આણંદ જિલ્લા મા આવેલું જીટોડીયા ગામે કિસાન સુર્યોદય યોજનાના શુભારંભ મા સ્થાનિક ભારતીય જનતા પાર્ટી ના વફાદાર કાર્યકરો ને જ નિમંત્રણ નહી

હિન્દ ન્યૂઝ, આણંદ

આજ રોજ આણંદ જિલ્લા ના જીટોડીયા ગામે બંધન પાર્ટી પ્લોટ કોર્ટ ચોકડી આણંદ મથકે કિસાન સુર્યોદય યોજના નો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિશેષ ઉપસ્થિતિમાં યોગેશભાઈ પટેલ (શહેરી ગૃહ નિર્માણ મંત્રી), મિતેસભાઈ પટેલ (સાંસદ આણંદ), દિલીપભાઈ પટેલ (પૂર્વ સાંસદ આણંદ), દિપકભાઈ સાથી (માજી સાંસદ આણંદ) તથા જિલ્લા પ્રમુખ ભજપ વિપુલ ભાઈ પટેલ તથા નામી અનામી કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા પરંતુ જીટોડીયાના ભરતીય જનતા પાર્ટીના વર્ષોથી સ્ક્રીય કાર્ય કરોનેજ ભૂલી ગયા. તો શું આવનાર તાલુકાના ઈલેકશનમા આણંદ તાલુકાની સીટ આવશે ખરી ? શું ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમમાં જ ગામના જ કાર્યકરોને નિમંત્રણ નહીં ? જેવી નારાજગી જોવા મળી હતી અને આવનાર ઈલેકશન માં શું સફળતા મળશે કે નહીં. આમ જીટોડીયા ગામના કેટલાક સ્ક્રીન કાર્યકરો તથા નામી અનામી ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક વફાદાર કાર્યકરો જ જોવા ન મડ્યા હતાં, જેથી લોક મુખે ચર્ચા વિચારણા જોવા મળી હતી. આગામી આવનાર ઈલેકશન માં ભારતીય જનતા પાર્ટી ને મોટો ફટકો પડી શકે છે. આવી બબતોનુ જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલે ધ્યાન રાખવું જોઈયે નહીતર મોટો ફટકો પડી શકશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment