અકસ્માત મૃત્યુના કારણે મરણ જનાર અજાણ્યા પુરુષની ઓળખ કરવા અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી જણાવવામાં આવે છે કે આકસ્મિક મરણ જનાર એક અજાણ્યા પુરુષ જેમનું નામ નેત્રજાભાઇ નાનાલાલ અને ઉંમર આશરે ૫૫ વર્ષ છે, તેઓ ગઈ તા. ૦૧/૧૧/૨૦૨૫ ના કલાક ૦૪:૦૦ વાગ્યા આસપાસ જામનગરની જી.જી. હોસ્પિટલ માં સારવાર દરમિયાન મરણ પામેલ છે. આથી, આ અજાણ્યા પુરુષની ઓળખ અંગેની કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે.વિગતો માટે એ.એસ.આઈ. એચ.આર. બાબરીયા, જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન મો.૭૨૨૮૮૫૫૦૫૨, ૮૮૪૯૯૪૧૩૯૮ તથા…

Read More

બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      બનાસકાંઠામાં મગફળી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી.      બનાસકાંઠામાં ૩૫થી વધુ સેન્ટર પર મગફળી સહિતના પાકની ખરીદી શરૂ કરાઈ. મગફળીમાં બજારભાવ કરતા પ્રતિ મણ ૪૦૦ થી વધારે રૂપિયા મળતા અમારા જેવા ખેડૂતોની આવકમાં વધારો થશે : ખેડૂત પ્રમોદભાઈ જોશી ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને આર્થિક બળ મળ્યું. ખેડૂતોએ સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો.

Read More

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.         આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથ…

Read More

જામનગર જિલ્લાના ૨.૨૬ લાખથી વધુ ખેલાડીઓએ ખેલમહાકુંભ-૨૦૨૫ માં રજીસ્ટ્રેશન કરાવ્યું

ખેલ મહાકુંભ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-૨૦૨૫ ની સ્પર્ધાઓનો પ્રારંભ તારીખ ૦૭/૧૧/૨૦૨૫ થી શરૂ થયેલ છે. ચાલુ વર્ષે જામનગર જિલ્લાના ખેલાડીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે.જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૦૭ રમતોની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા. ૦૭/૧૧/૨૦૨૫ ના રોજથી શરુ થયેલ છે, જેમાં ગ્રામ્ય જિલ્લાના કુલ ૧,૪૭,૮૦૫ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ જ રીતે, જામનગર શહેર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ કુલ ૦૭…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં આજથી ૩૦ દિવસીય ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ’નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, જામનગર      પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકારના “મેદસ્વિતા મુક્ત અભિયાન” ને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” વિષય અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અન્વયે મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૧૦૦ સ્થળોએ ૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી, દરરોજ સવારના ૦૬:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા કેમ્પ’ નું આયોજન કરવામાં આવેલ…

Read More

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, નર્મદા ભારત પર્વ 2025       સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની ઉજવણી અંતર્ગત એકતાનગર રંગબેરંગી લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સરદાર પટેલની પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ રોશનીથી ઝળહળી ઉઠ્યા.       પ્રકાશ પર્વ પેવેલિયનમાં 5 પ્રકારની LED લાઈટિંગ ટેક્નોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું; સાથે જ મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ, પક્ષીઓ – પ્રાણીઓ, વૃક્ષો – ફૂલો, ધાર્મિક ચિહ્નો, સૌરમંડળની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશરૂપે વ્યક્ત કરાયા. સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઈન કરાયેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી…

Read More

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર        ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જામનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીની સમીક્ષા અંગે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે EF (Enumeration Form)…

Read More

નાયબ મુખ્યમંત્રીએ ‘બદલાવ સ્વયંથી’ નો સંકલ્પ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા રાજ્યના તમામ વિભાગોના વડા – ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.      નાયબ મુખ્યમંત્રીએ ‘બદલાવ સ્વયંથી’ નો સંકલ્પ લઈ સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટેનું ભારપૂર્વક સૂચન કર્યું; સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થતાં એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વધુ વેગ મળશે.

Read More

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે લીધી શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ગુજરાત પધારેલ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતે વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.  મુખ્યમંત્રીએ છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રીએ ગુજરાતની…

Read More

ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ લૉન્ચિંગ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/ નું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લૉન્ચિંગ કર્યું. ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી જનગણના ગુજરાતની નવી વેબસાઈટમાં મોડર્ન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટિ-લેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જનકલ્યાણનો માનનીય વડાપ્રધાનનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને…

Read More