રાજકોટ શહેરમાં રાજ્ય સરકારે I.A.S અધિકારી રવિન્દ્ર ખતાલેને ઓફીસ ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે રાજકોટની જવાબદારી સોંપી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ એક I.A.S ની નિમણૂંક કરાઈ છે. રાજકોટમાં રાજ્ય સરકારે I.A.S અધિકારી રવિન્દ્ર ખતાલેને ઓફીસ ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે રાજકોટની જવાબદારી સોંપી છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રવિન્દ્ર ખતાલને O.S.D તરીકે રાજકોટની જવાબદારી સોંપાઈ છે. આજે જ રાજકોટમાં મનપાના ૪૫ સફાઇ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૯૦૦ માંથી ૪૫ સફાઇ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તમામને આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. આજે ઇસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઇ કર્મચારીનું સ્ક્રીનીંગ…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાએ વધુ ૧૪ દર્દીઓનો લીધો ભોગ…

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજ્યમાં અન્ય જીલ્લાઓની સરખામણીમાં રાજકોટનો ડેથ રેટ ઉચું જઈ રહ્યું છે. આજે પણ જીલ્લામાં કોરોનાથી વધુ ૧૪ દર્દીઓના મોત થયા છે. આજે પણ રોજની જેમ સૌથી વધુ સિવિલમાંથી જ દર્દીઓની મૃત્યુ થયાની જાણકારી મળી છે. આજે મૃત્યુ પામેલ દર્દીઓ પૈકી ૧૩ દર્દીઓએ સિવિલમાં જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પિટલ વોકહાર્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. (૧) શારદાબેન કલ્પેશભાઈ પીપળીયા (ઉ.૩૬) તિરૂપતી સોસાયટી રાજકોટ. (૨) દેવશંકરભાઈ નરભેશંકરભાઈ મોઢા (ઉ.૬૫) ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ. (૩) સાવિત્રીબેન ભાનુશંકર દવે (ઉ.૭૫) ગાયત્રીનગર રાજકોટ. (૪) જીજ્ઞાબેન રણછોડભાઈ ચોવટીયા (ઉ.૩૬)…

Read More

ભિલોડા ખાતે ભવનાથ મંદિરે ઉજવાતો લોકમેળો નિ:રસ રહ્યો કોરોનાની મહામારી માં નહિવત સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા…

અરવલ્લી, અરવલ્લી જીલ્લાના ભીલોડામાં દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભવનાથ મંદિરે ભવ્ય લોક મેળો ઉજવાતો આવ્યો છે.ત્યારે આજુબાજુ માંથી હજારો લોકો લોકમેળો માણવા આવતા અને ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્ય થતા. પણ આ વર્ષે દેશભરમાં કોરોનાની મહામારીના કારણે ભક્તજનોની પાંખી હાજરી જોવા મળી હતી, અને બહારથી આવતા નાના વેપારીઓ એક દિવસ પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવતા, એ લોકોની પણ હાજરી એકદમ નહિવત જોવા મળી હતી. અને ભિલોડાના બજારો ખુલ્લાખમ જોવા મળ્યા હતા. ત્યારે કોરોનાના કહેરે નાના વેપારીઓ પર પણ કાળો કેર વર્તાવ્યો છે એવુ લાગી રહ્યું છે. રિપોર્ટર…

Read More

સુરત જિલ્લાના કુરસદ ગામે ચાર ભેંસોને વીજ કરંટ લાગતાં થયેલાં મોત

સુરત, સુરત જિલ્લાના કુરસદ ગામે DGVCL ની ગંભીરબેદકારીને પગલે વીજ કરંટ લાગતાં ચાર ભેંસોના મોત નિપજતાં પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ ચાર ભેંસો ખુલ્લામાં ચરી રહી હતી તે દરમિયાન DGVCL ની વીજ લાઈનનો જીવન્ટ તાર અડતાં આ ચાર ભેંસો મોતને ભેટી છે. પશુપાલકો નું કહેવું છે કે વીજ તાર નીચે ની તરફ જુકેલા હતા જેને પગલે આ બનાવ બનવા પામ્યો છે. ચાર ભેંસોની અંદાજીત કિંમત ચાર લાખ રૂપિયા કરતાં વધુ થાય છે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

રાજકોટ શહેર બેટી રામપરા ગામે પુત્રીને વડિલોપાર્જીત જમીનમાંથી ભાગ આપવા મુદ્દે કોળી દંપતિને ૪ શખ્સોએ ઝઘડો કરી ધોકાથી મારમારી ધમકી આપી

  રાજકોટ, રાજકોટ શહેર બેટી રામપરા ગામે રહેતા જયાબેન સામતભાઈ ભલગામડીયા (ઉ.૫૫) એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં લીંબડીના ટીંબલા ગામે રહેતી પુત્રવધુ મીતલ રમેશ ભલગામડીયા, તેના મમ્મી જયાબેન ગોવિંદ મેટારીયા તેના માસી સવિતાબેન, તેના ભાઈ જયદેવ મેટારીયા વિરુઘ્ધ ધોકા વડે મારામારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જયાબેન ભલગામડીયા (ઉ.૫૫) એ પોતાના ઘરે પતિ સામતભાઈ સાથે ટીવી જોતા હતા. ત્યારે લીંબડી તાલુકાના ટીંબલ ગામે માવતરે રહેતી પુત્રવધુ મીતલ રમેશ ભલગામડીયા, તેના મમ્મી જયાબેન મેટારીયા તેના માસી સવિતાબેન, તેના ભાઈ જયદેવ મેટારીયાએ આવી ‘તમે તમારી દીકરીને કેમ વડીલોપાર્જીત જમીનમાંથી એક એકર ભાગ આપો…

Read More

कुशलगढ़ में सादगी के साथ मनाया 74वा स्वतंत्रता दिवस

कुशलगढ़, 74वा स्वतंत्रता दिवस कुशलगढ़ के चंद्रशेखर आजाद स्टेडियम में उपखंड अधिकारी विजयेश पंड्या ने फहराया राष्ट्रीय ध्वज । इस अवसर पर विजयेश पंड्या ने कहा कि कॉरोना कि वैश्विक महामारी को देखते हुए सभी कार्यक्रम स्थगित किए गए हैं लोगों को सतर्कता और सावधानी बरतनी चाहिए। नगर पालिका अध्यक्ष श्रीमती रेखा जोशी ने कहा कि खेल स्टेडियम बच्चों के बिना सुना दिखाई दे रहा है लेकिन इस महामारी के कारण इस बार सिर्फ ध्वजारोहण कार्यक्रम किया जा रहा है इस अवसर पर मध्य प्रदे श के पूर्व मंत्री और…

Read More

ઝાલોદ માં બેંક ઓફ બરોડા બહાર સોશ્યલ ડિસ્ટન્સ ની એસી તૈસી

ઝાલોદ, બેંકો માં શનિ-રવિ ની રજા બાદ સોમવારે બેંકો ખુલતા ઝાલોદ ની ગામડી ચોકડી પાસે આવેલ બેન્ક ઓફ બરોડા માં સોશ્યલ ડિસ્ટન્સ ની એસી તૈસી ના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબી લાઈનો લગાવીને ઉભા રહેતા ગ્રાહકો ની ભારે ભીડ માં કોઈ પણ જાત નું સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવતા કોરોના ના સંક્રમણ નો ખતરો ઉભો થયો હતો. રિપોર્ટર : ઈફતેહખાન ફકીરા, ઝાલોદ

Read More

દિયોદર તાલુકા તેમજ રાવણા રાજપૂત સમાજ નું ગૌરવ

દિયોદર, સમગ્ર બનાસકાંઠા જિલ્લા રાવણા રાજપૂત સમાજ ના અગ્રણી અને દિયોદર તાલુકા ઘટક સંઘ ના ઉપ પ્રમુખ શિક્ષક તરીકે ફરજ બજાવતા અમરતભાઈ ભાટી ની બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર રાવણા રાજપૂત સમાજ અને દિયોદર તાલુકા નું ગૌરવ વધાર્યું છે અમરતભાઈ ભાટી દિયોદર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે સારી નામ ના મેળવેલ છે જેમાં દિયોદર તાલુકા ઘટક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે ,તાલુકા કર્મચારી સેવા મંડળી માં ચેરમેન તરીકે અને લાયન્સ કલબ ના પ્રમુખ તરીકે ની સાથે સાથે ગૌ…

Read More

દિયોદર ખાતે આવેલ શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કૂલ માં વગડાવાળી માતાજી નો હવન તેમજ ફોટો પ્રતિષ્ઠા કરાઈ

દિયોદર, દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ માં બિરાજમાન એવા વગડાવાળી માતાજીનો હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ વગડાવાળી માતાજી ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શાળા માં બિરાજમાન વગડાવાળી માતાજી નવું મંદિર પણ શાળા માં કરવામાં આવ્યું છે. ત્યારે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને હવન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં વિધિવત મંત્ર ઉચ્ચારણ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં હાઈસ્કૂલના આચાર્ય વી.કે.બારોટ , હાયર સેકન્ડરી ના સુપરવાઈઝર કે. એસ.ત્રિવેદી , સેકન્ડરી સુપરવાઈઝર એ.પી.ભાટી સહિત શાળા ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.. રિપોર્ટર :…

Read More

કંજેટા‌‌ ફોરેસ્ટ વિભાગ અધિકારી ઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન

દેવગઢ બારીઆ, પ્રાપ્ત  વિગતો અનુસાર 74 સ્વતંત્ર પર્વની ઉજવણી ‌દાહોદ ખાતે રાખવામાં આવી હતી. આ પર્વ ના અવસરે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું.મંત્રી બચુભાઇ ખાબડ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું . સન્માન કરવામાં આવેલ અધિકારી ઓ  1] એમ આર રાઠવા, 2] કે એમ રાઠવા, 3]વી વી ચૌહાણ, 4] એ એન બામણીયા 5 ]એસ.સી.બારીઆ આ તમામ અધિકારી ઓનું સમ્માન કરવા માં આવ્યું. રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારીઆ

Read More