થરાદની જાગેશ્વર વિદ્યામંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

થરાદ,

વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ હોઈ વધુ ન ફેલાય તે માટે જીલ્લા કલેકટરે ભીડભાડ કર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક ફરજીયાત પહેરવા સહિતની ગાઇડલાઇન જાહેર કરી છે, જોકે 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ હોઈ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ધ્વજ વંદન કાર્યક્રમ દેશભરમાં યોજાયો હતો, ત્યારે થરાદની શ્રી જાગેશ્વર વિદ્યામંદિર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. થરાદની જાગેશ્વર વિદ્યામંદિર ખાતે ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક પહેરીને ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ અને કારોબારીના સભ્યો, શાળાના પ્રિન્સીપાલ, શાળા પરિવાર સહિત ગ્રામજનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment