ઝાલોદ, દેશ આખા માં કોરોના મહામારી ચાલી રહી છે અને લોકડાઉન નો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે અને સરકારના સૂચન મુજબ કોઈ પણ પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો પર પણ પાબંદી લગાવેલી છે. મુસ્લિમો નો પવિત્ર રમઝાન માસ હવે પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે ઇદ ને અનુલક્ષી ને ઝાલોદ મુસલમાન ઘાંચી સમાજ પંચ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે ઇદુલ ફિત્ર ની નમાઝ ઇદગાહ માં ભેગા મળી પઢી શકાય તેમ ના હોય બધા લોકો પોત પોતા ને ઘરે જ રહી નમાઝ અદા કરે. જેવી રીતે લોકડાઉન જાહેર થયુ…
Read MoreMonth: May 2020
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જણાવાયું છે કે આવશ્યક ચીજ વસ્તુઓ અથવા સેવા સાથે સંકળાયેલા દુકાનોને ઓડ ઇવનની જોગવાઈ લાગુ પડશે નહિ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાનો તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપો સમયના કોઈ પણ બાધ વગર ખુલ્લા રાખી શકાશે. ઉદ્યોગો તથા પેટ્રોલપંપ સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દૂધ એકત્રીકરણ અને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. વધુમાં જાહેરનામું જણાવાયું છે કે આંતર જિલ્લા અવર-જવર માટે જિલ્લાની ચેકપોસ્ટ ખાતે જિલ્લામાં આવતા લોકોએ આરોગ્ય ચકાસણી કરાવવાની રહેશે. પોતાના હાલના જિલ્લા અને રાજકોટ જિલ્લાના સરનામાં, મોબાઈલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે. તે સંબંધે પુરાવા રજુ…
Read Moreરાજકોટ શહેર ના જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ ૨ કેસ આવ્યા પોઝિટિવ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દી મુસાભાઈના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ ૨ દર્દીઓ આવ્યા પોઝિટિવ. બન્ને દર્દીઓને સમરસ હોસ્પિટલમાં સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. રેશ્મા અસરફ ઠેબા, ઉ.૩૩ ગોજીયા મસ્જિદ પાસે જંગલેશ્વર, મહમદ હનીફ રજાક ઠેબા, ઉ.૪૦ ગોજીયા મસ્જિદ પાસે જંગલેશ્વર, મુસાભાઇ જીવાભાઇ ચાનીયા નાં કોન્ટેક્ટ હોવાથી તેમને ફેસેલીટી કોંરેન્ટાઇન કરેલ હતાં. આજરોજ વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટ શહેરમાં આજરોજ સુધી કુલ ૭૮ કેસ નોંધાયેલ છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓ સાજા થયેલ છે. જ્યારે ૧૫ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર,…
Read Moreરાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ હવે ઇન્ટરકોમથી વાત કરી કોરોનાથી બચશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનના અંદરના ભાગે અરજદારો પ્રવેશ ન કરે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં અને સોશ્યલ ડિસ્ટસીંગ નુ પુરેપુરુ પાલન થાય તેવા હેતુથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા કરવામા આવેલ છે. જેમા અરજદારોની રજુઆત સાંભળવાની વ્યવસ્થા કરવામા ફોન દ્વારા કરવામાં આવેલ છે. પોલિસ સ્ટેશનમાં પ્રવેશતા તમામ અરજદારોને ફરજીયાત થર્મલ સ્કેનીંગ કરવામા આવે છે. તેમજ સેંનેટાઈઝરથી તેના હાથ સેનેટાઈઝ કરવામા આવે છે. તેમજ અરજદારો દ્વારા અરજી આપવામા આવેતો તે પણ સેનેટાઈઝર સ્પ્રે થી સેનેટાઈઝ કરવામા આવે છે. અરજદારોએ…
Read Moreગઢડા તાલુકાના ઢસા જકશન માં ફરીથી S.T. બસના રૂટ શરુ……
ગઢડા , ગઢડા તાલુકાના ઢસા જંકશન માં આવેલ G.S.R.T.C બસ સ્ટેશન માં લોકડાઉન 4 માં 21-5-2020થી ટોટલ હાલ 13 બસ ચાલુ કરેલ છે. જેમાં ઢસા થી બરવાળા, ઢસા થી બોટાદ, ઢસા થી ગઢડા જવા માટે મંજૂરી મળેલ છે, તેમજ બસ ચાલુ થવાંથી મુસાફરો માં ખુશી જોવા મળી રહી છે, તેમજ વેપારી મિત્રો માં પણ ખુશી જોવા મળી રહી છે, હજી ભાવનગર ડિવિજન માંથી બસમાં રુટ વધારવાની સંભાવના છે. તારીખ 21-03-2020 થી બસ માં મુસાફરી બંધ થઈ જતા મુસાફરો એ બહુજ હાલાકી ભોગવેલ હતી. બસ શરૂ થતાં ડેપો મેનેજર એ પણ…
Read Moreઅમરેલીના ધારી પંથકમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો
અમરેલી, – અમરેલીના ધારી પંથકમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો …. – ધારી ના ભાડેર ગામે માતા-પુત્ર પર દીપડાનો હુમલો ગામ લોકોમાં ભય ફેલાયેલ.. – ધારી તાલુકાના ભાડેર ગામે માલસીકા રોડ પર આવેલ વાડીએ ખેતીકામ કરી રહેલ માતા-પુત્ર પર દિપડાનો હુમલો .. – દિપડાએ હુમલો કરતાં તાત્કાલિક સારવાર અર્થે -૧૦૮ દ્વરા બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ… – સારવાર લઇ તેમને પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.. – બગસરા હોસ્પિટલ ડોકટર દ્વારા તાત્કાલીક સારવાર આપેલ.. – ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે વન વિભાગ દોડી ગઇ હોય તેવું પણ જાણવા મળેલ.. – ગામ લોકોએ પણ…
Read Moreસમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવરભાઈ ચોહાણ દ્વારા ઈદની નમાઝ ઘરે જ અદા કરવાની અપીલ કરાઈ
ગીર સોમનાથ, સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવરભાઈ ચોહાણ દ્વારા વેરાવળ તથા આજુ બાજુ ના તાલૂકા ના રહતા લોકોને જણાવ્યુ કે હાલ સમગ્ર ભારત મહામારી ની ચપેટમાં છે તો સરકાર ના સૂચનાઓ નૂ અમલ કરીને સોશીયલ ડિસ્ટન્સ રાખી માસ્ક નૂ ઉપયોગ દિશા નીદેઁશ અનુસાર આવનારી ઈદની નમાઝ પોત પોતાના ઘર મા જ અદા કરી લેવી અને ઈદના દિવસે ઈદ મીલન સમારોહ લાબેલા નૂં મોકૂફ રાખવામાં આવે છે કોરોના 19 મહામારી નાં અનુસંધાને સરકાર નાં નિર્દેશ અમલ કરીએ પોતાના પરીવાર ની સાથે સાથે સમાંજ મા પણ આ રોગ ફેલાવો અટકાવીએ,…
Read Moreદાહોદ ખાતે ઇદ પર્વની ઉજવણી સાવચેતી સાથે કરવા કલેક્ટર વિજય ખરાડીની જાહેર અપીલ
દાહોદ, દાહોદ ખાતે કલેક્ટર વિજય ખરાડીએ રમજાન માસની પૂર્ણાહુતિ અને તે પ્રસંગે ઉજવાતા ઇદના તહેવાર અનુલક્ષીને તમામ મુસ્લિમ સમાજને શુભકામનાઓ પાઠવી છે અને રમજાન ઇદનો તહેવાર સામાજિક અંતરના પાલન, સેનિટાઇઝેશનના અનુપાલન સાથે મનાવવામાં આવે તેવી અપીલ કરી છે. ખરાડીએ આપેલા શુભકામના સંદેશમાં કહ્યું કે પવિત્ર રમજાન માસ દરમિયાન દાહોદના સમગ્ર મુસ્લિમ સમાજે રોજા રાખી ઇબાદત કરી છે. આ રમજાન માસમાં કોઇ પણ સામુહિક બંદગી ના કરીને તમામ લોકોએ ખૂબ જ નેકીનું કામ કર્યું છે. વહીવટી તંત્ર અને પોલીસને અત્યાર સુધી મુસ્લિમ સમાજે સુંદર સહયોગ આપ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના સમયમાં…
Read Moreરાજકોટ શહેર જીલ્લા જેલ અમદાવાદની જડતી સ્ક્વોડે દરોડો પાડી ૪ મોબાઈલ ફોન પકડ્યા, સંડાસમાં છુપાવ્યા હતા ફોન
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા જેલ વધુ એક વખત પ્રતિબંધિત ચીજ એવા મોબાઈલ ફોન મળતા ખળભળાટ મચ્યો છે. રાજકોટ જેલમાંથી અગાઉ પણ તમાકુ, સિગારેટ, કેબલ, મોબાઈલ ફોન, બીડી, ફાકી સહિતની ચોજવાસ્તુઓ મળી આવી હતી. અમદાવાદ જડતી સ્ક્વોડે દરોડો પાડી ચેકીંગ કરતા સંડાસના પોખરામાં છુપાવેલા ૪ મોબાઈલ ફોન મળી આવતા જડતી સ્ક્વોડના જેલર દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવાઈ છે. જડતી સ્ક્વોડના જેલરે કહ્યુ કે જેલ છે કે રેઢુ પઠ આ બનાવ બીજી વખત બન્યો હોય. ફરીયાદ દાખલ કરી ખાસ સુચના આપવામાં આવી છે. કે આવુ…
Read Moreરાજકોટ શહેરના મેંગો માર્કેટ નજીક એક ટ્રેકમાં અચાનક આગ ભભૂકી ઉઠી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મેંગો માર્કેટ નજીક એક ટ્રેકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટનાસ્થળે ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રકનો આગળનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ટ્રકમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More