હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષત્તામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ખેતી વિભાગ, ડી.આઈ.એલ.આર, પી.જી.વી.સી.એલ, વન વિભાગ સહિતના વિવિધ ૧૦ થી વધુ પ્રશ્નો પ્રસ્તુત…
Read MoreDay: December 29, 2023
કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા તા.૩૦ ડીસેમ્બરના રોજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ત કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઈ રૂપાલા તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં મંત્રી સવારે સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ ૯.૩૦ કલાકે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ રૂપે વિકસિત ભારત @૨૦૪૭ કાર્યક્રમ અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭: યુવાઓનો અવાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે શ્રી ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલ વિરપુર ખાતેના કાર્યક્રમમાં મંત્રી ઉપસ્થિત રહેશે.
Read Moreહિરલવેલ ગામમાં હવે કાજલબેનનું ઘર તેમની દિકરીના નામેથી ઓળખાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત દિકરીના નામની નેમ પ્લેટ આપીને કાજલબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે કાજલબેને પોતાના પ્રતિભાવ આપતા જણાવતા કહ્યુ હતું કે, મારી દિકરીનુ નામ તનિકા છે બેટી પઢાઓ બેટી બચાઓ અંતર્ગત સરકાર દ્વારા દિકરીઓને વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તેમજ આજે મને મારી દિકરી તનિકા નામવાળી નેમપ્લેટ આપીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મને સન્માનિત કરવામા આવી છે અને હવે અમારુ ઘર મારી દીકરી તનિકા મહેશભાઈ કંડોરિયાના નામથી ઓળખાશે. જેથી દીકરીના જન્મ માટે સમાજ…
Read Moreગીર-સોમનાથ જિલ્લાનાં ખેડુતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવાઇ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના ખેડુતો માટે આઇ ખેડુત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે ઓનલાઈન અરજીઓ માટે તા. ૨૯/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમાં રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ ૨૮-૦૧-૨૦૨૪ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે…
Read Moreગીર-સોમનાથ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા તા.૩ જાન્યુઆરીના દ્રોણેશ્વર ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનીકચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૩-૨૪ આગામી તા.૦૩ જાન્યુઆરીને સવારે ૯ કલાકથી શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, દ્રોણેશ્વર ખાતે યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ૧૪ કુતિમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ ભજન, તબલા, હાર્મોનિયમ તેમજ સીધી જિલ્લાકક્ષાની ૯ કૃતિમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઇ, સર્જનાત્મક કારીગરી,…
Read Moreભોજદે ખાતે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિકસીત ભારત સંકલ્પ યાત્રા”અંતર્ગત ગીર-સોમનાથ સમગ્ર જિલ્લાના વિવિધ ગામડાઓમાં નિયત આયોજન મુજબ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામ ખાતે તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાત્રતા ધરાવતા વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના વીઝનને આપણા સૌના સહિયારા પ્રયાસોથી સાકાર કરવાનુ છે તેમજ તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણનું જતન કરવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો…
Read Moreઆજથી “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના”માટે ઓનલાઈન અરજી માટે પોર્ટર ખુલ્લુ મુકાયું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર રાજયના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના હેઠલ મહત્તમ લાભ મળી રહે તે આશયથી વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના”માટે ઓનલાઈન અરજીઓ તા.૨૯/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી તા.૨૮-૦૧-૨૦૨૪ સુધી સ્વીકારવામાં આવશે.આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાનાકીય લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે જે ઘ્યાને લઇ અત્રેના જિલ્લાના ખેડૂતોએ “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર…
Read Moreપી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તા.02/01/2024 મંગળવારના રોજ સવારના 11.00 કલાકે આઇ.ટી.આઇ.છોટાઉદેપુર ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પી.એમ.વિશ્વકર્મા યોજના હેઠળ તા૦૨/૦૧/૨૦૨૪ મંગળવારના રોજ સવારના 11.00 કલાકે આઇ.ટી.આઇ., છોટાઉદેપુર ખાતે મફત રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના કારીગરો કે જેઓ પી.એમ.વિશ્વકર્માના લાભાર્થી તેવા ૧.સુથારકામ,૨.બોટ નાવડી બનવાર, ૩.લુહાર,૪.બખ્તર/ચપ્પુ બનવાર, ૫.હથોડી અને ટુલકીટ બનાવનાર, ૬.તાળા બનાવનાર, ૭.કુંભારકામ, ૮.શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, ૯.મોચી /પગરખાં બનાવનાર કારીગર, ૧૦.કડિયાકામ, ૧૧.વાળંદ(નાઈ), ૧૨.બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર /કોયર કારીગર, ૧૩.દરજીકામ, ૧૪.ધોબી, ૧૫.ફૂલોની માળા બનાવનાર માળી, ૧૬.માછલી પકડવાની જાળી બનાવનાર, ૧૭.ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત), ૧૮.સોની. જેવા ૧૮ પ્રકારના ટ્રેડ સાથે સંકળાયેલ કારીગરોનું કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આથી…
Read Moreવડાપ્રધાનશનાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનનાં ઈન્ટરએક્ટીવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા”ની સાતમી આવૃતિ જાન્યુઆરી/ફેબ્રુઆરી – ૨૦૨૪માં ટાઉનહોલ ફોર્મેટ, ટાલકટોરા સ્ટેડિયમ, ન્યુ દિલ્હી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૧૨નાં વિદ્યાર્થીઓ, તેમનાં માતા-પિતા અને શિક્ષકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકે છે.જેનો ઉદ્દેશ્ય આવનારી બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે આત્મવિશ્વાસ પૂર્વક આપી શકે તે માટેનો છે. જેમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે તા. ૧૨/૧૨/૨૦૨૩થી તા.૧૨/૦૧/૨૦૨૪ દરમ્યાન https:/innovateindia.mygov.in/ppc-2024પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે તેમજ MCQ આધારિત પ્રશ્નોની સ્પર્ધામાં ભાગ લઈને પ્રશ્નો…
Read Moreઈ –શ્રમ કાર્ડ ધારકોને એક્સ –ગ્રેશીયાના લાભ બાબતે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના તા.૨૪/૦૮/૨૦૨૩ ના પત્રથી ઈ-શ્રમ કાર્ડ ધારકને એક્સ –ગ્રેશિયા ચુકવણી કરવા અંગેની કાર્ય પદ્ધતિ નક્કી કરેલ છે. તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી કરાવ્યા બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા મૃત્યુ થયેલ હોય કે અકસ્માતથી અપંગતા આવેલ હોય તેવા કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીના વારસદાર કે અસંગઠિત શ્રમયોગીને પોતાને અકસ્માતથી મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.૨ લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખનો લાભ મળવાપાત્ર છે. આથી તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી…
Read More