રાધનપુર ખાતે 223મી જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર 223મી જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપી ઉજવણી કરવામાં આવી હતી. આરતી,ભજન,ભોજન અને ભવ્ય શોભા યાત્રા સહિતના અલગ અલગ કાર્યક્રમો આપી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.સમગ્ર રઘુવંશી સમાજ રાધનપુર વિસ્તારનો એક મંચ ઉપર આવી રાધનપુર ખાતે 223મી જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિરથી શ્રી રામ વાળી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. રાધનપુર લોહાણા સમાજના પ્રમુખ રઘુરામભાઈ ઠક્કર અને ચકનભાઈ ઠક્કર અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશભાઈ ગોકલાણી અને તેમના પરિવાર દ્વારા શોભાયાત્રા ની અંદર બગીનો લ્હાવો લીધો હતો. સમગ્ર રાધનપુરના રઘુવંશી યુવક મંડળ રાજુભાઈ ઠક્કર, ગિરીશભાઈ ઠક્કર, વાસુદેવભાઈ ઠક્કર, મહેશભાઈ મુલાણી, અને અન્ય રઘુવંશી સમાજના યુવાનો જોડાયા હતા. ભવ્ય શોભાયાત્રા સાથે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment