હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનાં ચિરોડાસંગ તથા કલ્યાણપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં, ગ્રામજનોની ટી.બી, સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા…
Read MoreDay: December 11, 2023
જામનગર જિલ્લાને મળી પાંચ મોબાઈલ પશુવાન
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર તાલુકાના નારણપર ગામેથી જિલ્લાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પાંચ મોબાઈલ પશુવાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મોબાઈલ પશુવાન થકી પશુપાલકોના પશુઓને ઘર આંગણે સારવાર મળી રહેશે. અને પશુઓની તાત્કાલિક સારવાર થઈ શકશે. એક પશુવાન ૧૦ ગામડાઓને આવરી લેશે. જામનગર જિલ્લાના ક્યા-ક્યા વિસ્તારોમાં સેવા આપશે ? જામનગર (ગ્રામ્ય) તાલુકામાં નાઘેડી, ગોરધનપર, ખારા બેરાજા, ઢીંચડા, વિભાપર, નવા નાગના, જુના નાગના, મોરકંડા, ખીમલીયા, ધુંવાવ, સિક્કા, મૂંગણી, ગાગવા, દિગ્વિજય ગ્રામ, નાની ખાવડી, મોટી ખાવડી,…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના નારણપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર સરકાર વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી જામનગર તાલુકાના નારણપર ગામે એચએમ નંદા માધ્યમિક શાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કંકુ તિલક કરીને રથને આવકારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી એ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાની જાગૃતિ ફેલાવવા…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના સુમરી ગામમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો અર્પણ કરાયા જામનગર તા.૧૧ ડિસેમ્બર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અને તેના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત તા.૧૫મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત, જામનગર તાલુકાના સુમરી (ધુતારપર) ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું…
Read Moreકેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.૧૫ મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં હજારો લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અર્પણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે.…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની
હિન્દ ન્યુઝ, ભાવનગર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે જીવનમાં બે મહત્વના મોટા કાર્યોમાં એક લગ્ન પ્રસંગ અને બીજુ પરિવાર માટે સુરક્ષિત પાકુ મકાન બનાવવાનું સ્વપ્ન હોય છે. બાળકોના ભણતરનો ખર્ચ, પત્નીની જરૂરિયાતો, માતા-પિતાની કાળજી સહિતની તમામ જવાબદારીઓ હોય છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણમાં લાગનાર ખર્ચનો અંદાજ લગાવીને બચત શરૂ કરી દે છે, વધુમાં દીકરા-દીકરીના લગ્ન માટે પણ બચત શરૂ કરી દે છે. એવામાં, ભણતર અને લગ્નની ચિંતામાં પાકા મકાનનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ દરેક ક્ષેત્રના વિકાસ…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની
હિન્દ ન્યુઝ, ભાવનગર ગામેગામ ભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સંખેડા તાલુકાના ગરડા ગામે પહોંચતા ‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ અંગે લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળવાર્તા રજૂ કરી હતી. સંખેડા તાલુકાના ગરડા ગામની કિશોરી ગોસાઈ ભાવિશા નર્મદગિરીએ ભારત સરકારના કોલ મંત્રાલયના સયુંકત સચિવની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા નિમિત્તે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાની વાત રજૂ કરી હતી. મને પૂર્ણાશક્તિના માસિક ચાર પેકેટનો લાભ મળે છે, જેનાથી હું અવનવી વાનગીઓ તૈયાર કરીને ભોજનમાં લઉ છુ. આ ખોરાક ખાવાથી…
Read More‘હર હાથ કો કામ, હર હાથ કો દામ’ના ના સરકારના સૂત્ર સાથે વિચરતી અને વિમુક્ત જાતિની છોટાઉદેપુર ખાતે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સંચાલિત વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટેનું બોર્ડ અને જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ છોટાઉદેપુર સર્કીટ હાઉસ ખાતે બોર્ડના સિનયર મેમ્બર ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, સમાજ કલ્યાણ આધિકારી આર.સી પ્રજાપતિ, સમાજના આગેવાનો, ઝોન અધ્યક્ષ શંકરભાઈ ચામઠા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ સલાટ, ચીટનીશ ટુ કલેકટર કે.પી દવે વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું ભારતના સાંસ્કૃતિક વારસા, સ્વાતંત્ર્ય સંગ્રામ અને આપણી અમુલ્ય વિરાસતને બનાવવામાં ખુબ મોટું યોગદાન છે.…
Read Moreશિહોરના ગઢુલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવેલા લાભાર્થી પાયે આયુષ્યમાન કાર્ડ ન હોવાથી સ્થળ પર જ આધાર કાર્ડ અપાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોરના ગઢુલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં અનેક લાયક લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સરકારના વિવિધ વિભાગોના કેમ્પ યોજાયા હતા. જેમાં ઉપસ્થિત રહેલા ગઢુલા ગામના શિલ્પાબેન માથાચોડિયા પાસે આયુષ્યમાન કાર્ડ ન હોવાથી તેમને સ્થળ પર જ આરોગ્ય ના સ્ટાફ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયું હતું. આથી શિલ્પાબેન માથાચોડિયા એ સરકારના દ્વારા ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે આરોગ્ય સ્ટાફ નો આભાર માન્યો હતો.
Read Moreઉજ્જ્વલા યોજના થકી ચુલાની ધુમાડાથી મુક્તિ મળી : લાભાર્થી અનિતા બેન ચૌહાણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના બુધેલના લાભાર્થી અનિતાબેન મકવાણા જણાવ્યું હતું કે પહેલા ચૂલા પર રસોઇ કરતા હતા, જેનાથી અમને ખૂબ જ પરેશાની થતી હતી. અમને પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જ્વલા યોજનાની માહિતી મળતા તે યોજનાનો લાભ લેવાનું નક્કી કર્યું. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અમારા ગામ બુધેલ આવતા મને ઘરઆંગણે ઉજ્જ્વલા યોજના થકી ગેસનો ચૂલો અને ગેસનું સિલિન્ડર મળ્યું, આથી ધૂમાડાથી રાહત મળશે. ઘરઆંગણે લાભ આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પને લીધે ઉજ્જવલા યોજનાનો લાભ મળવા બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
Read More