શિહોરી ખાતે આરોગ્ય વિભાગનાં અધિકારી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવાનું ભુલી ગયાં

બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં 74માં સ્વતંત્ર દિવસની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરી પટાંગણમાં કરવામા આવી હતી, ત્યારે મોટાજામપુર phc આરોગ્ય વિભાગના કર્મચારી અંજલિબેન ને ધ્વજવંદનનું ભાન ન હતુ. આરામથી શોભના ગાંઠિયાની જેમ ઉભા રહ્યા હતા, ત્યારે સલામી જાણી જોઇને આપી ન હતી કે પછી રાષ્ટ્રીય તહેવાર વિશે જાણતાં નહી હોય તે તો તેવોને જ ખબર પણ તાલુકાનાં ઉચ્ચ અધીકારીઆેની પાસે ઉભા રહીને પણ આ રીતે રાષ્ટ્ર ધ્વજ ને સલામી ના આપીને રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કર્યુ હોય તેવુ સ્પષ્ટ દેખાય રહ્યું છે.

Read More

કાંકરેજ તાલુકાનાં થરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં થરા નગરપાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી ધોર નિંદ્રામાં

બનાસકાંઠા, કાંકરેજ તાલુકાનું એકમાત્ર વેપારી મથક ગણાતા થરામાં ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયા છે ત્યારે ગટર લાઇનના કાંઈ ઠેકાણા નથી ત્યારે થરામાં રૂણી રોડ બાજુમાં ટોટાણા રોડ પર બજાર રોડ પર તેમજ અન્ય જગ્યાએ વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે એવામાં થરા વિસ્તારમાં પાણી ભરાતાં મચ્છરો પેદા થાય તેમજ રોગચાળો ફેલાય તો કોઇ નવાઇ નહીં ત્યારે એક બાજુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. ત્યારે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો ત્યારે કેમ…

Read More

દિયોદર મામલતદાર કચેરી ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી

દિયોદર,   ૭૪ માં સ્વતંત્રતા દિન નિમિત્તે દિયોદર મામલતદાર કચેરી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ કલેકટર એમ.એમ. દેસાઈ ના હસ્તે અને વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ રાજ્ય મંત્રી કેસાજી ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા ની હાજરી માં ધ્વજ ને સલામી આપવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટરે દિયોદર વાસીઓ ને ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોરોના ની મહામારી અને લોકડાઉન સમય કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવનાર પોલીસ કર્મચારીઓ, આરોગ્ય વિભાગ, વિવિધ સંસ્થા ના આગેવાનોને શાલ…

Read More

તાલુકામાં 74 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરીના પટાંગણમાં કરવામાં આવી

  બનાસકાંઠા, કાંકરેજ તાલુકામાં 15 ઑગસ્ટ સ્વતંત્ર દિવસ ની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાંકરેજ મામલતદાર શ્રી એમ ટી રાજપૂત ને હસ્તે ધ્વજ વંદન કરવામાંઆવે આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેજાભાઇ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શિહોરી પોલીસ દ્વારા પીએસઆઇ એસ વી આહીર ની આગેવાની હેઠળ પોલીસ દ્વારા પરેડ કરીને ત્રિરંગા ને સલામી આપી હતી અને કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ સારવાર બાદ સાજા થઈ ને આવેલ હતા એવા લોકો નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર રમીલાબેન ચોધરી સહિત…

Read More

સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે આજે સ્મશાન ભુમી માં બનાસ ડેરી દ્વારા વૃક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો

ભાભર, સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે આજે સ્મશાન ભુમી માં બનાસ ડેરી દ્વારા વૃક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપાણ કરવામાં આવ્યુ. જેમાં એક બાજુ દીનપ્રતિ દીન વધતા જતા પ્રદુષણ અટકાવવા ઠેરઠેર વૃક્ષો વાવવા ના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગમે તેવા સંકટ સમયે ખેડૂતો ને પડખે ઉભા રહેનાર એવા બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન દ્વારા સુઇગામ તાલુકાના જોરાવરગઢ અને ઉચોસણ ગામની બે શ્મશાન ભુમિ માં એક હજાર જેટલા વૃક્ષો વાવી ને બનાસડેરી દ્વારા વૃક્ષો વાવો અને વરસાદ લાવો નુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં આજે…

Read More

કરબુણ ગામની શાળાઓમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

થરાદ, કોરોનાની મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહ્યો હોઈ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની બનાસકાંઠા જીલ્લા કલેકટરે ગાઇડલાઇન બહાર પાડી હોઈ 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન હોઈ દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે થરાદના કરબુણ ગામની શાળાઓમાં પણ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. થરાદ તાલુકાના કરબુણ ગામે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા સહિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો, કરબુણ ગામની શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં ગામના સરપંચ નાગજીભાઈ પટેલ, શાળાના…

Read More

વડોદરામા પુરનું સંકટ, વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ

વડોદરા, વડોદરાવાસીઓના માથે તોળાતુ પુરનું સંકટ, વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22.75 ફૂટે પહોંચી ગયું છે. વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભયજનક લેવલ વટાવી જતા તંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે. તો મોટાપાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરાવામાં આવી છે. ભયજનક લેવલની નજીક પહોંચી જતા લોકોને ગયા વર્ષનું પૂર યાદ આવી ગયું છે. જેમાં જ્યાં જુઓ ત્યાં પાણીની ભયાવહ તસવીરો લોકોની નજર સામે તરી રહી છે. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

છોટાઉદેપુર જિલ્લામાં મોટીદુમાલી પાટિયા પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત

છોટાઉદેપુર, પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જીલ્લા માં આવેલ મોટી દુમાલી પાટીયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. મોટી દુમાલી એટલે કે બોડેલી અને છોટાઉદેપુર વચ્ચે આવેલું ગામ છે જ્યાં આ અકસ્માત સર્જાયો છે. બસ માં ૨૬ જેટલા મુસાફરો સફર કરી રહ્યા હતા. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક માં પણ ડ્રાઇવર તથા કંડકટર ની જાનહાની થઈ નથી. રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, છોટાઉદેપુર

Read More

થરાદની જાગેશ્વર વિદ્યામંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

થરાદ, વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ હોઈ વધુ ન ફેલાય તે માટે જીલ્લા કલેકટરે ભીડભાડ કર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક ફરજીયાત પહેરવા સહિતની ગાઇડલાઇન જાહેર કરી છે, જોકે 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ હોઈ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ધ્વજ વંદન કાર્યક્રમ દેશભરમાં યોજાયો હતો, ત્યારે થરાદની શ્રી જાગેશ્વર વિદ્યામંદિર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. થરાદની જાગેશ્વર વિદ્યામંદિર ખાતે ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક પહેરીને ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ અને કારોબારીના સભ્યો, શાળાના પ્રિન્સીપાલ, શાળા પરિવાર સહિત ગ્રામજનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ…

Read More

પંચમહાલ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગના પાલન સાથે શાનદાર ઉજવણી

ગોધરા, પંચમહાલ જિલ્લામાં ૭૪માં સ્વતંત્રતા દિવસની સોશિયલ ડિસન્ટન્સિંગના પાલન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પૂ. મહાત્‍મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલના એક ભારત શ્રેષ્‍ઠ ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા કાશ્‍મીરમાંથી ૩૭૦ અને ૩૫-એની કલમ હટાવી દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રશંસનીય કાર્ય કર્યુ છે. ૫૦૦ વર્ષથી ચાલ્‍યા આવતા રામજન્‍મભુમિના પ્રશ્નનો સુખદ નિવેડો લાવી રામલલ્લાના ભવ્‍ય મંદિર નિર્માણનો શિલાન્‍યાસ…

Read More