અરવલ્લી,
અરવલ્લી જીલ્લાના ભીલોડામાં દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભવનાથ મંદિરે ભવ્ય લોક મેળો ઉજવાતો આવ્યો છે.ત્યારે આજુબાજુ માંથી હજારો લોકો લોકમેળો માણવા આવતા અને ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્ય થતા. પણ આ વર્ષે દેશભરમાં કોરોનાની મહામારીના કારણે ભક્તજનોની પાંખી હાજરી જોવા મળી હતી, અને બહારથી આવતા નાના વેપારીઓ એક દિવસ પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવતા, એ લોકોની પણ હાજરી એકદમ નહિવત જોવા મળી હતી.
અને ભિલોડાના બજારો ખુલ્લાખમ જોવા મળ્યા હતા. ત્યારે કોરોનાના કહેરે નાના વેપારીઓ પર પણ કાળો કેર વર્તાવ્યો છે એવુ લાગી રહ્યું છે.
રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી