કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા તા.૩૦ ડીસેમ્બરના રોજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

   કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઈ રૂપાલા તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે.

જેમાં મંત્રી સવારે સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ ૯.૩૦ કલાકે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ રૂપે વિકસિત ભારત @૨૦૪૭ કાર્યક્રમ અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭: યુવાઓનો અવાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે શ્રી ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલ વિરપુર ખાતેના કાર્યક્રમમાં મંત્રી ઉપસ્થિત રહેશે.

 

Related posts

Leave a Comment