અરવલ્લીના માનનીય સાંસદસભ્ય દિપસિંહ રાઠોડ યોજનાનો શુભારંભ કરાવશે
હિન્દ ન્યૂઝ, મોડાસા
ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. અરવલ્લીના માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી ખાતેથી આજથી યોજનાનો પ્રારંભ થશે. આજે તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી અરવલ્લીના માનનીય સાંસદસભ્ય દિપસિંહ રાઠોડના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવશે.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા