસના ૧૯૩ મકાનના ક્ધટેઇનમેન્ટ ઝોન અને તેમા ૮૪૧ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા હોવાની જ વિગત મનપાએ જાહેર કરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read MoreDay: July 29, 2020
જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ખાતે આઉસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ
પંચમહાલ, પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર ખાતે કાર્યરત જિલ્લા પંચાયત પંચમહાલ કચેરી ખાતે ચોમાસુ ઋતુ દરમ્યાન દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયે રાજય સરકાર હસ્તકના રેગ્યુલર કર્મચારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે ફરજો સુપ્રત કરવામાં આવતી હોય છે. ત્યારે ચોમાસા ઋતુ ના આગોતરા આયોજન માં આઉસોર્સિંગ થી કોન્ટ્રાક્ટ માં ફરજ બજાવતા કર્મચારીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. એક દમ મજૂરી વર્ગ જેવા પગારમાં કામ કરતા કોન્ટ્રાકટ વાળા કમચારીઓ પાસે થી અધધ વિવિધ પ્રકારના ટેક્સ સરકાર દ્વારા વસૂલવામાં આવતા હોય છે. જી.એસ. ટી.૯ % સી.જી.એસ. ટી. ૯ % ઈનકમ ટેક્સ, પ્રોફેનલ ટેક્સ, ઇ.એસ.…
Read Moreદેવઢ બારીઆ નગર પાલિકા પ્રમુખ ની ચૂંટણી ને લઇ રાજકારણ ગરમાયુ….
દેવઢ બારીઆ, દેવઢ બારીઆ નગર પાલિકા પ્રમુખ ની ચૂંટણી ને લઇ રાજકારણ ગરમાયુ, નવા ચહેરાને પ્રધાન આપવાની તૈયારી ઓ બારીઆ નગર પાલિકા ની અવધિ પુરી થતા નવા પ્રમુખ માટેની ચર્ચાઓ બારીઆ શહેર માં થવા લાગી છે . જૂજ દિવસો બાકી છે ત્યારે કોણ પ્રમુખ ના દાવે દાર છે જે બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં સ્થાની પ્રજા સહિત ચૂંટાયેલા પાલિકા સભ્યોનો એક જ સુર છે કે આ વખતે નવા ચહેરાને પ્રમુખ પદ માટે નિયુક્ત કરવાના છે. સ્થાનિક પાલિકા સભ્યો નું કહવું છે. બારીઆ નગર પાલિકા ચૂંટણી ને લઈને જૂજ દિવસો…
Read Moreદાહોદ નગરના કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન ની કામગીરી……
દાહોદ, દાહોદ નગરના કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન કામગીરી ફૂલ સ્વીંગમાં ગોવિંદનગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કરાયું. દાહોદમાં કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયંત્રિત વિસ્તાર બનાવ્યા બાદ હવે ત્યાં નગરપાલિકા દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં સાંજના છ વાગ્યાથી દસ વાગ્યા સુધી સેનિટાઇઝેશન કરવામાં આવશે. આવી સૂચના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આપવામાં આવી છે. દાહોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહાએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દી મળી આવ્યા બાદ જે તે વિસ્તાર -ઘરને નિયંત્રિત કરવાની કામગીરી ઉપરાંત…
Read Moreભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ સાથે ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ
ભાવનગર, ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ. ઠાકર સા દ્વારા ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઇન્સ.જે.જે.રબારી તથા ઇન્ચાર્જ એસ.એમ.સોલંકી સા દ્વારા સ્ટાફનાં માણસોને ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારની બદી નેસ્તનાબુદ કરવાં માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ.કો.એસ આર રાણા તથા પો.કો.ઇરફાનભાઇ એસ અગવાન તથા પો.કો.ભીખુભાઇ એ બુકેરા તથા પો.કો.નરેશભાઇ જી વાજા તથા પો.કો.રાહુલભાઇ કે કંટારીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ અગવાન…
Read Moreરાજકોટ શહેર અયોધ્યા ચોકમાં પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ
રાજકોટ, રાજકોટ શહેરના અયોધ્યા ચોકમાં જૈનમ એપાર્ટમેન્ટમાં માવતરે ૧૦ મહિનાથી રહેતા રક્ષિતાબેન લલિતભાઈ ઉર્ફે આનંદભાઈ દવે નામની પરિણીતાએ પોરબંદર રહેતા પતિ લલિતભાઈ ઉર્ફે આનંદભાઈ જયંતીભાઈ દવે, કાકાજી સસરા હસમુખભાઈ મેઘજીભાઈ દવે, કાકીજી સાસુ દમયંતીબેન દવે અને નણંદ મનીષાબેન અશ્વિનભાઈ મહેતા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન માર્ચ ૨૦૧૯ માં થયા હતા. લગ્ન બાદ ચારેક મહિના સારી રીતે રાખ્યા બાદ કાકાજી, કાકીજી ઘરકામ બાબતે મેણાંટોણાં મારતા હતા. અને નણંદ મારી જાણ બહાર રક્ષિતાને છોડી દેવા પતિને ચડાવતી હતી. અમે રાજકોટ રહેવા આવી ગયા બાદ હું પ્રેગ્નેટ હોવા છતાં ચડામણી…
Read Moreરાજકોટ શહેર જાતીય સુખ મેળવવા ગુપ્તાંગમાં નાખેલી લાકડી પેશાબની કોથળીમાં ફસાઈને બટકી ગઈ અને પથરીનું કારણ બની
રાજકોટ, રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વિભાગીય વડા ડો.જીતેન્દ્ર અમલાણીના માર્ગદર્શન હેઠળ યુરો-સર્જન ડો.જીગેન ગોહેલ અને ડો.પ્રતિક અમલાણીએ ઓપરેશન કરી પથરી દૂર કરી પથરી કાઢતા જ ડોકટર અચંબામાં પડી ગયા. પેશાબની કોથળીમાં આશરે ૬ સે.મી. જેટલી લાંબી સાઈઝની લાકડી ખેતરમાં જોવા મળતી ઝાડની લાકડી જોવા મળી હતી. અને તે લાકડી સાથે ૪ સે.મી. સાઈઝની પથરી ચોટેલી હતી દર્દીને વિશ્ર્વાસમાં લઈ હકિકત જાણી અને દર્દીએ સ્વીકારેલ કે જાતીય સુખ સંતોષવા માટે આવી લાકડી પેશાબનાં રસ્તે નાંખતી હતી. જે લાકડી તુટીને પેશાબની કોથળીમાં ફસાઈ ગઈ પરંતુ સામાજીક ડરના કારણે તેણે આ…
Read Moreરાજકોટ શહેર પોલીસ કમિશનરે ફરિયાદ માટે લોકોને રૂબરૂ આવવાની જગ્યાએ ઇ-મેઇલ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ
રાજકોટ, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરવા માટે અપીલ કરી છે. જે માટે પોલીસ કમિશ્નરે રાજકોટના તમામ પોલીસ મથકોના ઇ-મેઇલ આઇ-ડી અને મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જેથી રાજકોટવાસીઓ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર થકી ફરીયાદ કરી શકે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦૦ને પાર થઇ ગઇ છે. બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીના ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreજામનગર ખાતે રોટરી કલબ સેનોરાસ જામનગર, દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જામનગર , જામનગર ખાતે રોટરી કલબ સેનોરાસ જામનગર, દ્વારા ૧૭-૭-૨૦ અને ૨૬-૭-૨૦ ના રોજ વૃક્ષારોપણ નો બીજો પ્રોજેક્ટ કરવા માં આવ્યો . વિનાયક સીટી ના કોમન પ્લોટ માં રોપાઓ વાવવામાં આવ્યા હતા. કુલ ૪૦ ઝાડ ના રોપા જેમાં બોરાસ આમલી, જામફળ,ગુલમહોર, આસોપાલવ અને સરગવો, અન્ય ફૂલ ના રોપા વાવ્યા હતા . વધુમાં ગોકુલનગર માં આવેલી શ્રી બુદ્ધિ સાગર વિદ્યાલય માં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. શાળા ના ગ્રાઊન્ડ માં જગ્યા મુજબ ૨૦ જેટલા રોપાઓ વાવવા માં આવ્યા હતા. વૃક્ષારોણ ના અગાઉ ના પ્રોજેક્ટ હવે પછી કરવાના ચાલુ રહેશે. કલબ ના…
Read More