સુરત જિલ્લાના કુરસદ ગામે ચાર ભેંસોને વીજ કરંટ લાગતાં થયેલાં મોત

સુરત,

સુરત જિલ્લાના કુરસદ ગામે DGVCL ની ગંભીરબેદકારીને પગલે વીજ કરંટ લાગતાં ચાર ભેંસોના મોત નિપજતાં પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ ચાર ભેંસો ખુલ્લામાં ચરી રહી હતી તે દરમિયાન DGVCL ની વીજ લાઈનનો જીવન્ટ તાર અડતાં આ ચાર ભેંસો મોતને ભેટી છે.

પશુપાલકો નું કહેવું છે કે વીજ તાર નીચે ની તરફ જુકેલા હતા જેને પગલે આ બનાવ બનવા પામ્યો છે. ચાર ભેંસોની અંદાજીત કિંમત ચાર લાખ રૂપિયા કરતાં વધુ થાય છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment