રાજકોટ શહેર ના જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ ૨ કેસ આવ્યા પોઝિટિવ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દી મુસાભાઈના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ ૨ દર્દીઓ આવ્યા પોઝિટિવ. બન્ને દર્દીઓને સમરસ હોસ્પિટલમાં સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. રેશ્મા અસરફ ઠેબા, ઉ.૩૩ ગોજીયા મસ્જિદ પાસે જંગલેશ્વર, મહમદ હનીફ રજાક ઠેબા, ઉ.૪૦ ગોજીયા મસ્જિદ પાસે જંગલેશ્વર, મુસાભાઇ જીવાભાઇ ચાનીયા નાં કોન્ટેક્ટ હોવાથી તેમને ફેસેલીટી કોંરેન્ટાઇન કરેલ હતાં. આજરોજ વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટ શહેરમાં આજરોજ સુધી કુલ ૭૮ કેસ નોંધાયેલ છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓ સાજા થયેલ છે. જ્યારે ૧૫ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment