કિસાનો ના હિત માટે લડત આપનાર ‘કિસાન એકતા સમિતિ’ ના અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ (તણસા) એ અખબારી યાદી માં જણાવ્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર                                         ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂત નેતા દશરથસિંહ ને કેશોદ ખેડૂત સંમેલન મા પહોંચવા ન દિધા પણ હવે ગુજરાત સરકાર ને દશરથસિંહ એ ચેલેન્જ કરી છે કે રોક શકો તો રોક લો. ગુજરાત મા કાળા કાયદા વિશે સરકાર બોલવા નથી દેતા. તો ટુક સમય માં દિલ્હી કિસાન આંદોલન મા પહોચી ને બોલશે. કેશોદ માં ત્રણ કાળા ને લઈ બિનરાજકીય ખેડૂત સંમેલન યોજાયું. એવી રીતે દરેક તાલુકા એ યોજવામાં…

Read More

અરવલ્લીના માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

અરવલ્લીના માનનીય સાંસદસભ્ય દિપસિંહ રાઠોડ યોજનાનો શુભારંભ કરાવશે હિન્દ ન્યૂઝ, મોડાસા ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. અરવલ્લીના માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી ખાતેથી આજથી યોજનાનો પ્રારંભ થશે. આજે તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી અરવલ્લીના માનનીય સાંસદસભ્ય દિપસિંહ રાઠોડના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Read More

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા સ્વ. ધવલ રમેશચંદ્ર કાનાણીની પ્રથમ પુણ્યતિથિ ની ભાગરૂપે કાનાણી (લોહાણા) પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાળિયા તેમજ ગ.સ્વ. રીટાબેન રમેશચંદ્ર કાનાણી ના આર્થિક સહયોગથી આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૧ ના રોજ જનરલ હોસ્પિટલ ખંભાળિયા ના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ ની આ મહામારી માં કે જ્યારે “માનવસેવા એ પ્રભુ સેવા” ને સાર્થક કરવા માટે સૌ ખંભાળિયા ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આજરોજ કુલ ૭૫ રક્તદાતાઓ એ આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી આ સેવામાં ભાગ લીધો હતો. જૂની લોહાણા મહાજનવાડી ખંભાળિયા ખાતે ના આ રક્તદાન કેમ્પનો…

Read More

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ધારદાર રજૂઆત ને સફળતા મળી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ                                                       90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન ચોરે પે ચર્ચા અન્વયે લોકોના પ્રશ્નો ની વાચા આપવા અને કોરોના ની ભયંકર મહામારીના કારણે છેલ્લા દસ થી બાર મહિનાથી ધારાસભ્ય લોકોના પ્રશ્નોને સાંભળવા તથા તેના નિરાકરણ માટે લોકોની વચ્ચે જઈ શકેલ ન હતા, પરંતુ હાલ પરિસ્થિતી સામાન્ય તથા ધારાસભ્ય એ પોતાની વિધાનસભા મત વિસ્તારના…

Read More

અમરેલી જિલ્લાના બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં આજ થી રસીકરણ ની શરૂઆત

હિન્દ ન્યૂઝ, અમરેલી આજે કોરોના કાળ વચ્ચે અમરેલીના બગસરા શહેરમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રસીકરણ કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો ને રસી આપી શરૂઆત કરવામાં આવી હતી. રસીકરણ કાર્યક્રમમાં બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ, પ્રાંત અધિકારી, બગસરા મામલતદાર, તલાટી, તેમજ બગસરા આરોગ્ય કેન્દ્રના તમામ ડોક્ટરો અને આખા સ્ટાફ સાથે હાજરી આપી હતી. રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા

Read More

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ સર્કિટ ખાતે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ની મિટિંગ આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ સર્કિટ ખાતે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ની મિટિંગ મળી હતી. આ મિટિંગ ઇન્ડિયન યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના નેશનલ પ્રેસિડેન્ટ કે.કે શાસ્ત્રીજી ની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રભારી ડો. જગદીશભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અભયભાઈ જોટવા, કોળી સમાજ વેરાવળ ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ મેર, ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના કમિટી સભ્ય, દ્વારકા મોરબી યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના પ્રભારી પ્રેમ ભાઈ ગઢિયા, સોમનાથ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ રાકેશભાઈ…

Read More

આણંદ જિલ્લા મા આવેલું જીટોડીયા ગામે કિસાન સુર્યોદય યોજનાના શુભારંભ મા સ્થાનિક ભારતીય જનતા પાર્ટી ના વફાદાર કાર્યકરો ને જ નિમંત્રણ નહી

હિન્દ ન્યૂઝ, આણંદ આજ રોજ આણંદ જિલ્લા ના જીટોડીયા ગામે બંધન પાર્ટી પ્લોટ કોર્ટ ચોકડી આણંદ મથકે કિસાન સુર્યોદય યોજના નો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિશેષ ઉપસ્થિતિમાં યોગેશભાઈ પટેલ (શહેરી ગૃહ નિર્માણ મંત્રી), મિતેસભાઈ પટેલ (સાંસદ આણંદ), દિલીપભાઈ પટેલ (પૂર્વ સાંસદ આણંદ), દિપકભાઈ સાથી (માજી સાંસદ આણંદ) તથા જિલ્લા પ્રમુખ ભજપ વિપુલ ભાઈ પટેલ તથા નામી અનામી કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા પરંતુ જીટોડીયાના ભરતીય જનતા પાર્ટીના વર્ષોથી સ્ક્રીય કાર્ય કરોનેજ ભૂલી ગયા. તો શું આવનાર તાલુકાના ઈલેકશનમા આણંદ તાલુકાની સીટ આવશે ખરી ? શું ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમમાં…

Read More

ચરોતર મા પવિત્ર યાત્રા ધામ ડાકોર મા બોડાણા ભક્ત શ્રી નો ૯૩૮ નો જન્મોત્સવ ઉજવવા મા આવ્યો.

હિન્દ ન્યૂઝ, ચરોતર ડાકોર, તા.૧૬/૧/૨૧, હાલનું ડાકોર ડંકઋષિ કરતા પણ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત શ્રી વિજયસિંહ બોડાણા ને વધારે આભારી છે. બોડાણા તેના પૂર્વ જન્મમાં ગોકુળમાં વિદ્યાનંદ ગોવાળ તરીકે રહેતો હતો. એક હોળીના દિવસે વિદ્યાનંદ સિવાય તમામ ગોવાળો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરતા હતા પરંતુ વિદ્યાનંદ ગોવાળ નિમિત હોવાને કારણે પોતાને ઘરે રહ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન તેના મિત્રના સ્વરૂપે ઘરે ગયા અને તેને હોળી પુજા કરવા મોકલ્યો. પુજા કરી પાછા વળતા તેને ખાતરી થઈ કે તેના મિત્ર બીજા કોઈ નહીં પણ શ્રીકૃષ્ણ ભગવાન પોતે હતા. બીજા દિવસે તેઓ…

Read More

આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર દ્વારા નવા ડામર રોડ નુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ તા. ૧૬/૦૧/૨૦૨૧, આણંદ તાલુકાના ઝાખરીયા ગામે આણંદ ના ધારાસભ્ય કાન્તીભાઈ સોઢાપરમાર દ્રારા ઝાખરીયા થી નાવલી બાય પાસ વડોદરા રોડ તથા બોયલા વિસ્તાર થી નાપાડ ને જોડતાં ડામર રોડ તથા ઝાખરીયા ગામથી સોનારી તલાવડી હનુમાનજી મંદિર ને જોડતાં માર્ગ નું ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત સરપંચ અશોકભાઈ ચાવડા, ડેપ્યુટી સરપંચ હસનખાન રાઠોડ, ડેરીના ચેરમેન તથા માજી સરપંચ તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

મહુવા તાલુકાના પી.જી.વી.સી.એ.લ ના કર્મચારી નો આંદોલન

હિન્દ ન્યૂઝ, મહુવા તા. 16, મહુવા તાલુકાના પી.જી.વી.સી.એ.લ ના તમામ કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચ ના મજૂર થયેલા આનુષંગિક લાભો મેળવવા માટે મહુવા તાલુકાના તમામ કર્મચારીઓ વીજ કચેરી બહાર બપોરના બે વાગ્યા ના સમયે સૂત્રોચાર કરી આંદોલન ની શરૂઆત કરી હતી. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Read More